________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
• પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર •
પુસ્તક ૪૫ મું
વીર સં. ૨૪૭૪. વિક્રમ સં. ર૦જ.
માર્ગશીર્ષ—પષ :: તા. ર૦ જાન્યુઆરી ૧૯૪૮ ::
અંક ૫-૬
વિમલગિરિ શ્રી આદિનાથ સ્તવન
(બંસરી બજતી નહિ-એ રાગ.) વિમલગિરિ આદિ પ્રભુના દર્શને મનડું ઝૂલે, જ્ઞાન રવિ અમૃત પ્રભાથી, ઊરતણાં કમળ ખેલે વિમ. ૧ દિવ્ય સમવસરણ વિષે, માલકે દેશના, બંસરી સુરગણતણી, ગુણ વધે ઉપદેશના. વિમ૨ ચોવીસ અતિશયવંત પ્રભુજી, પાંત્રીસવાણી ગુણગતિ, યોજન સુધી પશુ પક્ષી સમજે, જલનિધિ સમ ગાજતી. વિમળ ૩ સુર નર પશુ પંખી, ગાન્ધર્વ કિન્નર સૌ સુણે, પિતાની ભાષામાં જ પ્રભુની, વાણીને સોએ ગણે. વિમ. ૪ નવ હેમ કમલે પદ ધરી, વિચરે પ્રભુ અવની વિષે,
જ્યાં જ્યાં પડે પદએશુચિ,ધન ધાન્ય સુખ સઘળું વસે વિમ૦ ૫ દિવ્ય કેવળજ્ઞાની પ્રભુજી, બધથી જન તારીયા, તીર્થ અષ્ટાપદ વિષે, નિર્વાણ જિનવર પામીયા. વિમળ ૬ દેવેન્દ્ર ગિરિની અજિતરને, શિવ ધરી પ્રભુ પૂજતા, હેમેન્દ્ર વિમલાચલતણી, હૈયે સ્તવે શુચિ દિવ્યતા. વિમ૦ ૭.
મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી
For Private And Personal Use Only