SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પુસ્તકનું નામ ઃ શબ્દ સૂરાવલી VOCABULARY OF SELECTED ENGLISH WORDS સંકલન : ગુજાર્યત ભીખાભાઈ શાહ પ્રકાશક : મંજૂલા ગુણવંત શાહ ૧૦. લક્ષ્મીદર્શન, બજાજ રોડ, વિલેપારલે (વે.), મુંબઈ-૪૦૦૦૫૬. ફોનઃ ૨૬૭૧૧૨૬ મૂલ્ય-જ્ઞાન વહેંચો. પાના ૧૬૮. આવૃત્તિ-પ્રથમ સાંપ્રત સમયના વાચકોની રુચિ કેળવાય તે આશયે ગુણવંતભાઈ શાહે આ પુસ્તકમાં અંગ્રેજી ભાષાના જરૂરી શબ્દભંડોળની સાચી સમજ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. અંગ્રેજી ભાષાના શબ્દભંડોળને પાંચ વિભાગમાં જુદી જુદી રીતે સમજાવ્યા છે. (૧) લગભગ ૨૯૧ અંગ્રેજી શબ્દોની સમજ અંગ્રેજીમાં આપી છે. (૨) એ ટુ ઝેડ સુધીના ૧૨૧૫ અંગ્રેજી શબ્દોના ઉંચ્ચાર, તેનો બીજો અંગ્રેજી શબ્દ અને ગુજરાતી અર્થ આપ્યા છે. (૩) ૧૨૧ અંગ્રેજી વાક્ય પ્રયોગો અને કહેવતોના ગુજરાતી અર્થો આપ્યા છે. (૪)યુરોપિય ભાષાના-લેટિન, ફ્રેંચ, જર્મન વગેરેના કથનો (૧૦૬) ગુજરાતી સમાંતર અર્થ સાથે આપ્યા છે. (૫) અંગ્રેજી ભાષાના ૧૦૬ ગુંચવણભર્યા શબ્દોની સરળ સમજ આપી છે. આ પુસ્તક ભાષાપ્રેમીઓ માટે ઉપયોગી છે. પ્રબુદ્ધ જીવન સર્જન સ્વાગત ઘડૉ. કલા શાહ ફોનઃ ૨૬૫૮૦૩૬૫, ૨૬૫૮૩૭૮૭. સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસે શૃંગાર રસને રસરાજ કહ્યો છે. મિલન અને વિરહ બન્ને ભાવોને વ્યક્ત કરતું અઢળક સાહિત્ય વિશ્વની દરેક ભાષાઓમાં પ્રાપ્ત થાય છે. પ્રણયનો ભાવપ્રેમભાવ એક સનાતન ભાવ છે. પ્રેમ અથવા પ્રણય એટલે બે વિજાતીય વ્યક્તિ વચ્ચેનો શારીરિક, માનસિક અને આત્મિક કક્ષાએ વ્યક્ત થતો ભાવ. મુંબઈ સમાચારના ‘કહાં ગયે વો લોગ’ કટારના લેખક અને ૨૦૦૭ના મહારાષ્ટ્ર રાજ્યના લલિત નિબંધના પ્રથમ પારિતોષિક વિજેતા કિશોર પારેખ ‘પ્રણય કથાઓ' લઈને આવ્યા છે. વ્યવસાયે વેપારી હોવા છતાં સ્વભાવથી સાહિત્યપ્રેમી એવા આ લેખકે ભારત, ગ્રીસના ઈતિહાસ અને પુરાણ-કથાઓ ઉપરાંત સર્વદેશીય ૩૦ પ્રણયકથાઓ-લોકકથાઓ–‘મુંબઈ સમાચાર’માં પ્રકટ કરી હતી અને વાચકોએ આ પ્રણયકથાઓને કે. જે. સોમૈયા ફોર સ્ટડીઝ ઈન દૈનિઝમ જૈન તત્ત્વજ્ઞાનના પ્રચારાર્થે ગુજરાતી અને અંગ્રેજીમાં અભ્યાસ યોજે છે સર્ટીફિકેટ કોર્સ ઈન હિસ્ટરી એન્ડ ફીોસોફી ઓફ જેનીઝમ જૂન ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦ (યોગ્યતા ૧૨મું ધોરા પાસ) ડિપ્લેમા કોર્સ ઈન જૈન ફિલોસોફી એન્ડ રિલિજિયન જૂન ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦ (ચોગ્યના ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન એડવાન્સ્ડ ડિપ્લોમા કોર્સ ઈન જેન ફિલોસોફી, રિલિજિયન એન્ડ કલ્ચરલ હિસ્ટરી ઑગસ્ટ, ૨૦૦૯ આવકારી હતી. આ પ્રણયકથાઓની વિશેષતા એ છે કે તે મૌલિક ન હોવા છતાં લેખકની કલમ વાચકને વાર્તારસમાં ઘસડી જઈ પોતીકી બનાવી દે છે. આ કથાઓમાં આવતા યુગલોના જીવનનું પ્રે૨ક બળ પ્રેમ અને માત્ર પ્રેમ છે. પ્રેમને જવલંત રાખવા તેમણે દુ:ખને નોતર્યા છે, ત્યાગ કરી બદિાન આપ્યા છે. આ પ્રણયકથાઓની બીજી વિશેષતા એ છે કે લેખક વિદેશની કોઈપરા વાર્તા લખે છે ત્યારે તે પાત્રોને ભારતીય રંગે રંગી દે છે. ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ-ભાવે' વાર્તામાં ઓર્ફિયસ પોતાની મૃત પત્નીને મૃત્યુ લોકમાંથી પાછી લાવવા નીકળે છે તે પ્રસંગમાં ભારતીય ભાવનાનો અનુભવ થાય છે. ‘તેને શ્રદ્ધા હતી અને આવી શ્રદ્ધા સંજીવની છે જે અશક્યને શક્ય બનાવી શકે છે અને મરેલાને જીવતાં કરી શકે છે. ભારતમાં સતી સાવિત્રીની શ્રદ્ધાએ તેના પતિ સત્યવાનને યમના પાશમાંથી મુક્ત કરાવ્યો હતો.’ તે ઉપરાંત ખડે પ્રકાઓમાં કરેલ પ્રણયભાવના કથનો સ્મરણીય બની રહે તેવા છે. XXX પુસ્તકનું નામ : પ્રણય કથાઓ લેખક : કિશોર પારેખ પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. ૧૯૯૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. ફોનઃ ૨૨૦૦૨૬૯૧,૨૨૦૦૧૩૫૮. મૂલ્ય-રૂા. ૨૦૦/-. પાના ૨૭૮. આવૃત્તિ-૧. માર્ચ-૨૦૦૯. મુખ્ય વિક્રેતા : ૨૦૨, પેલિકન હાઉસ, કુલ છ સપ્તાહ. નટરાજ સિનેમા પાસે, ગુજરાત સ્થળ : કેબિન નં. ૮, બીજે માળે, મેનજમેન્ટ બિલ્ડીંગ, સોમયા ચેમ્બર્સ ઓફ કોમર્સ કમ્પાઉન્ડ, અમદાવાદ-૩૮૦૦૦૯. વિદ્યાવિહાર કેમ્પસ, મુંબઈ-૪૦૦ ૦૭૭. Email:jaincentre@somalya.edu ‘સાચો પ્રેમ એ છે કે જે સામી વ્યક્તિના મનોભાવો આંખોમાં વાંચી લે, ત્યાર પછી આવે બોલકો પ્રેમ જે મુખ વાટે વ્યક્ત થાય ત્યારે જ પમાય, અને કાન વડે ગ્રહણ કરાય.' ‘યૌવનનો પ્રથમ પ્રેમ ધસમસતો દૈહિક વિશેષ અને આંતરિક ઓછો પણ એક વખત લગ્નમાં પરિણમવા પછી તેમાં સમજનું એકત્વ ભળે છે, બે દેહ થાય છે, બે મન અને આત્મા પછી એક જૂન ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦ યોગ્યતા સ્નાતક અથવા ડિપ્લોમા કોર્સ | થઈ ધબકે છે.’ સપ્તાહમાં બે દિવસ પ્રત્યેક દિવસ બે કલાક માટે. વધુ માહિતી માટે સંપર્ક કરો ઓફિસ ઃ ૨૫૦૨૩૨૦૯, ૬૬૪૪૯૩૭૪ સવારે ૧૦-૦૦ થી ૫-૩૦ પ્રેક્ષા ધ્યાન સિદ્ધાંત અને સ્વાનુભવ સપ્તાહમાં બે દિવસ પ્રત્યેક દિવસ બે કલાક માટે પ્રાયકથાઓના શીર્ષક તથા વાર્તાને અને આપેલ કાવ્યો, મુક્તકો અને શાયરીઓ કથાની પ્રણયભાવનાને અનુરૂપ અને હ્રદયસ્પર્શી છે. સંવેદનશીલ સાહિત્યપ્રેમીઓ એ વસાવવા જેવું આ પુસ્તક છે.** બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઇસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬ ૩. ફોન નં. : (022) 22923754
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy