________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાવજ પ્રકાશ એગ્ય એ વિવાહ ) કઈ પ્રકારની પ્રતિજ્ઞા કરીને કન્યાદાન આપવું તે.
( ૭ ) રાક્ષસવિવાહ, કન્યાને બળાત્કારે ગ્રહણ કરી લઈ જવી તે.
( ૮ ) પૈશાચ વિવાહ. ( પિશાચને પેશ્ય એ વિવાહ ) સુતેલી અથવા પ્રમાદમાં પડેલી કન્યાનું ( તેના માબાપ ન જાણે તેવી રીતે ) હરણ કરી જવું તે. - આ છેલ્લા ચાર પ્રકાર અધખ્યું છે એટલે ધર્મયુક્ત નથી; તેષા જે વરવધુને પરસ્પર અપવાદ રહિત રૂચિ હોય તે તે ધર્મ યુક્ત જાણવા.
શુદ્ધ અને લાભ એજ વિવાહ. એવા વિવાહનું ફળ આ પ્રમાણે છે. ઉત્તમ પુત્રરૂપી સંતતિ, ઉપઘાત રહિત (અડચણ રહિત ) ચિત્તની નિવૃત્તિ, ગૃહકૃત્યનું સુવિહિતપણું ( ગૃહકાર્ય સારી રીતે ચલાવવાં તે ); કુલિનતાને લીધે આચારની વિશુદ્ધતા અને દેવ, અતિથિ, બધુવ, એ સર્વને નિર્દોષ સત્કાર.
વળી કુલીન સ્ત્રીને રક્ષણ કરવાના ઉપાય આ પ્રમાણે છે.
સર્વ ડર્યનું આરોપણ સ્ત્રીને વિષે કરવું. ( કારણ કે સઘળા કામ માથે આવવાથી પિતાને નિવૃત્તિ મળે નહીં)
તેને પરિમિત ધન આપવું (ઘર કામ વાતે ઓચિંતે ખપ પડે તે કામમાં આવે માટે તેને થોડું ઘણું દ્રશ્ય આપી મૂકવું ; તેને સ્વતંત્રપણું ન આપવું ( પુરૂષની મરજી શિવાય એ કંઈ પણ કરી શકે નહિ ); એને સર્વથા માતાતુલ્ય સ્ત્રી જનેની સંગતિ ૨ખાવવી.
આ પ્રમાણે પુર્વે કહ્યા પ્રમાણે સ્ત્રી પરણવી એ ગ્રેડને સામાન્ય ધર્મ છે. तथा दृष्टादृष्टबाधाभीततेति ।।
અર્થ: ( પ્રત્યક્ષ ) દેખાતા તથા ન દેખાતા એવા ઉપદ્રવ થી ભય પામ ( એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે )
For Private And Personal Use Only