SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્સંગ (સપ્તમ સજન્ય ) છે. આ ચકબ્રમણ સંબંધી ઉલ્લેખ અગાઉ થઈ ગયે છે તેથી તે પર વિશેષ વિવેચન ન કરતાં એવી સ્થિતિમાં એ કેવાં કેવાં કાર્યો કરે છે એ જોઈએ તે અતિ ખેદ છે તેવું છે. એ ચેતન નિજરવરૂપ ભૂલી જઈ ધનની લાલસામાં અનેક ધકેલા ખાય છે, વિષય પિપાસામાં કય કાર્યને વિચાર કે વિવેક ભૂલી જાય છે અને પોતાની જાતને પણ ભૂલી જઈ પ્રાણુદ કરવા સુધીનાં કાર્યો કરે છે. આવી અધમ સ્થિતિમાં તે કેવાં કેવાં કાર્યો કરે છે એનું લીસ્ટ આપવાને બદલે પિતાની આગળ પાછળ જેવાથી તે તુરત માલુમ પડી શકે તેવું છે. યેરી, વિશ્વાસઘાત અને ખૂન કરનારા પણ આજ કટિમાં આવે છે. શુદ્ધ દશામાં સંપૂર્ણ સુખ ભેગવનાર અવિનાશી ચેતનની આ દશા એટલી બધી ખેતાપદ છે કે એના પર જેટલે વિચાર કરી શકાય તેટલું ઓછું છે. આવી અધમ સ્થિતિએ પહેંચવાનું કારણ એક જ છે કે આ ચેતનજી એની આવરિત સ્થિતિમાં-સંસારમાં જ સુખ મ.ની બેઠે છે. અને સગાસંબંધીએના માની લીધેલા સુખના વિચારેનું અનુકરણ કરવું, પુત્રપુત્રીના લગ્ન કરવાં, ખાવું, પીવું, હરવું, ફરવું વિગેરે બાબતે એટલી સુખમય લાગે છે કે માનસિક આનંદ શું છે તેને તેને ખ્યાલ પણ થતું નથી. એક સારા વિદ્વાનનું પુસ્તક વાંચતાં શું આનંદ આવે છે તેને તેને વિચાર પણ આવ નથી, કારણ કે રાગદ્વેષકૃત વિકૃત દશામાં રહેવાથી તેને ઉચ્ચ આનંદને ખ્ય લકરવાને પ્રસંગ જ બનને નથી; અને બને છે તે તે એટલે અલપ હોય છે કે તે અંતરતત્ત્વ સુધી પહેંચ્યા વગર ખાલી ઉપર ઉપર ચળકાટ કરી ચાલ્યા જાય છે. આને લીધે વાસ્તવિક રવરૂપ શું છે ? એ રવરૂપમાં આનંદ કેવા પ્રકાર છે ? તે કેવી રીતે પ્રાપ્ત થાય ? એ પ્રાપ્ત કરવાથી શું પરિણામ આવે ? એ આનંદ જેમણે પ્રાપ્ત કરે છે તે કેવી સ્થિતિમાં વ છે ? એને વિચાર કરવાને, પૃથકકરણ કરવને અને તેલ કરવાને તેને પ્રસંગ જ બન નથી અને તેવી બેદરકાર સ્વિતિને પરિણામે તે સંસાર સમુદ્રમાં અટવાયા કરે છે, વમળમાં ફસી પડે છે અને એક પછી એક વા ક્વા ખડક સાથે અફળાયા કરે છે. જ્યાં એ સ્થિતિમાં દુઃખ શું છે તેનું જ ભાન ન હેય ત્યાં વિશિષ્ટ સ્થિતિ સાથે સરખામણીનો અવકાશ જ કયાંથી પ્રાપ્ત થાય? આવી સ્થિતિને લઈને પિતાના ઘરમાં રહેલા ધનની તેને ખબર પડતી નથી, તેને પ્રાપ્ત કરવાનો ઉપાય શોધવાની તેને જિજ્ઞાસા થતી નથી અને તેને પરિણામે આત્મધન ગુણસ્થાનમાં વગર વપરાયે પડી રહે છે. ત્યારે હવે વર્તમાન દશાને અંગે બે હકીકત પ્રાપ્ત થઈ. ઘણાખરા પ્રાણીઓને તે માનસિક આનંદ શું છે તેને ખ્યાલ થતો નથી અને તેથી આત્મ આનંદનું આ For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy