SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન-તુલનાત્મક દષ્ટિએ. જૈન દર્શન-તુલનાત્મક દષ્ટિએ. यस्य निखिलाश्च दोषा न सति सर्वे गुणाश्च विद्यते । ब्रह्मा वा विष्णुर्वा हरोजिनोवा नमस्तस्मै ।। તામિલાપી પ્રિય વાચકે : સંસ્કૃત વાલ્મયની દષ્ટિએ તેમજ જૈન પરિભાષાની દષ્ટિએ દર્શન “શ દ દેખવું, સમ્યકત્વ, સામાન્ય ઉપયોગ વિગેરે અનેક અર્થોમાં પ્રવર્તમાન છે; પરંતુ પ્રસ્તુત વિષયમાં મુખ્યત્વે કરીને જગતમાં જે છ દર્શને (ધર્મો ) મુખ્યત્વે કરો. પ્રવર્તમાન છે તે ધર્મ અર્થમાં ગણવામાં આવ્યા છેદર્શનોમાંનું જૈન એક દશન છે. તેને બીજા દર્શનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો અને આચારોની સાથે સર. બામણી પૂર્વક તપાસવા માટે પ્રસ્તુત વિષયને અંગે યથાશક્તિ પ્રયત્ન છે. બની. શકે તેવી રીતે પક્ષપાતુમય દષ્ટિને દૂર રાખી બીજા દશને રડાથેના સંબંધમાં જૈન દર્શન માટે તટસ્થ રીતે લખવામાં આવ્યું છે અને સત્ય વસ્તુ સ્થિતિ જશુવવામાં આવી છે. હિંદના પ્રચલિત ધમેની સમીક્ષા કરવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ જેન દશ નને જેટલે અન્યાય આપ્યો છે તેટલો ભાગ્યે જ કોઈ અન્ય દર્શનને આપે હશે. જૈનદર્શન સંબંધે તેમણે જે જે કાંઈ લખ્યું છે તે પકીને મેટો ભાગ વેદિક ધ ર્મના ગ્રંથ ઉપર આધાર રાખીને લખાયેલો હોય તેમ જણાય છે. વેદિક ગ્રંથકા કોએ જેનધર્મ સંબંધી બાંધેલા અભિપ્રાય અને નિર્ણયે અશુદ્ધ બુદ્ધિથી તેમજ અપૂર્ણ જ્ઞાનવડે બાંધેલા હોવાથી તેમણે બાંધેલા નિર્ણય અને અભિપ્રાયો ઉપર આધાર રાખી પશ્ચિમના વિદ્વાનોએ જૈન દર્શનની સમીક્ષા કરેલ હોવાથી તેમાં જેના દર્શનને અન્યાય મળે એ સ્વાભાવિક છે (વેજબ્રીજ) મોટુઅર્ટ, હોપકિન્સ અને વેબર આદિ યુરોપના સમર્થ વિદ્વાનોએ ઈતર દર્શનેએ બાંધેલા નિર્ણયને સાંભળી એક તરફી અભિપ્રાય ઉચ્ચારી દીધો છે, વસ્તુસ્થિતિ આમ હાઈ છે. જેકેબી, મેકસમૂલર અને બીજા ગણ્યા ગાંઠ્યા વિદ્વાનોને બાદ કરતા બાકીના તમામ પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન દર્શનના સંબંધમાં ફાવે તેમ આડું વેતરી દીધું છે. હેપકીન્સ જેવા વિદ્વાનોએ તે જૈન દર્શન સંબંધમાં અનેક હસવા લાયક કલ્પનાઓ કરી છે. અને અનેકના હાથમાંથી પસાર થતા છેવટે વસ્તુ દર્શન કેવા રૂપ ઉપર આવી જાય છે તેનો એક વિચિત્ર નમુનો રજુ કર્યો છે. કેટલાકેએ જણાવ્યું છે કે જૈન ધર્મના દરેક અનુયાયીએ આપઘાત કરે જ જોઈએ એવું તેના પ્રવર્તકનું ફરમાન છે. વળી બીજ વિદ્રાને જેન એ ઝીણા જતુઓને ઉછેરવાનું સ્થાન છે એમ For Private And Personal Use Only
SR No.531248
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy