SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવરની કથા પછી અઠ્ઠમ તપ કરીને એક રાત્રિ અને પાને સંકેચીને હસ્ત લાંબા રાખીને સિદ્ધશિલા તરફ દષ્ટિ રાખી નિશ્ચળતાથી બારમી પ્રતિમા વદ્ધન કરી. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલી વિધિપ્રમાણે અદ્દભુત તપ કરતા તે મુનિ અનેક પ્રકાર ના કપની કલ્પનાઓ (ખાચરણ) કરવાવડે પૃથ્વીતળ પર વિચારવા લાગ્યા. એકદા સંવર મુનિ ગુરૂના ચરણ કમળને નમીને મસ્તક પર હાથ જોડી આ પ્રમાણે બોલ્યા કે-“ બીજા કેઈ ન આપી શકે એવા સદ્ધર્મને બેધને આપના હે ગુરૂ મહારાજ ! હું યોગ્ય હુઉં તે મને જિનકલ્પની આજ્ઞા આપે. તે સાંભળીને શ્રુતજ્ઞાનના સાગરૂપ ગુરૂએ તેને આરાધક જાણીને મોક્ષલહમી આપવામાં ક૯પવૃક્ષ સમાન જિનકલ્પને માટે આજ્ઞા આપી. તે વખતે નવ તત્ત્વોને જાણનાર અને સત્ત્વવંતમાં શિરોમણિ તે મુનિ જાણે પિતે ત્રણ જગતનું રાજ્ય પામ્યા હોય એમ પતાને માનવા લાગ્યા. પછી નિર્મળ ચારિત્રવાળે તે મુનિ હર્ષથી સર્વ વપત્રાદિકને ગુરુ પાસે મૂકી સર્વ પરિવારની રજા લઈ હાથીને સમૂહને હણવા માટે જેમ ગિરિગરમાંથી સિંહ નીકળે તેમ તે મહા સાહસિક મુનિ કર્મના સમૂહને હણવા માટે ગુરૂ પાસેથી નીકળ્યા. બળાત્કારે વિને નાશ કરનાર અને મેક્ષમાર્ગમાં ચાલનાર તે મુનિ સૂર્ય અસ્ત થયા પછી એક પગલું પણ ચાલતા નહીં. અને મોહરૂપી કૃર રાજાની સાથે ગાઢ વૈર કરનાર તે મુનિ સૂર્યને ઉદય થયે કદાપિ એકત્ર નિવાસ કરતા નહીં. તે મુનિ જાણે છેગૃત કર્મોની સાથે સંગ્રામ કરવામાં વ્યગ્ર થયેલા હોય તેમ બને ચરણમાં લાગતા ઉગ્ર કટકોને પણ કાઢતા નહતા. ઉદાસીન સ્થાન' માં રહેલા તૃણું રજ વિગેરેને જેમ કોઈ કાઢે નહીં, તેમ રાગરૂપ અપરાધ કરનારા ચક્ષુમાં તરશું કે રજ પડયું હોય તે તેને પણ તે મુનિ કાઢતા નહતા. નજીકમાં વિલાસ કરતી મુક્તિરૂપી વધૂ ઉપર તેનું મન જાણે લીન થયું હોય, તેમ તે મુનિ માર્ગે ચાલતાં તીવ્ર કાંકરાવાળા માર્ગને પણ તજતા નહોતા. શુદ્ધ બુદ્ધિવાળા તે યતિ પિતાના શરીરને વિશે પણ નિસ્પૃહ હતા, તેથી પોતાની પાસે થઈને કદાચ સિંહ નીકળતો પણ પિતાની સહજ (વાભાવિક) ગતિને છોડતા નહોતા. કદાચ કઈ સ્થળે ઉચિતપણામાં ચતુર જને ફેતરાં, સાવર કે છાશ વિગેરે તજવાયેગ્ય વતુ આપતા તે તેને તે ધીર મુનિ ગ્રહણ કરતા હતા. આ પ્રમાણે અંગના પ્રતિ કર્મ રહિત તે મુનિ અખલિત વિહારના અનુક્રમવડે પૃથ્વીતળને પવિત્ર કરતા હતા. 1. વપરાશ વિનાનું સ્થાન. ૨. શરીરની સુશ્રુષા કરવી તે. For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy