________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાન નિરૂપણ પ્રશ્નોત્તર.
ર૯૨
દુઃખ પામે છે, શરીરમાં થયેલા ફેલ્લા, વાળા, દુર્વાત, શીતાગક અને સન્નિપાત જેમ કાળબળ પામીને પોતાની મેળે તે તે રેગથી યુક્ત જીવને દુઃખ દે છે અને સર્વે હતુઓ જેમ પિતપેતાને કાળ પામીને મનુષ્યલકવતિ પ્રાણીઓને સુખદુઃખ આપે છે તેમ કર્મો પણ પેતપેતાનો કાળ પામીને બીજાની પ્રેરણું વિના આત્માને સત્વર સુખદુઃખ આપે છે. શીતલા, ઓરી, અછબડા વગેરે બાળરોગની ગરમીની અસર એમ છ મહીના સુધી શરીરમાં રહે છે તેમ કર્મો પણ પિતાની મેળે આવીને રિથતિ પ્રમાણે જીવને આશ્રય લે છે. જેમ ક્ષય, અક્ષિબિન્દુ ( મોતીઓ ), ઉદ્ધત પક્ષઘાત, અર્ધાગ અને શીતાગ વગેરે રોગોનો પરિપાક હજાર દિવસે શાસ્ત્રવિશારદ (શાસ્ત્રમાં પ્રવીણ) વૈદ્ય જ્ઞાનબળથી જણાવે છે તેમ સેદ્રાન્તિકમાં હસ્તિસમાન પંડિતોએ કર્મોને પરિપાકડાળ પણ કહે છે. જેમ પિત્તથી થયેલે જવર દશ દિવસ, કફથી થયેલે બાર દિવસ, વાતથી થયેલે સાત દિવસ અને ત્રિ ષથી થયેલે પંદર દિવસ રહે છે અર્થાત જેમ એ જ્વરનો પરિપાકકાળ જુદે જુદે હોય છે તેમ કરેલાં કર્મોને પણ રિથતિકાળ જુદે જુદે હોય છે. આત્માએ જે પ્રમાણે પૂર્વે આચરણ કર્યું હોય તે પ્રમાણે જન્મકુંડળીમાં ગ્રહો આવે છે, તે ગ્રહનું ફલ જેમ મહાદશા તથા અન્તર્દશાદિએ સહિત સ્થિતિ પ્રમાણે કેઈની પણ પ્રેરણા વિના સ્વભાવથી ભેગવાય છે, તેમ અન્ય કર્મોથી અંતરિત (અંતરાયેલાં) જે કર્મો આત્માએ કર્યા હોય તેમનું ફળ પરિપાકકાળ પ્રાપ્ત થયે કેઈની પણ પ્રેરણા વિના ભગવાય છે.
પ્રશ્ન–કમ કેટલા પ્રકારે (ભાગે) ઉદયમાં આવે છે?
ઉત્તર–કર્મ ચાર પ્રકારે ભેગવાય છે. પહેલા પ્રકાર–અહીં કરેલું સારું અથવા નરસું કર્મ અહીંજ ઉદયમાં આવે છે. જેમકે કેઇ સિદ્ધપુરૂષને, સાધુ પુરૂષને અથવા રાજાને આપેલી સ્વ૫ વસ્તુ પણ લક્ષમી મેળવી આપે છે અને ચારી પ્રમુખ અપ્રશસ્ત કામ અહીં જ નાશને માટે થાય છે. બીજે પ્રકાર–અહીં કરેલું કામ પરલોકમાં ઉદય પામે છે. જેમ તપત્રતાદિ પ્રશસ્ય ( વખાણવા લાયક ) આચરણથી દેવતત્વાદિ મળે છે અને તેથી વિરૂદ્ધ આચરણ નરકાદિ આપે છે. ત્રીજે પ્રકાર- પરજન્મમાં કરેલું કર્મ આ જન્મમાં સુખદુઃખ
પનારૂં છે. જેમ એક પુત્ર જન્મે છતે તેણે કરેલા કમને લીધે દારિદ્રય અને માતા પ્રમુખને વિયોગ થાય છે અને તેની જન્મકુંડલીમાં રહે પણ સારા આવતા નથી. બીજો પુત્ર જન્મે છતે તેના સુકર્મથી સંપત્તિ પ્રભુતા અને માતા વગેરેનું સુખ થાય છે અને તેની જન્મપત્રિકામાં ગ્રહે પણ સારા પડે છે. ચોથા પ્રકાર-પરજન્મમાં કરેલું કમ પરજમાં ફલદાયી થાય છે અર્થાત્ આ ભવમાં
જ સતીનું સત્વ અને શરાનું શૌર્ય પરજન્મમાં ભેગ આપે છે–લોકતિ.
For Private And Personal Use Only