________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર તે વિવરણ.
૬૭
નજરે દેખાય છે, તા પછી તે પાંચે ઇન્દ્રિયાના પ્રમળ વિકારને વશ થયેલા પામર પ્રાણીઓનુ` તે કહેવું જ શું !
પ્રશમરતિકારે આ બાબતમાં બહુ સારા ઉલ્લેખ કરી બતાવ્યા છે તે આ પ્રમાણે—“ મનેાહુર અને મધુર એવી ગાંધવની વીણા અને સ્ત્રીએના આભૂષણુના અવાજ વિગેરેથી શ્રાતૃઇન્દ્રિયમાં લીન હૃદયવાળા જીવ હરણની પેરે વિનાશને પામે છે. ગતિ, વિલાસ, ઇંગિત, આકાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિલ થયેલા અને વિચિત્ર રૂપમાં લીન ચક્ષવાળા જીવ પતંગની જેમ પરવશ થઇ પ્રાણ તજે છે. સ્નાન, વિલેપન, ગ'ધવટ્ટી, વણુક (રંગ), ધૂપ, ખુશબેા તથા પટવાસવડે કરીને ગધમિત મનવાળા પ્રાણી મધુકરની પેરે વિનાશ પામે છે. મિષ્ટાન્ન, પાન, માંસ, એન્નુન આદિ મધુર રસના વિષયમાં વૃદ્ધ થયેલા આત્મા ગર્લ ચત્રમાં ફાંસાથી વિંધાયેલા માછલાની પેઠે વિનાશને પામે છે. શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, સ્નાન અને અનુલેપનમાં આસક્ત થયેલે મૂઢાત્મા સ્પર્શ ઈંદ્રિયના વિષયમાં મુઝાઇને ગજેંદ્રની પેરે બંધનને પામે છે, એવી રીતે જેમની શિષ્ટ જનાને ઈષ્ટ એવી દષ્ટિ અને ચેષ્ટા પ્રણષ્ટ થઇ છે. એવા ઇન્દ્રિયાને પરવશ પડેલા પ્રાણીઓના અનેક દોષો બહુ રીતે ખાધાકારી થાય છે. અકેક અકેક ઇન્દ્રિયની વિષયાસક્તિથી રાગદ્વેષાતુર થયેલા તે પ્રાણીઓ વિનાશને પામ્યા છે, તે પછી પાંચે ઇન્દ્રિયાના વિષયાને પરવશ પડેલા મેકળા માનવીનુ' તે કહેવુ જ શુ' ! એવા કોઇ ઇંદ્રિયના વિષય નથી કે જેના ચિર પરિચયધી નિત્ય તરશી અને અનેક માગે ધાવતી ઇંદ્રિયેા તૃપ્તિને પામી શકે. કા * શુભ વિષય પણ પરિણામવત્ પાછે અશુભ થાય છે, અને કોઇ એક વિષય અશુભ છતાં પણ કાળાંતરે પાછે શુભ થાય છે. કારણવશે જેમ અને ત્યાં જે જે પ્રયેાજન ઉત્પન્ન થાય છે, તેવી રીતે ત્યાં તે વિષય શુભ અથવા અશુભ કહેવાય છે. અનેરાઓને જે વિષય પેાતાના અભિપ્રાયથી તુષ્ટિકારી હાય છે તે વિષયને મતિ તરંગમાં ઝીલતા ખીન્ન બહુ ધિક્કારે છે. તેજ વિષયને ધિક્કારનાર અને તે વિષયાને અત્યંત આદર આપનારને નિશ્ચયથી કાંઇ પણ ઇંટ કે અનિષ્ટ સભવતું નથી. રાગદ્વેષથી પરાભવ પામેલા જીવને કેવળ કખ ધ થાય છે, પણ આલેક કે પરલોકમાં કલ્યાણકારી થાય એવા અલ્પ પણ ગુણુ થતે નથી. જે ઇન્દ્રિયના વિષયમાં શુભ કે અશુભ ભાવ સ્થાપન કરે છે તે રાગયુક્ત અથવા દ્વેષયુક્ત હાવાથી તેને બધનકારી થાયછે. તેલથી ખરડેલા શરીરવાળાનુ' ગાત્ર જેમ ધૂળથી ખરડાય છે તેમ રાગદ્વેષથી અત્યંત ખરડાયેલાને કર્મબંધ થાય છે.'’
સ્વ
અધ્યાત્મવેદી શ્રી ચિદાન દજી મહારાજે પણ આપણી અનિગ્રહીત ઇન્દ્રિયાના નિગ્રહુ કરવા અને જેમ બને તેમ વિષયવાસનાને હુડાવી કાઢવા એક લલિત પદ્મવડે સુંદર બેધ આપેલો છે. યતઃ
For Private And Personal Use Only