SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી. અને પંચાવન વર્ષ જેટલા દીર્ધ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસને પણ લાભ મળે હો. વળી, આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી મહારાજ પણ વડેદરાનું જ રન હતા. જૈન સમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક કેળવણુ સાથે વ્યાવહારિક કેળવણીના પ્રસાર માટે સંખ્યાબંધ શિક્ષણ-સંસ્થાઓ સ્થાપવાની, વૈદ્યોગગ હે શરૂ કરવાની તેમ જ બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રેરણા તેઓએ સમાજને આપી હતી. મહારાજશ્રીને એમના લેકે પકારક સંપર્કને પણ લાભ મળે હતા, એટલું જ નહીં, એમણે તેઓની પાસે (તે કાળે મુનિ શ્રી વલ્લભવિજયજી પાસે અરવા અનુગાર સૂત્રનું અધ્યયન પણ કર્યું હતું. - દીક્ષાનું પહેલું જ ચોમાસું મહારાજશ્રીએ પોતાના વડીલ સાથે ડભોઈમાં કર્યું. ડભે તે આપણાં જ્ઞાનદિવાકર અને મહાન તિર્ધર મહેપાધ્યાય શ્રી યશોવિજચજી નાહારાજની નિર્વાણભૂમિ–સત્યલક્ષી, સર્વપ અને મર્મગ્રાહ. વિદ્રત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષે અહીં જ ચિરવિશ્રામ લીધેલા ! જોગાનુજોગ કહે કે કુદરતને કેઈ અકળ સંકેત કહે, શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે ઉછે. અનુરાગ ધરાવતા હતા. તથા એમના જીવનપશી અને વિશ્વતોમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત હતા. અને, જાણે ભક્તને પિતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભાિને બદલે મળી રહે તે હોય એમ, શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેની પિતાની તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગતી જ રહી હતી. છેલ્લે છેલ્લે, છેક વિ. સં. ૨પની સાલમાં મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગુનો ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા ત્યારે પણ, થિીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી કઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી ! એમ પણ કહી શકાય કે શ્રી યશોવિજયજી મહારાજ જેડી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ ડભોઈની ભૂમિના સંપર્ક પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રમળ પ્રેરણા આપી હશે. મહારાજશ્રી પિન.ના વિદ્યાભ્યાસની વાત કરતાં કહે છે કે કોઈ પણ વિષયને એકધારે સળગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથેના સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી બન્યું. કંઈક પૂર્વસંરકાર કહે, કંઈક વડીલની કૃપા કહે. અને કંઈક જ્ઞાનાવરણીય કર્મને ક્ષે પશમ કહે, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશાધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં; અને, કામ કામને શિખવે એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષેનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખને, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલી હતી. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા તાં તેઓએ જુદા જુદા વિદ્વાન પાસે જે કંઈ અભ્યાસ કર્યો હતો, તેની મુખ્ય વિગતે આ પ્રમાણે છે – દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુ શ્રીની નિશ્રામાં બધા પ્રકરણને ઉડાણથી અભ્યાસ કર્યો–જાગે શાસ્ત્રીય બેધને પ નખાશે. બીજે વર્ષે વરના શ્રાવક શ્રી ભાયલાલભાઈ પાસે માર્ગોપદેશિકાને અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભ વ્યાકર, હિતોપદેશ, દશકુમારચરિત વગેરેનું પરશીલન કર્યું. પળિયાવાળા પડિત For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy