________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ત્રીજું અત્યંતર તપ – વૈયાવચ્ચ E સુબોધીબેન સતીશ મસાલીઆ
વૈયાવચ્ચ એટલે સેવા. આહાર, પાણી, ઔષધ આદિથી, કાયાની પ્રવૃત્તિથી અથવા અન્ય દ્રવ્ય વડે દુ:ખ વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી વૈયાવૃત્ય થાય છે. મુનિવરોના દસ ભેદે કરીને વૈયાવચ્ચ પણ દસ પ્રકારની છે. મુનિવરોના દસ ભેદ છે...(૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) નવદીક્ષિત (૪) રોગી (૫) તપસ્વી (૬) ચીર (૩) સ્વધર્મી (૮) કુળ (૯) ગણ (૧૦) સંઘ અથવા શૈલ્ય, મનોજ્ઞ. દસ પ્રકારના મુનિઓમાંથી કોઈને રોગ થાય, પરિષહોને લીધે ખેદ પામે, મહા બગડી જાય ત્યારે ઉપચાર કરવો તે નૈયાવચ્ચ છે.
શ્રી ભગવાન મહાવીરે બતાવેલું ત્રીજું અત્યંત૨ તપ વૈયાવચ્ચ એટલે કે સેવા કરવી, સેવા કરતી વખતે નીચેની ત્રણ બાબત લક્ષમાં
લેવી.
(૧) સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઇએ. કાંઈ પ્રાપ્ત કરવા કે મેળવવા માટે નહિ. સેવા નિષ્પ્રયોજન હોવી જોઇએ.
બીજું પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને રાગદ્વેષ આદિ દોર્ષોથી વેપાવા ન દેવો, પોતાના આત્માને ભગવાનના પરમાગમમાં લગાવી દેવો, દસ લક્ષણ રૂપ ધર્મમાં લીન ક૨વો, કામ, ક્રોધ, લોભાદિક કષાયને તથા ઇંદ્રિયોના વિષયોને આધીન થવા ન દેવો તે આત્માની વૈયાવચ્ચ છે. જે પોતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયાવચ્ચ પ્રાપ્ત થાય છે. જોકે આ બધી ક્રિયામાં જે બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપ જેવું જ જાણવું; પરંતુ આવું બાહ્ય પ્રવર્તન થતાં જ અંતરના પરિણામોની શુદ્ધતા થાય તેનું નામ અત્યંતર તપ છે. એટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો ‘વિતરાગ ભાવ' છે. બાકી અન્ય અનેક પ્રકારના ભેદો તો નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે તેને વ્યવહાર માત્ર ધર્મકાર્ય કર્યું હોવાની મજા આવતી હશે તો તમે નવા કર્મોનો સંગ્રહ સંજ્ઞા જાણવી. વૈયાવચ્ચેથી ઘણાં ગુણો પ્રગટે છે જેવા કે સંઘમનું કરો. તો તેવી સેવા કર્મબંધન બની જશે. પણ આ સેવા કરીને હું સ્થાપન, દુર્ગંછાનો અભાવ, પ્રવચનમાં વાત્સવ્યપણું વગેરે અનેક મારા કોઈ પૂર્વ કર્મની નિર્જરા કરૂં છું કે કર્મ ખપાવું છું એવી ભાવના ગુણો પ્રગટે છે. હશે તો ભવિષ્ય માટે નવું કર્મબંધન નથી. આમ સેવા એ ભલે પુણ્યનું કામ છે; પણ તેથી ભવિષ્યમાં કંઈ મેળવવાની ભાવના છે, ભલે
થોડી ઘણી પુન્ય કમાવાની વાસના હશે, કે એમ કરવામાં કોઈ વિશિષ્ટ
(૨) સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની
ભાવના અંદ૨માં ગહન થવી જોઇએ નહીં.
(૩) સેવા કરતાં પુન્યનો ભાવ કે કર્તાનો ભાવ પણ પેદા થો જોઇએ નહિ.
ડિસેમ્બર, ૨૦૧૬
હવે આપણે આ ત્રણેય વસ્તુને સમજીએ. ‘સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઇએ. એટલે કે સેવા કરીશ તો મને ધન મળશે, પશ મળો કે સ્વર્ગ મળશે, માન મળશે, નામ થશે એવી કોઈપણ ભાવના પ્રેરિત સેવા ન હોવી જોઇએ. સારૂં કે ખરાબ કંઈપણ મેળવવાની ભાવનાથી સેવા કરો એટલે એ વાસના પ્રેરિત થઈ. જે સેવામાં
કોઈપણ પ્રોજન હોય તો તે સેવા, સેવા નથી. તેવી સેવાથી મહાવીરે બતાવેલો અત્યંતર તપ સાધો નથી. મહાવીર કહે છે...ભૂતકાળમાં આપણે જે કર્મ કર્યા છે તેના વિસર્જન માટે, તેની નિર્જરા માટે સેવા કરવી પડે છે.
બીજી બાબત એ હતી કે સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની ભાવના અંદ૨માં ગહન થવી જોઇએ નહિ. સામાન્ય રીતે આપણને એમ લાગે કે સેવાનું કામ તો ગર્વ લેવા જેવું જ છે. એમાં ખોટું શું છે ? પણ મહાવીર કહે છે જે સેવા ગૌરવ બને છે તે અહંકારને પોષે છે. જ્યારે મહાવીરે બતાવેલી સેવા તો પાપનું પ્રાયશ્ચિત છે, જેમકે ભૂતકાળમાં મેં કોઈને ઈજા પહોંચાડી હશે. નો આજે એની મલમપટ્ટી કરીને પાપનું પ્રાયશ્ચિત કરૂં છું. ભૂતકાળમાં કોઈને ખાડામાં ધક્કો માર્યો હશે તો આજે હૉસ્પિટલ પહોંચાડીને પ્રાયશ્ચિત કરૂં છું, મહાવીરની સેવાની ધારણા આવી અનોખી છે. એમાં ગૌરવ કરવા જેવું કાંઈ છે જ નહિ, એથી અહંકાર પેદા થવાને કોઈ કારણ નથી.
ત્રીજી બાબત એ છે કે સેવા કરતાં પુન્યનો ભાવ કે કર્તાનો ભાવ પા પેદા થવો જોઇએ નહીં. મહાવીર કહે છે કે સેવા કરવામાં એ
પુન્ય મેળવવાની ભાવના હોય કે જશ મેળવવાની ભાવના હોય તો તે વાસના પ્રેરિત સેવા થઈ. જેનાથી અનુબંધ પાપનો પડી જશે. જે અનંતોસંસાર રખડાવશે. પરંતુ આ સેવાના પુન્યકાર્ય પાછળ ફક્ત કોઈ પાછલા જન્મનું કર્મનું વિસર્જન કરૂં છું, નવું કાંઈ જ નથી કરી રહ્યો, એ ભાવના હશે તો કર્મની નિર્જરા થશે. હિસાબ ચૂકતે થઈ
જશે. જમા-ઉધાર કાંઇ નહીં રહે.
મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ તો દવા જેવું છે. દવાથી મળતું કાંઈ નથી પણ રોગ દૂર થઈ જાય છે. સેવાથી પણ મેળવવાનું કંઈ જ નથી, જે જૂનું છે તેનું વિસર્જન થઈ જશે.
મેં ક્યારેક તમને એક તમાચો માર્યો હોય તો આ જન્મમાં મારે તમારા પગ દબાવવા પડે. એ પગ દબાવવાથી નવું કાંઈ મેળવવાનું નથી. ન પુન્ય, ન જશ, ન નામ, ન ધન, ન પ્રેમ...બસ ફક્ત જૂનાનું વિસર્જન. જ્યારે જમા-ઉધાર કાઈ ન રહે ત્યારે હાથમાં ફક્ત શૂન્ય