SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ શ્રીજેનધર્મ પ્રકાશ. આવ્યો તે તટાકના કિનારા પ્રત્યે મને મુકો. કુંવરની એ પ્રમાણેની ઇરછાથી વ્યંતર પતિએ તેને રૂપ પરાવર્તની ગુટિકા આપીને તે સરોવરને તીરે શિધ્ર મેવ મુકે. જ્યારે કુંવર તે સરોવરના તીરે આવ્યો કે તરતજ પિતાને પરમ મિત્ર જે દુર્જયરાજા તેને મેળાપની ઇરછા થી આગળ પ્રયાણ કરવા માંડયું. તેવામાં સરોવરના કાંડાની સમીપ ભાગે આવતો દુજયરાજાના સુભટને જોયા. તે સુભટ પણ કુંવરને જોઈ અત્યંત હપભેર પ્રણામ કરી પુછવા લાગ્યું કે હે વામિન! “પીપતિ કયાં છે"! કુંવરે કહ્યું “હું ભુપતિ વિષે કાંઈ પણ જાણતા નથી.” કુંવરનાં આવા વચન સાંભળી તે સુભટ અત્યંત શકાતુર થઈ કહેવા લાગ્યો કે “આપને લઈને જ્યારે તે હસ્તી આ સરોવરને વિષે ચાલ્યો કે તરતજ દુર્જયરાજાએ હાહાકાર શબ્દ કરી આપને છોડાવવા સારૂ આપની પુંઠે સરોવરને વિષે પૃપાપાત , અને તે પછી હજી સુધી તેની કાંઈપણ શધ લાગી નથી તેથી અમે આ સરોવરને તીરે આવીને રહ્યા છીએ''. આ વાત સાંભળી કુંવર અત્યંત વિલાપ કરવા લાગ્યું કે અહો મારે વાતે મારા મિત્રને કે દુખ સહન કરવું પડયું. ધન્ય છે એવા મિત્રને કે જે સંકટ સમયે સહાયભુત થઈ પડે છે. મિત્રાઈ તે દુધને પાણીની સદશજ પાળવી જોઇએ, કારણ કે એના મિત્ર તેજ મિત્ર રન ગણાય છે. કેટલાએક વાર્થી મિત્ર પિતાને સ્વાર્થ સધાય ત્યાં સુધી ઉપર ઉપરથી પ્રતિ બતાવે છે અને વાર્થ થઈ રહ્યા પછી બીલકુલ પીછાન પણ રાખતા નથી. કોઈ કોઈ સાને બે, કોઈ કોઈ સી સારી હોવાને લીધે, અને કોઈ કોઈ ઉદર પિષણાર્થે પ્રીતિ બાંધે છે પણ તે ખરા મિત્ર ગણાતા નથી, પરંતુ જે દુખને વખતે જ ખરેખરી પ્રીતિ જાળવી રાખે છે તેજ મિત્ર ગણાય છે. માટે હું પણ ફરી સરોવરને વિષે પડી વ્યંતરદ્રને મારા મિત્રની હકીકત પુછું, એમ For Private And Personal Use Only
SR No.533010
Book TitleJain Dharm Prakash 1885 Pustak 001 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1885
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy