________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. કવિવરોએ પ વેરાગ્ય રસ ઉત્પાદક અનેક શાસ્ત્રની રચના કરેલી છે.
તેમાંથી નીકળેલી શ્રતગ્રંથને અનુસરનારી અને પ્રવચન સિદ્ધાંતને આશ્રય કરનારી તથા પરંપરાગત એવી કેટલીક જિનવાણીને રંકની જેમ યથામતિ એકઠી કરીને તેની અંદર ભકિતના બળથી અર્પણ કરેલી અનિમળ અને અપ એવી મતિશકિતવ શાંત વૈરાગ્ય રસની ઈચ્છાથી આ એક વૈરાગ્યમાર્ગની પગદંડીરૂપ ગ્રંથના મેં કરી છે. પ. ૬. ૭.
વિવેચન—જિનવચન સમુદ્ર સમાન ગંભીર–ઉડા છે, તેને મંદ મતિ પાર પામી શકતા નથી. વિશાળ બુદ્ધિબળ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા મહામતિ વંત પર તે તેને રાખે પાર પામી શકે છે. એજ વાત શાસ્ત્રકાર બતાવે છે. જિ. નવચનના પારને પામેલા અનેક ચતુર્દશ પૂર્વધારી મહામતિવંત, શાસ્ત્ર પ્રતિબદ્ધ કાવ્ય રચનામાં કુશળ એટલે શબ્દાર્થ દોષ રહિત કાવ્ય કરનારા શ્રેષ્ઠ કવિઓએ વૈરાગ્ય રસને ઉત્પન્ન કરી શકે એવી અનેક શાસ્ત્રરચના મારા પહેલાંથી જ કરેલી છે. તે મહામતિવંત સકવિઓએ જે જે વૈરાગ્ય રસ પિષક શાસ્ત્રરચનાઓ કરેલી છે તેમાંથી નીકળેલી શ્રુતથાનુસારી પ્રધાન અર્થ પ્રતિબદ્ધ કેટલીક વાણી જેનું ચાદપૂર્વધરે અને એકાદશઅંગરો એવા ગણધરશિએ દહન કરેલું છે તેને રંકની પેરે એકઠી કરીને ઉક્ત શ્રુતવાણીના અવયવે જેમના દ્વારા પ્રાપ્ત થયા છે તે મહાશયે પ્રત્યે અથવા તે શતવા પ્રત્યે જે ભક્તિભાવ––તે ભક્તિના બળ વડે પ્રારે થયેલી જે અપ અને અનિમેળ સ્વમતિ શક્તિ—તે શક્તિ પ્રશમપ્રત્યે અત્યંત પ્રેમ જાગૃત થયેલ હોવાથી આ વૈરાગ્ય યુક્ત ગ્રંથ રચના કરવામાં આવી છે. મતલબ કે પૂર્વ મહાશે અને તેમની શાસ્ત્રવાણી પ્રત્યેને ભક્તિભાવ મારી મતિશક્તિને પ્રોત્સાહિત કરે છે. તે તેમજ પ્રશમ પ્રત્યે પ્રેમભાવ એ આ ગ્રંથ રચનાના હેતુ છે. પ-૬-૭
આવી રીતે પ્રાપ્ત થયેલા શતવાણીના અવયવે એકઠા કરીને કરેલી આ ગ્રંથ રચના સજજનોને કેમ માન્ય થશે ? તેને ગ્રંથકાર જાતે જ ખુલાસો કરે છે–
यद्यप्यवगीतार्था, न वा कोरप्रकृष्टनावार्था ।
सनिस्तथापि मध्यनुकम्पैकरसैरनुग्राह्यम् ।। ७॥ શબ્દાર્થ-જે કે આમાં પ્રબળ યુક્તિઓ અને અતિ ગંભીર ભાવાર્થ નથી તે પણ અનુકંપાશીલ રાજજન પુરૂએ મારા ઉપર અનુગ્રહ કર. ૮.
વિવેચનઆ ગ્રંથ રચનામાં વિસ્તાર અર્થે મૂકી દેવામાં આવ્યા છે તે એ
For Private And Personal Use Only