SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. આ પ્રમાણે વિહાર કરતા તે મુનિને કેટલાક કાળ વ્યતીત , તેવામાં તેમને લાભાંતરાય કર્મને ઉદય છે. તેથી કેક ઠેકાણે તે તેને ભિક્ષા જ મને ળતી નહીં, કઈક સ્થાને અકથ્ય ભિક્ષા મળતી તે તેને તેઓ ઇચ્છતા (લેતા) નહીં, કઈક સ્થાને કપ્ય ભિક્ષા મળતાં છતાં પણ બીજાને અપેક્ષિત હોવાથી પિતે પ્રહણ કરતા નહીં. આ પ્રમાણે તેને જેમ જેમ શારીરિક કહે. પ્રાપ્ત થતું ગયે, તેમ તેમ તેઓ હર્ષ પામવા લાગ્યા. કારણકે કમને જે શિપ્રતાથી ક્ષય થવો એ મુનિઓને માટે ઉત્સવ ગણાય છે. વિહારમાં ઉદ્યમવંત અને આહાર રહિત રહેવાથી જેનું શરીર માત્ર સત્તારૂપે જ રહ્યું છે એવા તે મુનિના ઇ માસ વ્યતીત થયા. એકદા કોઈ અરયમાં સાયંકાળે શાંત ચિત્તવાળા તે મુનિ ધર્મરૂપી હતી. ને બાંધવાના તંભ જેવા પિતાના શરીરને નિશ્ચળ કરીને ઉભા રહ્યા, અને સં સારના તાપને દૂર કરવામાં સજ્જ થયેલા અમૃત જળના સ્માનરૂપી કાયોત્સર્ગ ના ધ્યાનમાં તલ્લીન થયા. તેવામાં રાત્રિને સમયે ભૂતળની ધૂળના સમૂહને પણ તપાવી નાંખે એ કોઈ મહા ઉગ્ર તાપ તે મુનિને તપાવવા લાગ્યું. તે વખતે “આ શું? ” એમ વિચારીને તે મુનિ નેત્ર ઉઘાડી જુએ છે તે લલાટને તાપ પમાડનાર ઉગ્ર તેજવાળો સૂર્ય જેવામાં આવ્યું. તથા નજીકમાં મોટા વૃક્ષના સમૂહની છાયામાં રહેલા ગાડાઓના સમૂહને તથા ભેજન કરતા જનસમૂહને જોયે, તે જ વખતે તે જનસમૂહમાંથી કોઈ એક માણસ દલા અને નાંખી દેવા માટે અતિ ઉત્સુકપણાથી બહાર નીકળ્યો, તેને બીજા કોઈ માણસે કહ્યું કે— વિક૫રહિત જિનકલ્પી આ મહામુનિને તું આ કષ્ય અન્ન આપ, કારણકે હમણાં ભિક્ષાને સમય છે. આ બળી ગયેલું નાંખી દેવા જેવું અન્ન આપીને શામાટે સુકૃત ( પુણ્ય ) ને ગ્રહણ કરતું નથી ? કદાચ કેયેલ વડે મણિ મળતું હોય, તે તે શું ન લેવો ? જ. ” એ પ્રમાણે તેનું વચન સાંભળીને હર્ષ પામેલા અને રોમાંચિત થયેલાં તે માણસે હાથમાં તે અન્ન રાખીને મુનિને કહ્યું કે– હે પ્રભુ! આ ભિક્ષા ગ્રહણ કરે. ” તે વખતે બુદ્ધિમાન મુનિએ વિચાર કર્યો કે–“શું આ મારી પ્રમત્ત અવસ્થા છે? કારણકે ત્રિ જતી જાણી નથી, તેમજ આકાશના મધ્ય ભાગ સુધી ચઢતા સૂર્યને પણ જાયે નથી. શું આ તે સ્વપ્ન છે? કે ઈન્દ્રજાળ છે? કે કઈ પ્રકારને મતિ ભ્રમ છે? કે કઈ માયાવી દેવતાએ આવી માયા કરી છે અથવા તે મારે મમતા રહિતને ઘણું વિકલ્પ કરવાથી શું ? આ બાબતને સંદેહ હોવાથી શરીર માટે થઈને હું આ અને ગ્રહણ નહીં જ કરૂં. ” આ પ્રમાણે વિચાર કરીને શુદ્ધ For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy