SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શ્રી જનધર્મ પ્રકાશ. શ્રી સંઘે નિર્ણય કર્યો. જેમાંથી ૮ બિંબને માટે આદેશ પ્રથમ ચેતર શુદ અમે અપાયા હતા. બાકીના બિંબને માટે આદેશ આપવાની વાત ચાલતાં મૂળના યકછ માટે રૂ.૪૦૦૧) થી શા ત્રીભુવનદાસ ભાણજી કાપડીઆને આદેશ આપવામાં આવ્યો. તે સાથે તેમણે નવકારશીના સ્વામિવાળમાં રૂ.૧૦૦૧) આપવા વિચાર જણાવ્યો. ત્યારબાદ બીજા પ્રતિમાજીઓના ક્રમે ક્રમે આદેશ અપાયું જેમાં પુંડરિકછના દેરાસરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીને મૂળનાયક તરિકે પધરાવવાનો રૂ.૧૦૦૧ થી આદેશ અપાય. ચારે મુખ્ય શિખર ઉપર તેમજ બીજા ઘુમટ ઉપર ધ્વજાદંડને કળશે ચડાવવાના આદેશ અપાયા જેમાં એકંદર રૂ.૧૪૭૨૫) ઉપજ્યા. વૈશાખ શુદિ ૮ મે વિધિપૂર્વક કુવામાંથી જળ લેવામાં આવ્યું અને ૧૦૮ વીલડા કરાવીને નદીમાંથી પણ વિધિ સાથે જળ મંગાવ્યું. આવતી કાલે મહોત્સવની શરૂઆત થવાની હોવાથી કુંભસ્થાપન કરવાના અને મેરૂ શિખર ઉપર જુદી જુદી ૧૩ દેરીઓમાં ૧૬ જિનબિંબ પધરાવવાના આદેશ અપાયું. મંડપ પણ તૈયાર થઈ ગયો. આ મંડપ એ સુશોભિત રચવામાં આવ્યો હતો કે તેનું વર્ણન કરતાં કેટલાક પૃ ભરાઈ શકે. ભાવનગરમાં પ્રથમ ઘણું મહત્યા થઈ ગયા છે અને અન્યત્ર પણ ઘણી જગ્યાએ એવા મંડપે જોવામાં આવ્યા છે પરંતુ આ મંડપ તે સર્વેમાં ઉત્કૃષ્ટ ભાવાળો બન્યો હતો. નાની મોટી ૬૧ કમાનો ચિરંસ સ્થભવડે બનાવવામાં આવી હતી. મેરૂ પર્વત ફરતા મંડપને તે તમામ સેનેરી બનાવવામાં આવ્યો હતો. મંડપની અંદર ચીની કામ પુષ્કળ બાંધવામાં આવ્યું હતું. નાના મોટા ૨૫ ઝુમરે બાંધ્યા હતા. બાકી હાંડી ગેળા અને વાલશે તો સંખ્યાબંધ હતા. આખા મંડપમાં ઉપરના ભાગમાં ફરતા એક સરખી સાઈઝના સુમારે ૭૦૦ ઉપરાંત કાચે બાંધ્યા હતા. મોટા જંગી કાવડે મંડપને ભાવી દીધો હતો. રોશની વખતે આખો મંડપ જળહળી રહેતો હતો. કાગળના કૃત્રિમ હારેની શેડે સળંગ ફરતી ને અંદર તરફ બાંધી દીધી હતી તે સાચા ફુલના હારને પણ ભૂલાવી દેતી હતી. ઝીણું ગોળાના તોરણીઆ આખા મંડપમાં ખૂલી રહ્યા હતા. આવા સુશોભિત મંડપને માટે જોવા આવનાર તમામ દષ્ટાએ એક અવાજે વખાણ કરતા હતા. ડેલીની બહાર પણ એક નાનો સરખે મંડપ બાંધી દૂરથી પ્રેક્ષકોના દિલ આકર્ષાય તેમ કરવામાં આવ્યું હતું. શહેરમાંથી ત્યાં જવાના માર્ગને વાવટા અને તારણથી શોભાવી દીદ્યો For Private And Personal Use Only
SR No.533218
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy