SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આગ્રહનુ કારણ મને છે; જ્યારે “જકાર”ના સ્થાને “પણ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ વસ્તુના વ્યાપક સ્વરૂપને સ્વીકાર કરવાને કારણે સત્યને વધારે પ્રમાણમાં સ્પશે છે. દાખલા તરીકે એક વ્યક્તિ પિતા પણ હાઈ શકે અને પુત્ર પણ હાઈ શકે એના પુત્રની દૃષ્ટિએ એનામાં પિતાપણુ અને એના પિતાની દૃષ્ટિએ એનામાં પુત્રપશુ એમ પુત્ર પણા અને પતાપણાના એકબીજાથી વિરાધી લાગતા ધર્મના, જુદી જુદી અપેક્ષાએ, એક જ વ્યક્તિમાં સુમેળ સમન્વય થાય છે. વસ્તુસ્થિતિ આવી હેાવા છતાં જયારે કોઇ ક્તિને માટે એ કેવળ પિતા કે પુત્ર જ હાવાતુ' કહેવામાં આવે છે, ત્યારે એ કથન સર્વગ્રાહી સત્ય નહીં પણ આંશિક સત્ય ખની જાય છે. અને જયારે સત્ય સગ્રાહી મટીને આંશિક કે એકદેશીયમની જાય છે, ત્યારે એને સત્ય તરીકેના મહિમા નષ્ટ થઇ જાય છે, અને એનુ', વિષબિંદુ ભળેલા દૂધની જેમ, કોઇ મૂલ્ય કે મહત્ત્વ રહેવા પામતુ' નથી. દરેક વ્યક્તિ પાતે જે કંઇ કહે છે, એ અમુક અપેક્ષાએ જ કહેતી હૈાય છે. હવે જયારે એના કથનનુ' મૂલ્યાંકન, આપણે એની દૃષ્ટિને ધ્યાનમાં લીધા વગર જ, કેવળ આપણી બુદ્ધિના ગજથી કરવા જઇએ છીએ, ત્યારે આપણે સત્યને પામી શકતા નથી, એટલું જ નહી, ઊલટું આપણે ઘણનુ' નિમિત્ત ખની જઈએ છીએ ઢાલની અને બાજુએ જોવાનું કહેવામાં આવે છે, એના ભાવ એ જ છે કે આપણે પરિસ્થિતિને એના સમગ્રરૂપમાં નહી' તા છેવટે બને તેટલા વ્યાપક રૂપમાં સમજી શકીએ તેા અસત્ય અને ઘષ ણુથી ખેંચી જઈએ. એક ઢાલ અને એ ઘેાડેસવારના એક દાખલા આ વાત સમજવામાં ઉપયેગી થાય એવા છે એક નગરની બહાર એક પૂતળાના હાથમાં ઊંચે મોટી ઢાલ મૂકવામાં આવી હતી. એ ઢાલની એક બાજુ સાનેરી ઋને બીજી રૂપેરી રંગ કરવામાં આવ્યેા હતા. એક દિવસ ઘેાડેસવારો સામસામી દિશામાંથી ત્યાંથી પસાર બાજુ પર્યુષણ વિશેષાંક Acharya Shri Kailassagarsuri Gyanmandir થતા હતા. એકે ઢાલના ચ'દ્ર જેવા રૂપેરી ર‘ગનાં વખાણ કર્યાં; તે ખીજાએ કહ્યું, તારી આંખા અંધ જેવી બની ગઈ લાગે છે ! ઢાલ તા સોનેરી સૂરજની જેમ ચમકી રહી છે! પેલાએ સામે પ્રહાર કર્યાં કે આખા તા તારી નકામી થઈ ગઈ લાગે છે. ઢાલ તે કેવી મજાની ચ`દ્રમા જેવી શેાભી રહી છે! બસ, પછી તેા બંને સામસામા લડાઇમાં ઊતરી પડયા, પણ લડતાં લડતાં બંનેની દિશા બદલાઇ ગઇ. જોયું તેા, ઢાલ રૂપેરી પણ હતી અને સાનેરી પણ હતી અને સત્ય સમજ્યા અને એમની લડાઇ અંધ થઇ ગઇ. આ તા એક આધકથા છે, પણ એના બેષ, સામી વ્યક્તિની વાત સામી વ્યક્તિની દૃષ્ટિએ ન સમજવામાં આવે તે એનુ કેવું માઠું પિરણામ આવે છે અને એથી સત્યની કેવી ઉપેક્ષા થઇ જાય આ રીતે વિચારતાં સાપેક્ષવાદ પણ સ્યાદ્વાદ્ છે. એ સમજવામાં બહુ ઉપયેગી થાય એવા છે. તથા અનેકાંતવાદ શબ્દના જ ભાવને દર્શાવે છે. આ વાદના આદર એનુ' નામ જ વિચારસમન્વય. ભગવાન પેાતાની વાતને એટલે કે સત્યને સમજાયવામાં આ સાપેક્ષવાદના કેવા ઉપયોગ કરતા હતા, એને શ્રી ભગવતી સૂત્રમાંના એક પ્રસંગ જાણવા જેવા છે. એકવાર જય’તી શ્રાવિકાએ ભગવાનને પૂછ્યું': ભગવાન ! ઊંઘવું સારું કે જાગતાં રહેવુ' સારું' ? સૂઈ રહેવાના કામને તે કાણું સારું કહે ભલા? પળેપળ માટે જાગ્રત રહેનાર ભગવાન તા જાગતાં રહેવાને જ સારું' કહેને ? પણ ભગવાન તે લાભ-અલાભના વિવેકના જાણકાર હતા. એમણે સાપેક્ષવાદને ધ્યાનમાં લઈને લઇને જયંતી શ્રાવિકાને જવાબ આપ્યા. જય'તી કેટલાક જીવાતુ'ઊ'ધી રહેવુ' સારુ અને કેટલાકનુ જાગતાં રહેવું સારું. જયંતીએ ફરી પૂછ્યું । એનુ' કારણ શું, ભગવાન ? For Private And Personal Use Only [૧૬૯
SR No.531824
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages50
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy