________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીવાળી પર્વ Interested to the tanto tem testetistes et entretete te testen tartott tone tester toe beste ઉપર દીપક મુકી આપણા પરમ પૂજય શ્રી ગૌતમસ્વામીનું આરાધન કરવું જોઈએ, તેમને સુવર્ણના કમલ ઉપર સ્થાપી તેમનું ધ્યાન કરવું જોઈએ. વળી નંદીશ્વર તપ આરંભવાને પણ તે પવિત્ર દિવસ છે. નંદીશ્વર પટ્ટની પૂજા કરી ઉપવાસ કરવામાં આવે છે, એમ પ્રત્યેક દીપોત્સવીએ કરતાં સાત વર્ષ સુધી કરી તે દિવસે તે મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકનું ઉજમણું કરવામાં આવે છે તે નંદીશ્વર દ્વીપ કે જે બાવન જિનનો સ્થાન રૂપ છે, તે પટ્ટ આગલા સાક્ષાત. હવણ કરી નૈવેદ્ય ધરવામાં આવે છે. તેમાં પકવાન, મીઠાઈ નારંગી, નંબર, બીજોરા, સોપારી, શ્રીફલ, શેલડી અને કદલીલ તે પ્રત્યેક બાવન બાવન લઈ અપેણ કરવાં તથા બાવન જાતિનાં પુષ્પ અને વસ્ત્રાભરણ સમર્પિત કરવાં. આ નંદીશ્વર તપ કહેવાય છે. તે આ દીવાલી પર્વમાં ન બને તે બીજા દિવસોમાં પણ થાય છે..
- પ્રિયાબેન, આ મહાપર્વની આરાધના ઉપર પ્રમાણે કરવી જોઈએ. થશભા, નવીન વસ્ત્રાભરણ અને ઉત્તમ ભોગ્ય પદાર્થોનું સેવન કરવાનો તેમજ પરસ્પર કુશલતા પુછવાને જે પ્રવાહ. જગતમાં ચાલેં છે, તે ઉપર ઉજજયિની નગરીના ધર્મ રાજના પ્રધાન નમુચિની રસિક કથા છે, તે હું તમને કોઈ પ્રસંગે વિસ્તારથી કહીશ. પ્રિય,
હેન, તમે હવેથી કોઈ જાતની મિથ્યા પ્રવૃત્તિ કરશો નહીં, મન, વચન અને કાયાથી શુદ્ધ થઈ આ ઉત્તમ પર્વની આરાધના કરજે. જેના સર્વોત્તમ શાસન ની શીતલ છાયા નીચે રહી આપણે આપણા આત્માને સગતિ આપી શકીએ છીએ તેવા પરોપકારી શ્રી વીર ભગવંતને આ નિર્વાણ દિવસ છે. ભારતવર્ષની જત પ્રજા તેના પવિત્ર શાસનની સર્વદ આભારી છે.
For Private And Personal Use Only