SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે લધુ રિને અધૂરા અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદ.ગુરુશ્રી અને ગુરુશ્રીની વિડી વિદ્યાત્તિ અને જ્ઞાનદારની પ્રવૃત્તિના સંસ્કારે તે પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્ધારની એમની વાત સાંભળીને મહારાજશ્રીને એ તે લાગતું જ કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે, અને એવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વ જન્મને કોઈ સરકાર અને ભવિષ્યને કોઈ કાર્યને જ કામ કરી રહ્યું. હતો ! એવામાં જ દર્શન તેમ જ ભારતીય બધાં દર્શનના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીની પાસે અભ્યાસ કરવાને વેગ બની આ, પાટણ અને વડોદરામાં, વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨માં, મહારાજશ્રીએ પડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદેનુશાસનને અભ્યાસ કર્યો. આ પ્રથાના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીને બહેળા જ્ઞાનને લીધે, બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી. અને એ રીતે જ્ઞાનના સીમાડાને. અને દૃષ્ટિને વિકાસ થતે ગયે. આ અરસામાં પાટણથી શ્રી કેસરિયા filઈને સંઘ નીકળે, તેમાં મહારાજશ્રી સાથે પતિજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! આ રીતે જ્યારે એક બાજુ પીડિતજી પાસે આવું અધ્યયન ચાલતું હતું ત્યારે બીજી બાજુ મહારાજશ્રી પ્રાચીન પ્રતના પાઠાંતરે મળવાનું તેમ જ શાસ્ત્રીય ગ્રંથનાં બુફે તપાસવાનું કામ પણ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા. આ પછી તો પડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિત| પિતાના શાસ્ત્રોધનના કાને પણ મહારાજશ્રી પાસે આવત: હા. ભાવનગરના બીજા માસામાં (વિ. સં. ૧૯૭૮ માં) પડિતજી સન્મતિનર્કના સંશોધનના કામે અને લીબડીના ચમાસામાં તત્વાર્થ સત્રના કામે મહારાજશ્રી પાસે ગયેલા. લીબડીમાં પંડિતજીએ બૌદશનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિન કર્યો. મહારાજશ્રીએ ભૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ નિજી માટે કરી આપી; એને ઉપયોગ પંડિતજીને સમનિકના સંપાદનમાં કરવાને હતા. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયો. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે. આ રીતે પંડિત અને મહારાજ' એને સંબંધ ઉત્તરોત્તર વધુ ગાઢ થતા ગયે. પડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુને અને સત્યમ્રાહી સાનસાધના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની સત્યગ્રાહી, અગાધ અને વ્યાપક વિદ્રત્તા અને અકિંચનભાવે પ્રત્યે એવો જ આદર ધરાવતા હતા. જ્યારે પણ આ બનું મિલન થતું, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહેતું. પતિ પ્રત્યેની પિતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણું. દર્શાવતાં, પેતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રીએ પંડિતજીના સન્માન પ્રસંગે કહેલું કે— શ્રીમાન પડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિઘ અંગો છે તમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાને હું બે વ્યક્તિઓને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યમવર, સતા જ્ઞાને પાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારાના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ પ્રથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજય મહારાજનું છે, જે મારા દીક્ષાગુર અને શિક્ષાગુરુ છે.........બીજું સ્થાન પંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયનું જ્ઞાન પુસ્તક દ્વારા નહિ પણ મેહેધી જ આપીને મારી દ્રષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનને વેગ જ કોઈ એવી વિચિત્ર હશે કે જેથી હું For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy