SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધ . ૨૬૯ શકતા નહીં, તેથી તે ચતુર કુમાર સ્તંભનેજ લક્ષ કરીને કીડા કરતા હતા. વેણીમાંથી પડતા પુષ્પથી પણ અધિક ત્વરાના આવેશથી સામાન્ય રીતે પાદન્યાસ કરતા તે કુમારના પૂર્વ પશ્ચાત્ પાદના ક્રમને કાઇ જાણી શકતુ' નહીં, ધનુર્વિદ્યાના અખાડા(શાળા)માં ડાબા જમણા મ`ડળે કરીને કીડા કરતાં તે કુમારના અગને શ્રમ, સ્નેક કે શ્વાસોશ્વાસ કાઇપણુ દેખાતાં નહીં, વૈવિદ્યાના અભ્યાસમાં તે ચૈધ્ધા ખણુવડે કરીને અવેાના નિરસ નખને તથા પાડાઓની ત્વચાઓને વીંધી નાખતા હતા. જેનુ લેવુ, સાંધવુ, ખે‘ચવું અને મવુ' એ કોઇ જાણી શકતુ' નહીં,એવા ખાણેએ કરીને દૂર રહેલા, ચલિત, સૂમ અને દૃઢ એવા લક્ષ્યો (નિશાન)ને તે વીંધતા હતા. તે સર્વે પ્રકારના દુષ્કર ચિત્રા (વ્યૂહ)ને વિષે દુર હતા. તેને બધા રાજાએ ધનુર્ધારીમાં ધુર ંધર કહેતા હતા,તેના બન્ને હાથ ઉપર હૃદયમાં ખાધેલા શાયરૂપી ગજેન્દ્રની એ મદ્યરેખા જેવી કાળી પ્રત્ય’ચાના અકની શ્રેણીએ શેાભતી હતી. ચંચળ અશ્વેમાં કુંપાયમાન થતા તે રાજકુમાર તર`ગોમાં સૂર્યના પ્રતિબિંબની જેમ શેલતા હતા. વાદળાંની સાથે વાયુની જેમ તે કુમાર આમ તેમ ચલાવેલા પાછા વાળેલા અને દોડાવેલા હાથીઓની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા હતા. ઉરૂને દુખાવીને, ગ્રીવાને પીડા કરતા તે મદોન્મત્ત હાથીને પણ પેાતાની મરજી પ્રમાણે ચલાવતા હતા. આ પ્રમાણે સમગ્ર કળાના આશ્લેષથી વિશેષ સુંદર આકૃતિવાળા ચદ્રન્દર કુમાર યુવાન થઇને પણું ચંદ્રની ઉપમાને પામ્યા, ત્યારપછી રાજાએ તે કુમારને રાજનીતિ શીખવવા માટે સદ્ધર્મમાં ગતિરૂપ સારવાળા અને નીતિશાસ્રમાં કુશળ એવા મતિસાર નામના મ’ત્રીને સોંપ્યા. દાંતની કાંતિએ કરીને મત્રીની દાઢીના કેશને અત્યત ગાઢ કરતા તે કુમાર, મંત્રીની પાસે પેાતાની વાણીને નચાવવા લાગ્યા. તેથી તે ખેલ્યું કે હું વત્સ ! હુ' તમને જે ઢાંઇ શીખવુ', તે સૂર્યને ઉજ્જવલ કરવા જેવુ છે. તેપણુ રાક્ષની આજ્ઞા અનુલ્લ ધ્ય છે તેથી હું કાંઈક આવું છું'. જેમ પરલેકની લક્ષ્મીની વૃદ્ધિ કરનાર જિનભાષિત ધર્મ છે, તેમ આ લેાકની લક્ષ્મીની અત્યંત વૃદ્ધિ કરનાર નીતિશાસ્ત્ર છે. રાજાએ ધ મેં જેમ મનેરથાને પૂર્ણ કરે છે તેમ સેવકના મનોરથ પૂર્ણ કરવા જોઇએ, અને પાપ જેમ અનેક પ્રકારના કષ્ટ આપે છે તેમ તેમને દુઃખ આપવું ન જોઇએ. કલ્પવૃક્ષ પ્રાયિંત વસ્તુને વેગે આપે છે અને ધર્મ અપ્રાર્થિત વસ્તુને ચિરકાળે આપે છે, ૫રંતુ રાજા તે પ્રાર્થિત વસ્તુને તત્કાળ આપે છે. રાજાએ લક્ષ્મીને વિષે અને સ્ત્રીએ ૧ દાંતની કાંતિ શ્વેત અને વૃદ્ધપણાને લીધે દાઢીના કશું પણ શ્વેત તેથી તેની ગાઢતા થઇ, આવી મ`ત્રીનું' ધૃહત્વ પ્રગટ થાય છે. For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy