________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીજી
( લેખક : રાયચંદ મગનલાલ શાહ )
********
********************
લગભગ ૧૨૦૦ વરસ પહેલાની વાત છે. આપણા દેશમાં જ્ઞાન અને જ્ઞાનીઓથી, સંતે અને ઋષિજનાથી અધ્યાત્મ પ્રેમીએ વિદ્વાન અને પડીતેથી આ દેશની કીર્તિં—ગૌરવ જગતમાં ગાજતી હતી. ધન કરતાં ધર્મની કીંમત ઘણી વધુ હતી. ધમી નાનુ, જ્ઞાનીઓનુ' અને સંત મહાત્માઓનું સન્માન થતુ. અને પૂજા થતી-પ્રજાનુ' મસ્તક ઉન્નત રહેતું. આવા એક સમયમાં વિ. સં. ૮૦૦ના ભાદરવા શુદિ ૧૩ના મગળ દિને પરમ પ્રભાવક આચાર્ય. ભગવતશ્રી બપ્પભટ્ટસૂરિના જન્મ યેા હતેા.
ર
કેટલાક ઐતિહાસિક પુરાવા અનુસાર શ્રી પ્રભા વક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, બપ્પભટ્ટસૂરિ ચરિત્ર જેવા ગ્રંથાના આધારે ખાત્રી થાય છે કે બનાસકાંડામાં “ ધાનેરા ” પાસે આવેલા “ ુવા” નામનું એક નાનુ ગામડુ હાલમાં છે. જ્યાં સપ્રતિ રાજાના સમયની મહા ચમત્કારિક શ્રી અમીજરા પાર્શ્વનાથની પ્રતિમા જેમાં ખીરાજમાન છે. એવુ એક ભવ્ય જિન મંદીર આવેલુ છે. ભૂતકાળમાં જૈનોની સારી સ`ખ્યા આ નગરમાં હશે. કાળક્રમે હાલમાં બહુ
થોડી સખ્યા છે.
કે
ગામ નાનું છે પણ પૂરાતત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ આ સ્થાનનું મહત્ત્વ ઘણુ છે. કારણ જૈન ધર્મના એક મહાન યાતિર મહાજ્ઞાની પ્રભાવક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિધરજીનો જન્મ આ સ્થાનમાં થયા હતા.
એમના પિતાનું નામ “ અપ્પુ ” હતુ અને માતાનું નામ ભટ્ટી હતું. જાતે પાંચાલ વંશના ક્ષત્રિય હતા. દેવના જેવા તેજસ્વી હાવાથી બાળકનું નામ “સુરપાલ” પાડયું હતું. પુત્રના લક્ષણ
જાન્યુઆરી−૮૯]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***** 1944460000000000
પારણામાંથી વસ્તાય એમ સુરપાલનુ' બાળવયમાંથી જ બુદ્ધિ ચાતુર્ય, સૌથી વિશિષ્ટ પ્રકારનું જુદુજ તરી આવતુ. એના અસાધારણ ગુણાને લઇને બધાને બહુજ વ્હાલા થઈ પાયેા હતેા. એની વયના પ્રમાણમાં એનુ ડહાપત્રુ શાણપણ વિચારે અનેરા જ દેખાતા હૈાવાથી સર્વને આશ્ચય પમાડતા હતા જાણે કે પૂર્વના અનેક ભવાની સાધના કરેલ કોઇ સાધક આ બાળક દેખાતા હાય નહિં. !!
ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે એ કહેવત સાચી પડતી હોય એમ એક મહાપ્રભાવિક આચાય ભગવ'ત શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી આવી ચડયા. સુરપાળને આચાર્ય શ્રીના દર્શન થયા. જોતાંની સાથે જ મસ્તક ઝુકી પડ્યું'. અંતરમાં અનેરા પૂજ્ય ભાવ પ્રગટ થયા. એવીજ રીતે માળકને જોઈને એના લલાટનુ તેજ, પ્રભાવશાળી ગૌરવદન અને ખેલે તા અમીઝરે એવી મધુરવાણી પૂર્વ ભવના મહા પુણ્યશાળી આત્મા જોતાં જ આચાર્યશ્રીને પણ બાળક પ્રત્યે ભાવીમાં કઇ મહાન સિતારા શાસનના થઇ શકે એવા લક્ષણા જોયા અને પ્રેમ—વાસલ્ય
ઉભરાયું.
અને થયું પણ એવું જ કે આચાર્ય શ્રીની વૈરાગ્ય વાણી સાંભળતાં સાંભળતાં બાળકને સંયમ–ઢીક્ષા લેવાની ભાવના જાગી, ખસ ! મારે તે જૈન ધર્મની દીક્ષા અગીકાર કરવી છે. આ સંસારમાં રહેવુ નથી જ.
માત્ર સાત જ વરસની ઉંમરના ક્ષત્રીય કુળમાં જન્મેલો એકના એક પુત્ર મહા બુદ્ધિમાન મહાચતુર અને મહા તેજસ્વી બાળક સાધુને સોંપવાની જીગર કયા મા બાપની ચાલે ? તેમ છતાં બાળકના મનની દૃઢતા અને ગુરૂદેવનુ સમજાવવુ. એટલું જ નહીં જનતાના અભિપ્રાય કે આ બાળક આચાય
[૫૧
For Private And Personal Use Only