________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ લઈશું. અંતરના ઉમળકાથી આરાધના કરીશું.” અને પંડિતજી અટકયા. અમારી ટીકા-ટિપ્પણની જાણે અપેક્ષા હોય ! ત્યાં અમે બેલી ઉઠ્યા–“વાહ, પંડિતજી! સરસ કથા કડી. ધન્ય પિલા શિષ્ય ને ધન્ય એ ગુરૂ! જરૂર પર્યુષણમાં આપણે સૌ તપશ્ચર્યા ને આરાધના યથાશક્તિ કરી “જીભને સ્વાદમાં ને શબ્દમાં વશ રાખીશું. માત્ર આપની પ્રેરણું અને પુષ્ટિ અમને મળતી રહે.” એમ અમારું વક્તવ્ય પુરૂં કરીએ ન કરીએ ત્યાં તે વચ્ચે જ પંડિતજી ઉત્સાહથી બોલ્યા “વાહ શ્રદ્ધાળુ મિત્રે, તમારે પર્યુષણ પ્રત્યે આદર અને ધર્મ પ્રત્યે અનુરાગ પ્રશસ્ય છે. જરૂર આપણે સૌ સાથે મળી પર્યુષણ પર્વ ખૂબ આનંદથી-ઉભાડુથી ઉજવીશું. મારા તરફથી તમને વિધિ-વિધાન ને આરાધના અંગે બધું જ માર્ગદર્શન મળશે. આપણે પ્રતિવર્ષ જેમ શકય તપશ્ચર્યા, દર્શન-પૂજન, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, પૌષધ, ચૈત્યપરિપાટી, ખમત-ખામણ આદિ કરીશું ને પૂર્વ પ્રેમપૂર્વક ઉજવીશું” એમ કહેતા પંડિતજી ખૂબ ઉત્સાહમાં આવી ગયા. અને અમે એમને આભાર માની ધન્યવાદથી વધાવ્યા.
આમ કથા શ્રવણ અને ચર્ચા-વિચારણાના સંદર્ભમાં પરાધનાના ઉત્સાહમાં એક બે ઉત્સાહી મિત્રો બેલી ઊઠ્યાઃ તપથી ને ભક્તિથી જીભને અંકુશમાં રાખી સંયમની સીડી ચડીએ ને મુક્તિધામ પ્રતિ આ પવિત્ર પર્વનાં સહારે પ્રયાણ કરીએ. “જીભ છતી તેણે જગ જીત્યું ” એ કહેતીને પયુંષણની આરાધનાથી યથાર્થ કરીશું. ”
સામાયિક પૂરી થઈ અમે સૌ મિત્રો પર્યુષણ પર્વ રૂડી રીતે આરાધવા-ઉજવવાને સંક૯પ કરી વિખરાયા.
જ્ઞાનનો દીપક પ્રગટાવશે તે હતાશાને અંધકાર હટીને દિવાળી પ્રગટી રહેશે.
દરેક પ્રકારના
સ્ટીલ તથા વુડન ફર્નીચર માટે મહાલક્ષ્મી સ્ટીલ કોર્પોરેશન છે
શો રૂમ – ગોળ બજાર
ભાવનગર _ ફેન નં. 4525
આત્માનદ પ્રકાશ
For Private And Personal Use Only