SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક F જિનશાસનના ગરવા ગુરુજનો પંન્યાશ્રી રત્નકીર્તિ વિજયગણિ લેખક પરિચય : આચાર્યશ્રી વિજય શીલચંદ્રસૂરિ જેવા સમર્થ ગુરુની તાલીમ અને શિષ્યત્વને જેમણે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે એવા પંન્યાસશ્રી રત્નકીર્તિવિજયગણિ અભ્યાસુ સાધુ ભગવંત છે. તેમણે પંડિત દેવવિમલગણિ રચિત હીરસુંદર મહાકાવ્યનું સંપાદન કર્યું છે. 'કીર્તિત્રયી'ના નામે કાર્ય કરતા ત્રણ મુનિભગવંતોમાંના તેઓ એક છે. તેઓની ત્રિપુટી દ્વારા વર્તમાનકાળે અત્યંત કઠિન એવા સંસ્કૃત સામયિક ‘નંદનવનકલ્પતરુ'ના સંપાદનનું દુષ્કર કાર્ય થઈ રહ્યું છે. ‘પ્રતિબિંબ' નામે તેમણે ઉપા. ભુવનચંદ્રજીના પદ્યાનુવાદોનું સંકલન કરેલ છે. ગુરુ - એક શક્તિશાળી તત્ત્વ! સર્વમાન્ય તત્ત્વ! સન્માન્ય કર્યું હતું, સ્પર્શી ગયું - "વ્યક્તમાં આંગળી ચીંધે ને અવ્યક્તમાં હાથ પકડી ચલાવે તે ગુરુ!' ગુરુનું વચન કાં'તો આંગળી ચીંધણું હોય કાં’તો હાથ ઝાલણું ! ગુરુ હાથ ઝાલે પછી જાળવે પા છે. એ હાથ ઝાલે તે તો માત્ર પ્રતીક જ, હાથના બહાને એ સમગ્ર અસ્તિત્વને - આત્માને ઝાલે છે તે એને જાળવવાની જવાબદારી લે છે. નામના આગમ ગ્રંથના મંગલાચરણમાં ભગવાન મહાવીરની તત્ત્વ ! જીવન માટે અનિવાર્ય તત્ત્વ ! એક જગ્યાએ સરસ વિધાનસ્તવના છે એમાં બે વિશેષણ આવે છે - જગગુરુ અને ગુરુ લોગારાં | જગદ્ગુરુ અને લોકના ગુરુ! એટલે મહાવીર પા ગુરુ જ છે! એમના સાધનાકાળની વાત છે. સાધુપણું અંગીકાર કર્યા પછી એ ક્યાંય એક સ્થળે બંધાઈને રહ્યા નથી. સાધુ તો ચલતા ભલા-ના ન્યાયે સતત વિચરણ કર્યું છે. બધા જ સ્થળેથી પસાર થવાનું આવે. ગામ, નગર, પર્વત, જંગલો - બધેથી. એક વખત આ રીતે જ વિચરતા-વિચરતા ભગવાન એક ગામમાં થઈને જંગલ ભણી ચાલ્યા. ગામ લોકોએ એમને જંગલમાં જતા જોયા ને મૂંઝાયા. એ જંગલમાં એક ભયાનક દૃષ્ટિવિષ સર્પ રહે છે. એ ચંડકૌશિક નામે ઓળખાય છે. આજ સુધીમાં કોઈપણ આ જંગલમાં જનારો જીવતો પાછો નથી આવ્યો. કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણીને એણે જીવતા નથી છોડ્યા. ને આ મહાત્મા ત્યાં જાય તો તેમનું શું થાય? ગામ લોકો દોડીને મહાવીર સ્વામી સામે ગયા. વિનંતી કરી કે આપનો માર્ગ બદલો, આ રસ્તે ભય છે - જીવનું જોખમ છે. પણ આ તો મહાવીર! એ રસ્તો બદલે નહીં, બદલાવે. ભટકી ગયેલાને રસ્તે લાવે! અને એ માટે તો એ આવ્યા હતા! એમણે માત્ર સ્મિત કર્યું ને આગળ ચાલ્યા. મૃધ્ધ જંગલમાં પહોંચ્યા. મનુષ્યનો પગરવ થયો ને એની ગંધ આવી ને સર્પ સળવળ્યો. ઘણાં વખતથી કોઈ આવ્યું ન હતું. કોઈએ હિંમત નો’તી કરી આજે માણસ ક્યાંથી ? - ને એ બહાર નીકળ્યો. જોયું - એક સૌમ્ય, શાંત, તેજસ્વી, પ્રસન્ન, તીમય મૂર્તિ! પણ જ્યાં સુધી અંદર અહંકાર કે અજ્ઞાન છે ત્યાં સુધી પોતાનેય ન ઓળખી શકાય તો સામાને/બીજાને તો શી રીતે ઓળખે ? એનો અહંકાર છંછેડાયો. થયું કે હમણાં જ આને દેખાડી દઉં! ને પોતાની ઉગ્ર દૃષ્ટિ તેમના તરફ કરી. પણ... એ જ પ્રસન્ન મુદ્રા. એ વધુ છંછેડાયો. અહંકાર નિષ્ફળતામાં પરાજય જુએ છે ને સત્ત્વ નિષ્ફળતાને પરીક્ષા ગણે. નિષ્ફળતામાં અહંકાર – 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ! ઘણો મહિમા થયો છે ગુરુતત્ત્વનો. દરેક ધર્મ-મત-પંથસંપ્રદાર્થ ગુરુત્ત્વનું મહિમાગાન કર્યું છે. ત્યાં સુધી કે એને પરમાત્માથી પણ આગળ મૂક્યું છે. બહુ પ્રસિદ્ધ દુધો છે, બધા જાણું છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દિઓ બતાય! ઉપલક દૃષ્ટિએ આમાં ગુરુનું મહિમાગાન સંભળાય પણ જરાક ઉંડા ઉતરીએ તો જણાશે કે ગુરુતત્ત્વના મહિમા સાથે એની ઓળખાણ પણ આપી દીધી છે. કોણ હોય ગુરુ? કેવા હોય ગુરુ? જેની પાસે શિષ્યો હોય તે? જેની પાસે ભક્તો હોય તે? જેની પાસે પુણ્ય હોય તે? જેની પાસે જ્ઞાન હોય તે ? સમાજમાં જેની વાહ-વાહ થતી હોય, માન-સન્માન ને પ્રતિષ્ઠા હોય તે? કોણ? બસ, આ 'કોણ?' નો જવાબ આ દુહામાં છે - 'ગોવિંદ દિઓ બતાય!' - જે પરમાત્મ તત્ત્વની - આત્મતત્ત્વની ઓળખ કરાવે તે ગુરુ! વર્ણન નહીં, ઓળખ માત્ર ભણેલો હોય તે વર્ણન કરે ને જેણે સાધના કરી હોય તે ઓળખ કરાવે. ગુરુકૃત્ય આટલું જ છે એ આપણને આપણી ઓળખાણ કરાવી દે - જાત ભઠ્ઠી વાળી દે. જગત આખું આપણા માટે વ્યક્ત છે પણ આપણી જાત અવ્યક્ત રહી ગઈ છે ને એ ભણી લઈ જવા જે હાથ ઝાલે તે ગુરુ! ભગવાન મહાવીર યાદ આવે ! એ પરમગુરુ છે. નંદીસૂત્ર ઓગસ્ટ – ૨૦૧૭ ૨૯ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy