SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પહેલવહેલી વાર હું ગાંધીજીને મળ્યે અને એમણે મને આશ્રમમાં દાખલ થવા માટે આમંત્રણ આપ્યું ત્યારે મેં કહ્યું :· તમારી અહિંસા ઉપર મારા વિશ્વાસ હજી બેસતા નથી. અહિં’સામય જીવન પરમાનુકૂલ છે, ઉન્નતિકારક છે—એટલું તે હું જો શક્યો છું. એ તરફ મને આકર્ષણ પણ છે. પશુ હુ' એમ નથી માનતા કે અહિંસા આપણુને સ્વરાજ અપાવશે. સ્વરાજ્ય મને સૌથી વહાલું છે-એને માટે હુ' હિંસા કરવા પણ તૈયાર થઉં, અને પછી પાછળથી ચાણકયની જેમ પ્રાયશ્ચિત પણ કરી લઉ. એવી સ્થિતિમાં તમે મને તમારા આશ્રમમાં શી રીતે લઈ શકે!? ’ ગાંધીજી સ્મિત કરતા ખેલ્યા - - તમારા જે વિચાર છે તે આખી દુનિયાના છે. તમને આશ્રમમાં ન લઉં તેા કાને લઉ ? હું જાણું છું કે બહુમત તમારા છે પણ હુ' સુધારક .... આજે અપમતિમાં છું. આથી મારે ધીરજ સાથે રાહ જોવી જોઈ એ સુધારક બહુમતની વાત સહન ન કરે તેા દુનિયામાં અને બહિષ્કૃત થને રહેવુ પડે,' ઉપલા જવાબમાં ગાંધીજીએ સરસ રીતે સમ જાવી દીધું કે સુધારકનો ધર્મ શું છે. કાકએ ગાંધીજીને પૂછ્યું' : ‘ તમારા ખ્યાલ પ્રમાણે વિનાદને જીવનમાં કેટલું સ્થાન હેાઈ શકે ? ગાંધીજીએ કહ્યું : આજે તે। હું મહાત્મા બની એઠો છું, પણ મારે જિંદગીમાં હંમેશાં મુશ્કેલીએ સાથે લડવું પડયું છે. પગલે પગલે નિરાશ થવું પડ્યું છે, એ વખતે, મારામાં વિનાદન હૈાત મેં ક્યારનીયે Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ સિદ્ધિચે કારણુ કાકા કાલેલકર આત્મહત્યા કરી લીધી હાત મારી વિનેદશક્તિએજ મને નિરાશામાંથી બચાવ્યો છે.’ આ જવાબમાં ગાંધીજીએ જે વિનેદશક્તિના વિચાર કહ્યો છે તે કેવળ શાબ્દિક ચમત્કાર દ્વારા લેાકેાને હસાવવાની જ વાત નથી પણ લાખ લાખ નિરાશામાની વચ્ચે અમર આશાને જીવત રાખનારી આસ્તિકતાની વાત છે. નાનાં નાળા જ્યારે ભૂલ કરે છે, તેાફ્રાન કરે છે ત્યારે આપણે એની પર ગુસ્સો નથી કરતા. મનમાં વિચારીએ છીએ બાળકા તા એવાં જ હાય, એમાં મિજાજ ખાવાની શી જરૂર છે ? બાળક સમજતાં શીખશે ત્યારે પેાતાની ભૂલો જાતે જ સમજી લેશે. સુધારકના હૃદયમાં એ અતૂટ વિશ્વાસ હાવા જો એ કે દુનિયા. ધીમે ધીમે સુધરી જશે. એ પણુ માળક જ છે તેા ! મને એક પ્રસંગ યાદ આવે છે. એકવાર અમે મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં એક સાથીની પેટી ગાયબ થઈ ગઇ. એ ખૂબ ગુસ્સે થયા. બધા પર નારાજ થયા. છેવટ મારી પાણે આવ્યા. ઊંચે અવાજે એમણે આખી વાત કહી સંભળાવી. મેં એમને શાંતિથી કહ્યું : - ધણા ખેદની વાત છે કે તમે તમારી પેટી ખાઈ નાખી. પણ 'મને એ નથી સમજાતું કે પેટીની સાથે તમે તમારા મિજાજ - પણ કેમ ખાઇ નાખ્યા ? ' આ સાંભળી અમારા સાથીએ હસી પડયા. એમને ખાવાયેલા મિજાજ તરત પાછા મળી ગયા. એ પછી ગભરાયેલા નાકર– ચાકરાતા દિમાગ પણ ઠેકાણે આવ્યા અને ઠીક ઠીક મહેનત પછી એમની પેટી પણ મળી ગં૪. For Private And Personal Use Only
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy