________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ ધર્મ.
૭૯ માટે આ સર્વ વાત પૂર્ણ રીતે સમજીને સમાન કુલ-શીલાદિવાળા અને સર્વ સાથે મિત્રીભાવ ધારણ કરનાર અગોત્રજ સાથે વિવાહ સંબંધ કર.
આ વિવાહ સંબંધ વિષયે લાકિકનીતિશાસ્ત્ર એમ કહે છે –
બાર વર્ષની કન્યા અને સોળ વર્ષને વર એ બે વિવાહ કરવા યોગ્ય છે. વિવાહ થયા પછી વ્યવહાર શરૂ થાય છે. વ્યવહાર એટલે કુટુંબ ઉત્પાદન કરવું–તેનું પરિપાલન કરવું–તે રૂપ વ્યવહાર
જ્ઞાતિ અથવા વર્ણ ચાર છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-અને-મુંદ્ર. જેની જ્ઞાતિમાં જે વિવાહનો વિધિ કહુ હમ્ર તે પ્રમાણે વિધિ. કરીને વિવાહ કરે તે કુલવાનું કહેવાય છે. અગ્નિ તથા દેવતા પ્રમુખ ની સાષિએ વરકન્યાને હસ્ત મેળાપ કરાવે છે તે વિવાહ. એના આઠ ભેદ છે.
( ૧ ) બ્રાય વિવાહ. એમાં અલંકારયુક્ત કન્યા વરને આપે છે અને કન્યાને કહે છે કે તું આ મહાભાગ્યશાળી પુરૂષની સાથે રહીને તારો સ્ત્રીધર્મ પાળજે.
( ૨ ) પ્રાજાપત્ય વિવાહુ, એમાં કન્યાને પિતા પોતાના વિભવ પ્રમાણે વરને દ્રવ્યસહિત કન્યાદાન આપે છે. | ( ૩ ) આર્ષ વિવાહ. (ષિપ્રમુખ વિષે પ્રચલિત વિવાહ) એમાં વરને ગાયના મિથુન સહિત કન્યા આપવામાં આવે છે.
. ( ૪ ) દેવ વિવાહુ યજ્ઞને અર્થે ઋત્વિજને કન્યાદાનરૂપી દક્ષિણ આપવી તે દૈવ વિવાહુ કહેવાય છે. (ાત્વિજોથી સ્ત્રી શિવાય યજ્ઞાદિકાર્ય થઈ શકતાં નથી)
આ ચારે પ્રકારના વિવાહ ધર્મયુક્ત છે. કારણ કે એ ચારને ગૃદુસ્થાશ્રમને ચગ્ય એવા દેવપૂજનાદિ વ્યવહારનું અંતરંગ કારણ છે તથા માતપિતાદિ બધુવર્ગ એ સંબંધ પ્રમાણ કરે છે.
( ૫ ) ગાન્ધર્વ લગ્ન. સ્ત્રી પુરૂષને પરસ્પર અનુરાગ થવાથી પરસ્પર સંબંધ ક તે.
( ૬ ) આસુર વિવાહ (અસુર સંબંધી વિવાહ-અસુરને
For Private And Personal Use Only