________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
આત્માનંદ પ્રકાશ.
અભિપ્રાય આપે છે. આ રીતે અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ હાસ્યજનક ફેંસલા સંભળાવ્યા છે. કોઈ વિદ્વાનોએ જેનને બોદ્ધ ધર્મની એક શાખા તરીકે, તો કે એ નાતિકવાદી તરીકે, તો કેઈએ વૈદિક ધર્મના અંકુર તરીકે ગણી કાઢેલો છે. કોઈ વિદ્વાને તે કહે છે કે જેમાં તત્વજ્ઞાન કશું જ નથી. માત્ર કિયામાગે છે. વળી એવા અભિપ્રાયેની સાથે પણ અથડામણી થાય છે કે જેને મતની ઉત્પત્તિ કરાચાર્યની પછીની છે. લાલા લજપતરાય જેવા સમર્થ દેશ હિતોષએ પણ જેનદર્શનનાં ઐતિહાસિક વિભાગ તપાસ્યા વગર ભારતવર્ષકા ઈતિહાસમાં, ” ન લેગ યહ માનતે ય કિ જેનધર્મ કે મૂળ પ્રવર્તક શ્રી પાર્શ્વનાથ છે ' વિગેરે અજ્ઞાનતા મૂલક હકીકતો બહાર પાડેલી છે.
જૈન અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના કેટલાક પારિભાષિક શાદ અને કર્મ કાંડના કેટલીક વિધિઓ સમાન હોવાથી જેનને બોદ્ધની શાખા હોવાનું અનુમાન ઉપરોક્ત વિદ્વાનોએ કર્યું હોય તેમ સંભવે છે. પરંતુ પ્રે. જે કેબી જેવા જૈનદર્શનના અભ્યાસીએ જેનદન સ્વતંત્ર ધર્મ છે તેવું અનેક પ્રમાણેથી સિદ્ધ કર્યું છે, હૈ. મેકસ મુલરે ઈ. સ. પુર્વ ૪૭ વર્ષે બુદ્ધ નિવણ કાળ જણાવેલ છે અને જેનોના કલ્પસૂત્ર અનુસારે ઈ. સ. પૂર્વે પર૭ વર્ષે જેનાના ચરમ તીર્થકર મહાવીર પ્રભુ નિર્વાણ થયાનો કાળ મુકરર થએલો છે. આ સંબંધમાં જોન અને બોદ્ધ ધર્મ સંબંધમાં જે ભિન્નતાઓ રહેલી છે તે સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે આમાનંદ પ્રકાશન ચાલુ વર્ષના પુસ્તક (૨૧) માં મુનિ શ્રી જ્ઞાનવિજયજીએ યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલી છે.
આ રીત જેનદર્શન એક સ્વતંત્ર દર્શન હેઈ તેનું સાહિત્ય વિશાલ પ્રમા શુમાં દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ધર્મકથાનુગ અને ચરણ કરણનુગા. એ ચાર વિભાગમાં જેનદર્શનના શાસ્ત્રી વહેંચાએલા છે. દ્રવ્યાનુયોગમાં છવામાં અને કર્મ પ્રકૃતિનો તેની સાથેનો સૂક્ષમ નિગોદનું સ્વરૂપ એકંદ્રિયથી માંડીને પચેંદ્રિય પ્રાણુની પરિસ્થિતિ વગેરે એટલી બધી સૂક્ષ્મ હકીક્તો છે. ને સર્વજ્ઞ પ્રણિત દર્શન તરીકેનો સુંદર ખ્યાલ આપે છે.
ગણિત સંબંધમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને લેક પ્રકાશાદિ ગ્રંથો એવા અપૂર્વ છે કે સૂર્ય ચંદ્ર અને તારા મંડળનું વિસ્તીર્ણ જ્ઞાન, અસંખ્ય દ્વિપ સમુદ્ર, નારકી અને સ્વર્ગ લોકની પુષ્કળ હકીકતા, આર્યજનતા સમક્ષ ગણિતાનુગ જુ કરે છે. આ ઉપરાંત ધર્મકથાનુગમાં મોટા મહાત્માઓના ચરિત્રનું સાહિત્ય પણ તેટલુંજ વિસ્તીર્ણ છે. અને ચરણ કરણાનુગમાં ગૃહસ્થાશ્રમ અને સન્યાસના આચાર વિચારો પણ વિવિધ રીતે દર્શાવેલા છે. વારંવાર જૈનદર્શન માટે એ આક્ષેપ મુકવામાં આવે છે કે જેનોની અહિંસાએ મનુષ્યોને નિવીર્ય કરી મુક્યા છે. આ હકીકત એક અંશમાં પણ સત્ય નથી. પૂર્વકાળમાં જેન રાજાઓ એ
For Private And Personal Use Only