________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષઃ ૪ અંક ૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૫).
[૧૭ શોકાંજલિ શાહ હર્ષદરાય હીરાલાલ - ભાવનગરવાળા હાલ મુંબઈ ઉ.વ.૭૫ મુંબઈ મુકામે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામેલ છે. તેઓશ્રીની ભાવના અનુસાર તેમના દેહનું દેહદાન તથા ચક્ષુદાન કરવામાં આવેલ છે.
તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. સભા પ્રત્યે તેઓશ્રી અત્યંત લાગણી ધરાવતા હતા. તેમ જ સભા આયોજિત યાત્રા પ્રવાસનો અમૂલ્ય લ્હાવો લેવાનું ચૂકતા નહિ.
તેઓશ્રીના દુઃખદ અવસાનથી તેમના કુટુંબ પર આવી પડેલ દુઃખમાં આ સભા સમવેદના પ્રગટ કરે છે. સાથે સાથે સદ્ગતના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે.
_લિ. શ્રી જૈન આત્માનંદ સભા -- ભાવનગર.
શોકાંજલિ સભાના સભ્યશ્રી ધીરજલાલ બી. શાહ - મુંબઈવાળાના ધર્મપત્ની વિમળાબેન ધીરજલાલ શાહ ઉ.વ. ૭૬, તા.૧૬-૮-૦૪ ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે
સદ્ગત વિમળાબેન સ્વ. માવજીભાઈ દામજીભાઈ શાહ ધાર્મિક શિક્ષકશ્રીના પુત્રી હતા. તેઓશ્રી ધર્માનુરાગી અને નિખાલસ સ્વભાવના કારણે તેમના પરિવારમાં આદરભર્યું સ્થાન ધરાવતા હતા.
તેમના આત્મશ્રેયાર્થે રૂ-૫૦૧ આ સભાને સભાના નિભાવ ફંડ માટે રોકડા મળ્યા છે. તેનો સાભાર સ્વીકાર સભા વતી સદ્ગતશ્રીના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી વીર પ્રભુને પ્રાર્થના.
લિ. શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગર,
નમ્ર અપીલ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગરના માનવંતા પેટ્રન મેમ્બરશ્રીઓ તથા આજીવન સભ્યશ્રીઓ.
આ અંકમાં સભાના ગત વર્ષના વાર્ષિક હિસાબો [આવક-જાવક તથા પાકું સરવૈયું પ્રગટ કરવામાં આવેલ છે. આપશ્રી જોઈ–સમજી શકશો કે સભા પાસે અત્યંત ટૂંકી મુડી છે. હમણાં સુધીના બેન્કોના વ્યાજના દર અને હવે પછીના વ્યાજના દરોમાં ઘણો જ મોટો તફાવત આવેલ છે. જેના કારણે સંસ્થાના નિભાવમાં ઘણી જ તકલીફ પડે છે.
આથી આપ સૌને નમ્ર વિનંતી કે સભાનું સુવ્યવસ્થિત સંચાલન કરી શકાય તે માટે યથાશક્તિ ભેટ-દાન મોકલશોજી. તેવી આપ સૌ પાસે આ સંસ્થા અપેક્ષા રાખે છે.
શ્રી જૈન આત્માનંદ સભાના વ્યવસ્થાપકો.
For Private And Personal Use Only