________________
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯
જેમ વાંચતા જઈએ છીએ તેમ આપણને આશ્ચર્ય મુગ્ધ કરે છે. આ પ્રકરણમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી સમાજ, જીવન, કુટુંબ, ધર્મ અને સાધનાના એકપણ ક્ષેત્રને પ્રેરણા આપવાથી મુક્ત રાખતા નથી. પરંતુ તે સર્વ ક્ષેત્રોને પ્રેરીને નવપલ્લવિત કરવાનું ધ્યાન રાખે છે.
સાંપ્રત જગત એકદમ નજીક આવી ગયું છે અને સમગ્ર વિશ્વ એકબીજા પર આધારિત બની ગયું છે. આર્થિક જગત કલ્પનાતીત ચઢાવ-ઉતાર જોઈ રહ્યું છે અને વધુમાં વધુ ઉપભોગ માટે દુનિયા તલસી રહી છે તેવા સમયમાં જીવનની સ્થિરતા અને આત્માની ઉન્નતિ સમજાવનારા સંતપુરુષો સૌ માટે શાતાદાયક વડલા જેવા બની રહેતા હોય છે. કર્મયોગી બનવા માટેની પ્રેરણા આજના સમયની સૌથી મહત્ત્વની પ્રેરણા છે. પોતાની આસપાસમાં થતી પ્રગતિ અને વિકાસ
પુસ્તકનું નામ : સ્મરણમ્...મધુરમ્ લેખક : ભારતી પંડિત
પ્રકાશક : જીવન સ્મૃતિ સ્વાધ્યાય મંદિર, મનુ પંડિત -૧૭, વસંતનગર સોસાયટી, ભૈરવનાથ માર્ગ, મિનગર,
અમદાવાદ-૩૮૦ ૦૦૮.
કિંમત રૂ।. ૨૫, પાના ઃ ૧૧૨, આવૃત્તિ-પ્રથમ ઑગસ્ટ-૨૦૦૮.
માસનું વન વહેતી સરિતા જેવું છે. સરિતામાં અખંડ જળ વહ્યા કરે તેમ માનવજીવન પળ પળ વહ્યા કરે, તેમાં ક્યારેક ખટાશ તો ક્યારેક મીઠાશના અનુભવ થાય છે. ભારતીબેન પંડિતે પોતાના જીવનના ૭૫મા વર્ષમાં પ્રવેશતાં કેટલાંક મધુર સંસ્મરણોને લખ્યા અને એને ‘સ્મરણમ્ મધુરમ્' એ નામ આપ્યું છે.
રાષ્ટ્રીય ભાવનાને સમર્પિત એવા કુટુંબમાં જન્મેલા અને ઉછેર પાયેલા, પશ્ચિમભર્યું જીવન જીવનારા ભારતીબેને આલેખેલ ૨૧ સંસ્મરણોમાં પૂ. રવિશંકર મહારાજ, મણિબા નાણાવટી, બબલભાઈ મહેતા, નવલભાઈ શાહ, શ્રીકાંત
આપ્તેજી સાથેના સંસ્મરણો નોંધપાત્ર છે.
ભારતીબેને અમૃત પર્વ નિમિત્તે સેવાગ્રામની તાલીમ અને વાત્સલ્યધામમાં ગૃહમાતાના અનુભવોના આલેખનમાં એમના સાચા જીવનના આસ્વાદનો અનુભવ કરાવે છે.
‘સ્મરણમ્...મધુરમ્'ની આનંદ યાત્રામાં સત્ય અને સૌંદર્યની પ્રતીતિ વાચકને થશે જ ધરશે.
XXX
પુસ્તકનું નામ : ફ્લોરેન્સ નાઈટિંગલ લેખક : ઉષાબેન જાની–ગુલાબભાઈ જાની પ્રકાશક : સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન, C/o. સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન ટ્રસ્ટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૭.
પ્રબુદ્ધ જીવન
૨૫
ન
જોઇને જે થનગની ન ઉઠે તેવા આળસુ માટે આ દુનિયાના નકશામાં કોઈ સ્થાન નહિ રહે. પ્રત્યેક પ્રભાત આગેકદમ માટેની ગૂંજતી ઝાલર સમાન છે. આજની સવાર કોયલના ટહૂકાની રાહ જોતી નથી. આપણી સવાર પણ તકની પ્રતીક્ષા પર આધારિત નથીઃ સવાર પડે એટલે કોઈક કાર્ય માટે મચી પડવાની નવી શક્તિનો અભ્યુદય થવો જોઇએઃ ‘શ્રી જૈન મહાવીર ગીતા’નો ‘કર્મયોગ' એ પ્રેરણા આપે છે, એ વિવેક શીખવે છે, એ દૃષ્ટિનું દાન કરે છે.
(ક્રમશ:)
પૂજ્ય આચાર્યશ્રી વાત્સહ્મદીપ, જૈન ઉપાશ્રય, ૭, રૂપ માધુરી સોસાયટી, સંધવીના રેલ્વે ક્રોસીંગ પાસે, નારણપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩,૦
સર્જન સ્વાગત
ઘડૉ. કલા શાહ
કિંમત રૂા. ૧૦, પાના : ૩૦, આવૃત્તિ-દ્વિતીય,
ઈ. સ. ૨૦૦૬.
આ નાનકડી પુસ્તિકામાં લેખકે ફ્લોરેન્સ નાઈટિંગલનું જીવન ચરિત્ર વાંચ્યા પછી ઇંગ્લેંડના ધનાઢ્ય ઘ૨ની પુત્રી ગરીબ દર્દીઓની સેવા માટે અનેક અવરોધો વચ્ચે જીવન સમર્પણ કરે છે અને એ રૂઢિચુસ્ત સમાજમાં સ્ત્રીઓને કંઈ પણ સેવાકાર્ય કરવું કેટલું મુશ્કેલ છે તેનો અને ફ્લોરેન્સના જીવન સંઘર્ષનો પરિચય કરાવ્યો છે.
એક મહાન મહિલાના જીવનમાંથી અનેક વાચકોને આ નાનકડી પુસ્તિકા પ્રેરણા આપશે.
XXX
પુસ્તકનું નામ : ભક્તિથી મુક્તિ સંપાદક-પ્રકાશક : રાયચંદ મગનલાલ શાહ બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. કિંમત રૂા. ૧૫, પાના ઃ ૧૨૪, આવૃત્તિ-પ્રથમ
મે-૨૦૦૧.
ભક્તિ એટલે પરમાત્મા સાથે વાત કરવાની અણમોલ તક. આત્માને પરમાત્મા સાથે વાત કરવા માટે ભક્તિ સીધું અને સરળ માધ્યમ છે. સાચા હૃદયથી કરેલી ભક્તિ માનવને ભગવાન
બનાવી શકે છે. આ વાતને નજર સમક્ષ રાખી અનુભવભ શાસનરસિંક, પરમશ્રદ્ધાળુ શ્રી રાયચંદભાઈએ ૯૫ વર્ષની જેફ વયે ખૂબ પરિશ્રમ કરી ભક્તજનોને ઉપયોગી થાય એવા ભક્તિભાવ
પુણ્યશાળી આત્માઓ આ પુસ્તકનું પઠન કરીને
આત્માને આત્મધ્યાનમાં લીન બનાવશે.
XXX
પુસ્તકનું નામ : વીણેલાં ફૂલ (૪૦ ટૂંકી વાર્તાઓ) ગુચ્છ-૧૬. રૂપાંતર : હરિશ્ચંદ્ર પ્રકાશક : જગદીશ શાહ, યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હજરતપાગા, વડોદરા-૩૯૦ ૦૦૧. કિંમત રૂા. ૩૦, પાના : ૮૦, આવૃત્તિ-પ્રથમ ૨૦૦૭
પ્રસ્તુત વાર્તાઓના રૂપાંતરકાર એક વ્યક્તિ નહિ પણ બે વ્યક્તિઓ છે. બન્ને સ્ત્રીઓ, એકનું નામ ચંદ્રકાંતા અને બીજીનું નામ હરવિલાસ છે. બન્ને વિનોબાની શિષ્યાઓ, સેવાયજ્ઞમાં સક્રિય, આજીવન કાર્ય કરનારી વ્રતધારિણીઓ છે. જેમણે સાહિત્યના રસ ઘૂંટી ઘૂંટીને પીધા છે. લેખકે દેશભરના લેખકોની વાર્તાઓનું રૂપાંતર કર્યું છે. દરેક વાર્તા માત્ર બે જ પાનાની, ૬૦ લિટી અને સાડા સાતસો શબ્દોમાં.
કુલ ૪૦ વાર્તાઓની પસંદગીમાં ફિંચની
ઉચ્ચતાની અને જીવન અને સમાજ વિશેના
ધ્યેયનિષ્ઠ છતાં કલાતત્ત્વને વફાદાર એવા અભિગમની પ્રતીતિ થાય છે. આ વાર્તાઓમાં સ્ત્રી જીવનનું સાચું છતાં સુરેખભર્યું ચિત્ર વાચકના
હૃદય સમક્ષ ઉપસે છે.
XXX
પુસ્તકનું નામ ઃ જીવનનું સર્વાંગી વિજ્ઞાન લેખક : ઈ. એસ. શુમાખર
પ્રકાશન : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હજરતપાગા, વડોદરા-૩૯૦ ૦૦૧.
કિંમત રૂા. ૨૫, પાના : ૮૦, આવૃત્તિ-પ્રથમ, મે
૨૦૦૭.
ભરપૂર, પ્રાચીન સ્તવનો, સ્તુતિઓ, મંગલકારી નવસ્મરણ, રાસ અને પ્રભાતિયા વગેરેનો આ પુસ્તકમાં સંગ્રહ કર્યો છે.
છેલ્લા ચાલીસ વર્ષના સમયગાળામાં માનવે ભૌતિક પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રે મોટી હરણફાળ શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરતી વખતે ભરી છે. આધુનિક વિજ્ઞાનનો ભારે પ્રભાવ