SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનઃ પ્રકાશ [ ૬૬ ] અથવા ન પડે કુદરત પાસેથી આપેલું જ લેવું છે, માટે બીજાની પાસે વધુ સારું જોઈને નારાજ થશે નહિં. (૨૨) ક્ષમા, સરળતા, નમ્રતા, શાંતિ, સમતા આદિ મળવાં તે પ્રભુસેવાના બદલે છે, અને રૂપ, વય, ધન, સુંદરતા આદિ મળવાં તે પણ પ્રભુભક્તિના બદલે છે; માટે તમને શું ગમે છે તેના સાચી રીતે વિચાર કરીને પ્રભુની સેવામાં અર્પણ કરજો. (૨૩) વણ, ગંધ, રસ આદિ જડના ધર્મી છે. તે ક્રેહને પાપે છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ધર્મ છે, તે આત્માને પેાખે છે. માટે તમે આત્મા છે કે જડ છે તેની ઓળખાણ કરીને તમને ચેાગ્ય લાગે તે ધર્મના ઉપયાગ કરશેા. (૨૪) તમે તમારું જ મેળવા, પારકુ મેળવવા જશે! તે પેાતાનુ પણ ખાઈ એસશા અને પ્રયાસ વ્યર્થ જશે. (૨૫) ભિખારીની સેવા કરવાથી શ્રીમત બની શકાતુ હાય તા જ જડની ઉપાસના કરવાથી સુખી બની શકાય. (૨૬) સુંદર સુંદર મકાના, ઘરેણાં, વસ્રો, ભેાજન આદિ જડ વસ્તુઓને વિકૃત બનાવી તેની પાસે સુખ તથા આનંદની ભીખ માગતાં જિંદગી વહી ગઇ છતાં કાઈ એ કાંઈ પણ મેળવ્યું નહિં. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) સાચેા માગ એળખી ગમન કરનાર લેાકના ભય રાખશે તે ભૂલેા પડશે. (૨૮) સાચું જાણવા છતાં પણ લેકને સારું લગાડવા ખાટુ' આદરનાર હાથમાં દીવા લઈ કૂવામાં પડે છે. (૨૯) ક્ષુદ્ર તૃષ્ણાઓ તથા તુચ્છ સ્વાર્થ સતાષવાને લાકના જેટલા ભય રાખવામાં આવે છે તેનાથી હજારગણા આછે ભય પેાતાના શ્રેયને માટે પરમાત્માના રાખવામાં આવે તે પરમ કલ્યાણ થઈ જાય. (૩૦) કાઈ પણ સ્વાર્થ માટે પેટમાં દગા રાખીને સ્નેહ કરનાર સ્નેહી નથી પણ પરમ શત્રુ છે. (૩૧) ખીજાના જીવનમાં જીવવાની ઇચ્છા થાય તે પહેલાં તેની ઉપયાગીતા અને ઉત્તમતાના સારી રીતે વિચાર કરી લેવા જોઇએ. (૩૨) સુખ-શાંતિ તથા આનંદ મેળવવાની ઈચ્છાવાળાની જીવનયાત્રા સાદી અને સરળ હેાવી જોઇએ. (૩૩) પ્રારબ્ધની પ્રેરણા પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જગત ઉપર અણગમા લાવી દુઃખી ન થશે. (૩૪) આત્મવિકાસની ઈચ્છાથી જ યૌદ્ગલિક વસ્તુએને ત્યાગ કરશે પણ છેડેલી વસ્તુઓ પાછી મેળવવાની ઇચ્છાથી ત્યાગ કરશે! નહિ; કારણ કે છતી વસ્તુએ છેડીને પાછી તેની આશા રાખવી તે અજ્ઞાનતા છે. For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy