SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦] શ્રી આત્માનંદ પ્રકાશ આ સંમેલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપો પ્રતિકાર કરવા માટે “શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ' નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સમિતિ તરફથી “શ્રી જૈન સત્ય પ્રકાશ' નામે એક માસિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિપુટી મહારાજ તરીકે જન સંઘમાં વિખ્યાત બનેલા વિદ્વાન મુનિરાજ શ્રી દનવિજથજી આદિની ભલામણથી હું સમિતિ સાથે જોડાય અને એન. માસિકના સંચાલન-સંપાદનનું કામ સંભાળવા. લાગે. મને લાગે છે કે, આ નવ કામગીરી સંભાછતાં સંભાળતાં પત્રવ્યવહાર :રા મહારાજશ્રીના સંપર્કમાં આવવાનું બન્યું. આ પછી બે-ત્રણ વર્ષ મુનિરાજ શ્રી દર્શનવિજયજી મારાજ વગેરે પાટણ ગયા ત્યારે હુ પણ પાટણ ગયેલે. મારાજજીને કંઈક નિટથી પરિચય મેળવવાને મારે માટે એ પહેલે જ અવસર હતો. પણ એ વખતે તેઓએ એવું હેત દાખવ્યું કે જાણે હું લાંબા વખ થી એમને પરિચિત ને હોઉં. મહારાજશ્રીને મન કઈ પતાને છે, ન કેઈ પરા છે, ન કોઈ અપરિચિ; એમના અભંગ કારે સીને સદા વાત્સલ્ય અને ઉલ્લાસભર્ચે રમાને આવકાર મળતા. મહારાજશ્રીએ કબાટ, પેટીઓ અને થિીઓ ઉધાડી ઉઘાડીને મને કંઈ કંઈ અવનવી વસ્તુઓ મમતાપૂર્વક બતાવેલી, એ આજે પણ સારી રીતે સાંભરે છે. પૂજ્ય પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પૂર્વ ચતુરવિજયજી મહારાજની અમદષ્ટિને લાભ પણ આ વખતે જ મલે. આ પછી મહારાજશ્રીને પરિચય ઉત્તર વધતો ગયે. વિ. સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર ગયા ત્યારે ત્યાંની કામગીરીની માહિતી આપતા પત્રો તેએ અવારનવાર મને લખતા રહેતા. જેસલમેરથી પાછા ફરતા સ્થાનકમગી ફિરકાના ઉદાર, સહૃદય, વિદ્વાન અને સ્વતંત્ર ચિંતક સંત ઉપાધ્યાય શ્રી અક્ષરમુનિજી (કવિ મહારાજ) તથા શ્રી મદનલાલજી મહારાજ સાથે મહારાજાને જે ધર્મ સ્નેકભર્યો હાર્દિક સંબંધ ગાઢ થયેલો એની વિગત પાલનપુરમાં ખુદ શ્રી અરમુનિ તથા શ્રી મદનલાલજી મહારાજના મુખેથી સાંભળીને અંજાર ગાદ થઈ ગયું અને લાગ્યું કે મહારાજશ્રીના હૃદયની વિશાળતા સાચે જ સાગર જેવી છે. એ વર્ષને સંકેત તો એ હતો કે મહારાજશ્રી તથા આ મુનિવરેડ પાલનપુરમાં સાથે જ માસું કરે અને આગમ-સંશોધન તથા બીજા સાહિત્ય-કાર્યો અંગે વિચાર-વિનિમય કરે. પણ વચમાં કંઈક અણધાર્યો વિક્ષેપ એ આવ્યો કે, આ શક્ય ન બન્યું. તેઓનું ચોમાસું પાલનપુરમાં થયું; મહારાજશ્રી અમદાવાદમાં ગાયું રહ્યા. વિ. સં. ૨૦૦૮ની આ દાત. આ પછી, વિ. સં. ૨૦૧૮નું ચોમાસું મહારાજશ્રીએ એમના વતન કપડવંજમાં કર્યું એ એક વર્ષને બાદ કરતાં, છેક વિ. સં. ૨૦૨૩ સુધીનાં બધાં ચોમાસાં મહારાજશ્રીએ અમદાવાદમાં કર્યા, એટલે એમની વધુ નિકટમાં આવવાનો વિશેષ લાભ મળને રડ્યો. વિ. સં. ૨૦૧૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મહારાજશ્રીના મગદર્શન નીચે, મૂળ આગમસૂત્ર પ્રકાશિત કરવાની ચેજના શરૂ કરી અને હું, એની વ્યવસ્થા સંભાળવા, સહમંત્રી તરીકે શિવાલયમાં જોડાયે. આથી વિ. સં. ૨૦૧૭ થી ૨૦૧૭ સુધી મહારાજશ્રીને બહુ જ નકટથી જોવા-જાણવાને, એમના વાત્સલ્યના મહેરામણું સમા અંતરને અનુભવવાને અને એમની વિદ્વત્તાથી સુરક્ષિત સાધુતા અને સાધુતાથી શોભત વિદત્તાનાં દર્શન કરવાને જે અવસર મળે તે ખરેખર અપૂર્વ અને જિંદગીના અમૂલ્ય લડાવા છે. માટે ભાગે તે, “ ડુંગરા દુરથી રળિયામણું” એ કહેવતની જેમ, સમાજમાં, ધ માં કે દેશમાં મોટી ગણાતી. વ્યક્તિઓમાં પણ મેટા ભાગની એવી હોય છે કે જે જેમ એમને નિકટને પરિચય ધતા જાય તેમ તેમ એમની મેટાઈ અંગેની આપણી માન્યતા નકામી સાબિત થતી જાય છે અને તેઓ ખરે વખતે ફટકિયા મોતી જેવા પુરવાર થતાં લાગે છે. એટલું જ નહીં, એમની કંઈ કઈ ક્ષતિઓ આપણ આગળ છતી થતી જાય છે. પણ મહારાજશ્રીની બાબતમાં મારે તેને જ એમના પરિશ્યમાં આવનાર સીકેઈને પણ અનુભવ આથો સાવ જુદો છે. જેમ જેમ એમને વધુ ને વધુ નિકટને પરિચય થતો ગયો, તેમ તેમ એમના વધુ ને For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy