SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર અષ્ટાકરણ ચિત્તનું પણ નિયંત્રણ કરવા ઉપયોગી છે. આસન જસ્ટથી શરીરમાં ઉત્પન્ન થયેલા વિષમ વ્યાધિઓ પણ નષ્ટ થઈ જાય છે. વિવિધ વાયુને જય કરી મનને સ્થિર કરવા પ્રાણાયામ કરવામાં આવે છે. તેમાં જે રેચક, પૂરક અને કુંભ વડે વાયુને જય કરવામાં આવે તે દ્રવ્યપ્રાણાયામ અને મનની મલીનતા દૂર કરી શુદ્ધ - ધ્યવસાય વેગે જે ચિત્તની શુદ્ધિ કરવામાં આવે તે ભાવપ્રાણાયામ કહેવાય છે. જેના વડે સ્વેચ્છા વડે વિવિધ વિષયમાં પરિભ્રમણ કરતી ઈદ્રિને સારી રી નિગ્રહ કરી શકાય તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. જેથી કઈક ધ્યેય પદાર્થમાં ચિતને રિથર બાંધી રખાય તે ધારણું કહેવાય છે. કોઈ ધ્યેયાદિક પદાર્થની એકાકારપ્રતીતિ થવી તે ધ્યાન કહેવાય છે. અને ધ્યાતા એય તથા દયાનની એકતા થઈ જવી તે સમાધિ અથવા સમાપત્તિ કહેવાય છે. આવી રીતે સંક્ષેપથી અષ્ટાંગયોગનું સ્વરૂપ કહેલું છે. તેનું વિશેષ સ્વરૂપ તે પૂર્વ આચાર્ય કૃત રોગ - થથી સ્પષ્ટ થઈ શકશે. પરંતુ ઉપલી હકીકત વાંચવાથી એટલુ તે લક્ષમાં આવી શકશે કે ગાભ્યાસીને ગારૂઢ થતા સુધી બાદિયાની પણ જરૂર પડે છે. જે બાહ્ય ક્રિયાને સર્વથા અનાદર કરવામાં આવે તે ઉપર કહેલા ગાભ્યાસને કુલ સચવાય નહિ. અને એ કમ સાચવ્યા વિના સર્વ ગની સિદ્ધિ થઈ શકે નહિ. તેથી ગારૂઢ થતા સુધી તે બાહ્યકિયાની આસેવના કરવાની અવશ્ય જરૂર પડે છે. ગરૂઢ થયા બાદ અર્થાત્ સર્વ ગની સ્થિરતા સિદ્ધ થયા બાદ કેવળ અંતર્ગત કિયા-આંતરલક્ષ પૂર્વક સમગુણના સેવનથી જ આત્મશુદ્ધિ થઈ શકે છે, પરંતુ આ હદ પામવી ઘણું દુર્લભ છે. આત્મવંચક જનોને તે તે અસાધ્ય છે, પણ આત્માથી જનેને તે પ્રયત્ન સાધ્ય છે. માટે એવી ઉંચી હદ પ્રાપ્ત થતાં સુધી તે હદે પહોંચવાને રાજમાર્ગ તજ નહિ. દરેક યોગાભ્યાસીએ યોગ માર્ગનું અનુસેવન કરતાં જરૂર જેટલી બાહ્યક્રિયા પણ રૂચિ પૂર્વક સેવવી જોઈએ. પછી અનુક્રમે કેગ સિદ્ધિ થયા બાદ બાહ્ય ક્રિયાની જરૂર રહેશે નહિ. એટલું જ નહિ પરંતુ છેવટ નિર્વિકલ્પ ત્યાગ પ્રાપ્ત થતાં સર્વ વિક૯૫ માત્ર અને ક્રિયા માત્ર પણ સ્વતઃ શાંત થઈ જશે. ! યતઃ– “નિર્વિલે પુના , ન વિવાહપ ન વાજિયા અર્થાત સાયક-અથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થયા પછી કંઈ પણ વિકલ૫ કે ક્રિયાની જરૂર રહેતી નથી. ગાભ્યાસીને માટે ઉપલે કમ બતાવી હવે ગ્રંથકાર શમગુણ પ્રાપ્તિનાં કારણ કથતા સતા તેથી કેવા અપૂર્વ ફાયદા થાય છે તે બતાવે છે. " અપૂર્ણ For Private And Personal Use Only
SR No.533295
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy