SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૦ શ્રી આત્માની પ્રકારા. કરવાના સ્વ પ્રશ્ન-જીવ શુભાશુભ કર્મોને ગ્રહણ કરે છે અને ગ્રહણ ભાવથી ગ્રહણ કરતા જાણે છે કે હું' રવાભિપ્રાય પ્રમાણે ઇષ્ટ કરૂ છું. એ વાત માન્ય કરવા જેવી છે. પરન્તુ કર્માં જડ હાવાથી ભાગકાળને કેવી રીતે જાણે કે તે પ્રગટ થાય ? આત્મા પણ શું દુઃખ ભાગવવાને કામી છે કે તે દુષ્કર્મોને આગળ કરે ? માટે કેટલાક લાંખાકાળ સુધી વિલંબ કર્યા પછી કર્મા રવકર્તા જીવને સુખદુઃખ પમાડે છે તે પ્રેરક વિના કેવી રીતે અને Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર-કર્માં જડ છે, નિજ ભાગકાળને જાણતા નથી અને આત્મા દુઃખ ભાગવવાના કામી નથી તથાપિ જીવ દુઃખને આશ્રિત થાય છે અને મે જડ છતાં દ્રવ્યક્ષેત્રકાળભાવ- સામગ્રીની તથાપ્રકારની નવાય શક્તિથી પ્રેરાઇને પ્રગટ થઇ સ્વકર્તા આત્માને અલાકારે દુ:ખ દે છે. દૃષ્ટાન્ત તરીકે, કોઇ પુરૂષ ઉષ્ણ કાળમાં શીતળ વસ્તુનુ સેવન કરે અને તે ઉપર મીઠા ખાટા કરંભ ખાય તે તેના શરીરમાં વાયુ ઉત્પન્ન થાય, જે વર્ષારૂતુ પ્રાપ્ત થતાં પ્રાયઃ અત્યંત કાપાયમાન થઈ શરદ્ ૠતુના સંયોગ થવાની સાથે જ પિત્તના પ્રભાવથી પ્રાયઃ શાન્ત થાય. સ્વેચ્છિતભાજનથી વાત ( વાયુ ) ની ઉત્પત્તિ, વૃદ્ધિ ( સ્થિતિ ) અને શાંતિ ( નાશ ) એ ત્રણ દશા થવામાં જેમ કાળ હેતુ છે તેમ આત્માને કર્માનું ગ્રહણ, સ્થિતિ અને શાંતિ થવામાં કાળજ કારણ છે. એ રીતે આત્માએ ઉપાર્જન કરેલાં કર્મોના કાળે કરીને ભાગ અને શાંતિ થાય છે તેપણ જેમ ઉગ્ર ઉપાયથી કાળ પ્રાપ્ત થયા પહેલાં જ વાતાદિ ગ્રાન્ત થાય છે તેમ કર્મો પણ શાંત થાય છે અને જેમ કેટલીક વખત સ્વાદિષ્ટ ભેાજન શરીરમાં તત્કાળ ઉગ્ર વાતાદિ ઉત્પન્ન કરે છે તેમ ઉગ્ર કર્યા પણ આત્માને કાઇની પ્રેરણા વિના તત્કાળ ફળ આપે છે. બીજું દૃષ્ટાંત. કાઇ સ્ત્રી બીજાની પ્રેરણા વિના સ્વેચ્છાએ પુરૂષની સાથે સભાગ કરે તેના વિપાકકાળ પરિપૂર્ણ થયે પ્રસવતાં જેમ તેને સુખ અથવા દુ:ખ થાય તેમ જીવે કરેલાં સારાં નરસાં કર્મો કોઇની પણ પ્રેરણા વગર સ્વસમય પામીને પ્રગટ થતાં જીવને સુખ અથવા દુ:ખ આપે છે. કોઇ રાગી ઔષધ લે છે ત્યારે તે હિતકારી છે અથવા અહિતકારી છે એમ જાણતા નથી તેપણ જેમ તેને પરિપાકકાળ થતાં તે સુખ અથવા દુઃખ આપે છે તેમ કર્મોને ગ્રહણ કરતાં તે શુભ છે અથવા અશુભ છે એમ જીવ જાણે નહિ તે પણ કમૅના પરિપાકકાળ થાય ત્યારે તે સુખ અથવા દુઃખ આપે છે. કૃત્રિમ વિષ જેમ તત્કાળ નાશ કરનારૂ અથવા હેિને, બે મહિને, છ મહિને, વર્ષે એ વર્ષે કે ત્રણ વર્ષે નાશ કરનારૂ હાય છે તેમ કર્યાં પણ ઘણા પ્રકારનાં અને ભિન્ન ભિન્ન સ્થિતિનાં હાય છે, જે પેતપેાતાના કાળ પ્રાપ્ત થયે પેાતાની મેળે જ પેાતાના કરનાર જીવને તાદશ ફળ આપે છે. સિદ્ધ અથવા અસિદ્ધ પારા કોઇ રાગીના ખાવામાં આવે તેના પરિણામકાળ પ્રાપ્ત થતાં જેમ તે રેગી સુખ અથવા For Private And Personal Use Only
SR No.531333
Book TitleAtmanand Prakash Pustak 028 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1930
Total Pages43
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy