SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ આંગસ્ટ, ૨૦૦૮ જડ સંગે દુ:ખીઓ થયો ભવિ ધ્યાવો રે, થઈ બેઠો જડ ભૂપ પરમ પદ પાવો રે ... ૧ ૧ હે પ્રભુ! કોઈપણ હકીકત છૂપાવ્યા સિવાય નિખાલસતાથી આપની સન્મુખ નિવેદન કરું છું કે ‘પર’ પુદ્ગલાદિ પદાર્થો અને 'પર‘ભાવના સંગે મારાથી અસંખ્ય દોષો થયા છે, જેને લીધે આત્મવીર્યને ચલાયમાન કે બાલવીર્ય કરી નાંખ્યું છે. મારી આવી આસક્તિમય પ્રવૃત્તિથી હું લગભગ જડ જેવો થઈ ગયો છું. હું સંસાર પરિભ્રમણમાં દુ:ખીદુ:ખી થઈ ગયો છું અને જડતાનું સામ્રાજ્ય મારી ઉપર છવાઈ ગયું છે. દર્શન જ્ઞાન ચરણા સદા ભવિ હાવો છે. આરાધો ત્યજી દોષ પરમ પદ પાવો રે; તજ અભેદથી ભવિ ધ્યાવો રે, પ્રબુદ્ધ જીવન લહિએ ગુણ ગણ પોષ પરમ પદ પાવો રે ... ૧૨ દોષરહિતપણે સાધકે કેવી રીતે આરાધના કરવી પટે તે બારમી ૩૧ જાણપણું સાકાર સ્વરૂપે પ્રકાશિત કરે છે. સંયુક્તપણે આ બન્ને ગુણોના પરિણમનને (દર્શનજ્ઞાનમય) ચેતના કહેવામાં પણ આવે છે, જે જોવા-જાણવાનું કાર્ય કરે છે. આ બન્ને ગુણોની વિધિવત્ આરાધના પ્રમાણિત સત્-સાધનોથી ભાવપૂર્વક થાય તો ભવ્યજીવ શિવપદ પામવાનો અધિકારી નીવડે છે. ગાથામાં સ્તવનકારે પ્રકાશિત કરી છે. સ્તવનકારની ભભવોને ભલામણ છે કે તેઓ સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્રાદિ સત્તાધનોથી મુક્તિમાર્ગનાં કારણોનું સેવન કરે. આવી ઉપાસનામાં કોઈપણ પ્રકારનો દોષ ન થાય એવી રીતે વિધિવત્ ભાવપૂર્વક આરાધના સદ્ગુરુની નિશ્રામાં કરે. અથવા સાધકને તેના મૂળભૂત સ્વરૂપનું (શુદ્ધગુણો) એકબાજુ અખંડ ધ્યાન વર્તે અને બીજી બાજુ સંસાર વ્યવહારમાં આવતા પ્રાપ્ત સંજોગોનો રાગદ્વેષ રહિતપણે સમભાર્થે નિકાલ કરે એવો નિશ્ચય વર્તાવૈ. નિશ્વય અને પવહાર એ બન્ને સૃષ્ટિથી ઉપાસના થાય તો કર્મબંધ થવાનાં અટકે અને પૂર્વકૃત કર્મી સંવરપૂર્વક નિર્ભરે. આવા ધ્યેયલક્ષી પુરુષાર્થથી સાધકના આત્મિક ગુણો નિરાવરણ થાય અને શુદ્ધગુણોનું પ્રગટિકરણ થાય. દર્શન જ્ઞાન વિરાધના ભરિ ધ્યાવો રે. તેહિ જ ભવ ભય મૂલ પરમ પદ પાવો રે; નિજ શુદ્ધ કુછ આરાધના ભવિ પદ ાવો રે, એ શિવપદ અનુકૂલ પરમ પદ પાવો રે ... ૧૩ આત્મદ્રવ્યના દર્શન અને જ્ઞાન એ મુખ્ય ગુણો છે. જેના ઉપયોગથી જીવ જોવા-જાણવાદિનું કાર્ય કરે છે, પરંતુ આ ગુશો કેટલા પ્રમાણમાં નિરાવરણ થઈ પ્રકાશિત થયા છે, તેના ઉપર કાર્યનો આધાર છે. ભવભ્રમણનું મુખ્ય કારણ આ બન્ને ગુણોની વિરાધના છે, જેનાથી જીવ દર્શનાવરણય અને જ્ઞાનાશિય કર્મ બાંધે છે. આત્મિક શુદ્ધ દર્શન ગુણ પદાર્થનું મૂળભૂત સ્વરૂપ કે સત્તા દર્શાવે છે અથવા અભેદ અને નિરાકાર સ્વરૂપ પ્રકાશિત કરે છે. જ્યારે આત્મિક જ્ઞાનગુણ પદાર્થોમાં રહેલ ભેદ કે ભિન્નતાનું શુદ્ધ ટિક સબ સા નિજ ભવિ આવો રે, સાથે રાગ રહિત પરમ પદ પાવો રે; સાધ્ય અપેક્ષા વિજી ક્રિયા વિ ધ્યાવો કે, કષ્ટ કર્યો નહિ દ્વિત પરમ પદ પાવો રે ..૪ નિશ્ચય દ્રષ્ટિએ મૂળભૂત આત્મિકગુર્ણા શાશ્વત અને સ્ફટિક રત્નની માફક શુદ્ધ જ છે, પરંતુ સાંસારિક જીવોને ગુણો ઉપ૨ કર્મરૂપ આવરણો હોવાથી તે ઢંકાઈ ગયા છે. આનો દાખલો આપતાં સ્તવનકાર જણાવે છે કે જેમ કોઈ કાળો કે લાલ પદાર્થ સ્ફટિકની પાછળ રાખેલો હોય અને એવો આભાસ થાય કે સ્ફટિક કાળું કે લાલ છે. પરંતુ આવા રંગીન પદાર્થ હટવાથી, જેમ સ્ફટિક રત્ન તેના મૂળ સ્વરૂપે ઉભરી આવે છે, એવી રીતે સાધકના ગુર્ણા ઉપરનું કર્મમણ હટતાં, શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત થાય છે. ઉપાસના થતી વખતે સાધકનો અંતર-આશય એવો હોવો ઘટે કે ‘કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે જોઇતી નથી.' વનકારની આવી ભલામણનો અમલ સાધકે કરે તો તેની ઉપાસનામાં કષ્ટમય ક્રિયાઓની આવશ્યકતા રહેતી નથી. પરમ દયાળ ક્રુપાળુઓ ભવિ ધ્યાવો રે, દેવચંદ્ર શિવ રૂપ પરમ પદ પાવો રે; શિવ કમલા મનસુખ તે ભવિ ધ્યાવો રે, શાશ્વત આત્મ સ્વરૂપ પરમ પદ પાવો રે ... ૧૫ તીર્થંકરના નામકર્મરૂપ પુણ્યપ્રકૃતિ જેઓને ઉદયમાન છે એવા શ્રી અરિહંત પરમાત્મા નિષ્કારણ કરુણાવંત અને દયાળુ છે. તેઓની ધર્મદેશનાથી અસંખ્ય ભવ્યજીવોનું આત્મકલ્યાણ થાય છે, કારણ કે તેઓના બોધથી ત્રિરત્નની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ સાધનોથી ભવ્યજીવો ઉપાસના કરે છે, ત્યારે તેઓનું ધ્યાન દેવીમાં ચંદ્રમા જેવા ઉજ્જવળ શિવપદનું હોય છે. ક્રમશઃ સાધકો ગુણસ્થાનકો આરોહણ કરતા મોક્ષલક્ષ્મી પ્રાપ્ત છેવટે કરે છે. આવું શાશ્વતું પદ ભવ્યજીવો પ્રાપ્ત કરે એવું સ્તવનકારનું આવાહન. ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યૂ સામા શેઠ, વડોદરા-૩૯૦૦૦૮
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy