________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રનેત્તર રત્નમાળા.
૧૯૭
બેનુ' જયાં મિશ્રણ થાય છે ત્યાં આ શરીરની ઉત્પત્તિ થાય છે.. પાછું પશુ તે શરીર માતાએ ભક્ષણ કરીને રસરૂપે પરિણુમાવેલા અને અશુચિરૂપ થયેલા પદાથીજ પ્રતિદિન પાષાય છે. આવી રીતે અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાખનારા અશુચિમય દેહને જળ પ્રમુખથી શુદ્ધ કરવુ જોઇએ, એવા આકરા ભ્રમ કેવળ મૂઢ પુરૂષનેજ હાવેા ઘટે છે, તત્ત્વજ્ઞને એવા ભ્રમ હોઇ શકતાજ નથી. આ અશુચિમય દેહમાં કર્મવશાત્ વ્યાપી રહેલુ* ચેતન–રત્ન યુક્તિથી કાઢી સમતા રસમાં ભેળી સાફ કરી લેવું જરૂરનું છે. કહ્યું છે કે - જે સમતા રસના કુંડમાં સ્નાન કરીને પાપરૂપી મળને ધોઇ નાખી, ફરી મલીનતાને પામતાજ નથી તે અંતર આત્માજ પરમ પવિત્ર છે. ’ આ અશુચિમય દેહમાંથી ઉપર કહેલી આગમયુક્તિથી આત્મતત્ત્વ સાધી લેવાનીજ જરૂર છે, પછી પુનર્જન્મ મરણની ભીતિ રાખવાનું' કઇ પણ કારણુ નથી.
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. ચિ પુરૂષ જે વર્જિત સાયા—જે મેહ માયા રહિત નિર્માયી– નિષ્કપટી -નિર્દેભી છે તેજ ખરા પવિત્ર પુરૂષ છે, માહુ માયાવšજ જીવ મલીન થયેલા છે. તે મેહુમાયા ટાળવાના ખરો ઉપાય આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણુરૂપ ચારિત્ર છે. પાયા વિનાની ઇમારતની પેરે તત્ત્વજ્ઞાન અને તત્ત્વશ્રદ્ધા વિનાની લેાકરજન અર્થે પૂજાવા મનાવા અર્થે અથવા સ્વદેષ છૂપાવવા અર્થે આડંબરરૂપે કરવામાં આવતી માયામય ધર્મકરણી કંઈ પણ હિતરૂપ થતી નથી; માટે પ્રથમ આત્માની ઉન્નતિમાં કેવળ અતરાયરૂપ એવી મેહુમાયાને પરિહરવા પૂરતા પ્રયત્ન સેવવા જોઇએ. આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા ચેાગે તે પ્રયત્ન સફળ થાય છે. સરલાશય નિર્માથી જ કલ્યાણ થઈ શકે છે. ' જેની મન વચન અને કાયાની પ્રવૃત્તિ સરલ–માયારહિત છે તેજ પ્રભુની પવિત્ર આજ્ઞાને આરાધી અક્ષય સુખ સાધી શકે છે; તેથી જેમને જન્મમરણનાં અન’ત દુઃખથી ત્રાસ લાગતા હોય અને અક્ષય અનંત એવાં નિર્ભય મેાક્ષસુખની ખરી ચાહના હાય તેમણે માયા-કપટ તજી નિષ્કપટ વૃત્તિ આદરવા પૂરતી કાળજી રાખવી જરૂરની છે. ઉડ્ડયરત્ન કહે છે કે ‘ મુક્તિપુરી જાવા તણા જીરે, એ મારગ છે શુદ્ધુ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. જેમ કાજળથી ચિત્ર કાળુ થઈ જાય છે, તેમ માયાથી ચારિત્ર મલીન થઇ ાય છે. એમ સમજી શાણા આત્માથી જતે એ મેહુમાયાના સર્વથા ત્યાગ કરવા પૂરતું લક્ષ રાખવું.
૧૦૯ સુધા સમાન અધ્યાતમ વાણી—અધ્યાત્મશાસ્ત્રના ઉપદેશ અમૃત સમાન કહ્યા છે. તેથી પ્રગટ આત્મામાં પરમશાંતિ અનુભવાય છે અને અનુક્રમે મેક્ષસુખની પ્રાપ્તિ થઇ શકે છે. અધ્યાત્મ માર્ગ બતાવે તે અધ્યાત્મ વચન છે, જે
For Private And Personal Use Only