________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધસત્તી, જિનમંદિર કરાવનારના કરતાં પણ બ્રહ્મવત ધારણ કરનારને વધારે પુન્ય થાય છે. વળી કહે છે કે –
सीलं कुल आहरणं, सीलं रुवं च उत्तम होइ । सीलं चिय पंडिच, सीलं चिय निरुवम धम्मं ॥ ५७ ॥
અર્થ–શાળ કુળના આભરણ સમાન છે, શીળ તેજ ઉત્તમ રૂપ છે, શીળ તેજ પાંડિત્ય છે અને શીળ તેજ નિરૂપમ ધર્મ છે. પ૭,
ભાવાર્થ–શીયળવંત પુરૂષવડે આખું કુળ શોભે છે તેથી શીયળ તેજ આભરણુ તુલ્ય છે. શીયળવંતને આભરણની કાંઈ જરૂર નથી. અને ઉત્તમરૂપ તે પણ શીયળજ છે. કોઈ સ્ત્રી ગમે તેવી રૂપવંત હોય પણ જે કુલટા હોય તો તેનું રૂપ કાંઈ કામનું નથી એટલું જ નહીં પણ ઉલટું તેની નિંદાનું કરાવનાર છે માટે વાસ્તવીક રૂપો શીયળજ છે; શીયળવંત સ્ત્રી કે પુરૂષ ઓછા રૂપવાળાં હોય તો પણ તે શોભાને પામે છે. વળી ખરી પંડિતાઈ તે પણ શીયળજ છે કેમકે શીયળ રહિત પુરૂષ ગમે તેવી પંડિતાઈ ધરાવતે હોય તો પણ તે મિથ્યા છે, શીયળવંત પુરૂષને વિષેજ પાંડિત્ય શોભે છે, અને નિરૂપમ ધર્મ તે પણ શીયળ જ છે. ધર્મના સર્વ પ્રકારમાં શીયળધર્મ સવોત્કૃષ્ટ છે તેની ઉપમા જેવો બીજો ધર્મ નથી, કહ્યું છે કે “ચોથા ઘનને સમુદ્રની ઉપમા, બીજ નદીઓ સમાન” આ પ્રમાણે હોવાથી ધર્માભિલાપી દરેક પ્રાણીઓ શીયળ ધર્મ અંગીકાર કરવાની જરૂર છે. શીયળવંત પુરૂષ બહુજ શોભાને પામે છે. શ્રી ગૌતમ કુળક પ્રકરણમાં કહ્યું છે કે
મમળો તો કંથારો ” અર્થાત “બ્રહ્મચારી પુરૂષ ભૂષણ રહિત શેભે છે” ઉત્તમ પુરૂષો શીયળ પાળવામાં અત્યંત તત્પર હોય છે. રાજાની રાણ મળી જાય તો પણ તેનું મન લગાર માત્ર શિથિલતા ધારણ કરતું નથી એટલું જ નહી પણ એવા ઉચ્ચ સાંસારિક સુખની પ્રાપ્તિ સાથે તેની ના કહેવાથી પ્રાણનો નાશ થવા આવે તો પણ પ્રાણુ નાશ કરતાં શીયળ ગુણને વિશેષ સમજી તેનું પ્રતિપાલન કરવા માટે મૃત્યુની પણ રામુખ થઈ જાય છે.
ચંપા નામની નગરીમાં દધિવાહન નામે રાજાની અભયા નામે રાણી હતી તે નગરીમાં સુદર્શન નામે શેઠ વસતા હતા. તેને દેવાંગના સરખી મરમાં નામે સ્ત્રી હતી અને પાંચ પુત્રો હતા. એકદા સુદર્શન શેઠનું રૂપ જોઈને અભયારાણી અનુરાગિણું થઈ ત્યારે શેઠને બોલાવવા માટે તેણે
For Private And Personal Use Only