SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ३० પ્રબુદ્ધ જીવન છે અથવા સુખનો આભાસ થાય તો તે પણ નાશવંત પ્રકારનું હોઈ શકે. જે ભવ્યજીવની અંતિમ હેતુ કે ધ્યેય કાયમી સહજ સુખાનંદનો છે, તેને સાધન શુદ્ધિ પણ હોવી ઘટે. એટલે અનુભવી જ્ઞાનીઓએ પ્રમાણિત કરેલ સત્ સાધનોનો સદુપયોગ ઉલ્લાસભે૨ અને ભાવપૂર્વક થવો ઘટે, જેથી ધ્યેયની સિદ્ધિ સરળતાથી થઈ શકું. રત્નત્રયી વિષ્ણુ સાધના ભવિ ધ્યાવો રે, નિષ્કલ જાા સદાય પરમ પદ પાવો રે; રત્નત્રયી શિવ સાધના ભવિ આવો રે, સાધી ભવિ શિવ પાય પરમ પદ પાવો રે ...૬ હાલ જયા વિના ભરિ આવો રે. પરપદ મળત ઉપાય પરમ પદ પાવો રે; રાગાદિ વશ જીવ એ ભવિ ધ્યાવો રે, કીધા અનેક ઉપાય પરમ પદ પાવો રે... સ્તવનકારે ઉપરની બે ગાથાઓમાં ‘પર' પદ ટાળી, ‘સ્વ' પદની આરાધના સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ સત્-સાધનોથી કરવાની ભલામણ કરી છે, તે જોઈએ, દરઅસલપણે પોતાનું શુદ્ધ સ્વરૂપ શું છે અને શું નથી તે ગુરુગમેં યથાર્થ જાણ્યા સિવાય જે જીવો અનેક પ્રકારના ઉપાયો સાધ્યની પ્રાપ્તિ માની પોતાની મતિકલ્પનાથી કે લોકવાયકાથી કરતા હોય છે, તેઓની સાધના બહુધા નિષ્ફળ થાય છે, અથવા તેનાથી કાંઈક પુણ્યપ્રકૃતિ ઉપાર્જન થાય, પરંતુ તેનાથી ભવભ્રમણ અટકતું નથી. અથવા જે જીવો રાગદ્વેષ અને અજ્ઞાનવશ વિવિધ પ્રકારની આરાધનામાં તન્મય અને તત્પર થાય છે, તેઓ નિષ્નળતાને વરે છે. બીજી રીતે જોઈએ તો લોકિક ક્રિયાઓ મોટાભાગે ભ્રાંતિમય સંપદાની પ્રાપ્તિ માટે કરાય છે, પણ ભવરોગ થવાં નિ છે. તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮૩ નક ચાચી એ નવા ભવિ બાવો રે નિજ ગુણ દ્રવ્ય પ્રજાય પરમ પદ પાવો રે; પર જ પ્રવનું ભતિ ક્યારે રે, મમત તેજ સુખ થાય પરમ પદ પાવો રે....૮ જાણ્યું આતમ સ્વરૂપમેં ભાવિ ધ્યાવો રે; વડી કીધો નિરધાર પરમ પદ પાવો રે. ચરણે નિજ ગુજ રમામાં ભવિ આાવો રે, તજી પર રમણ પ્રચાર પરમ પદ પાવો રે ...& શ્રી અરિહંત પ્રભુની ધર્મદેશના સાંભળી અથવા આત્માનુભવી જ્ઞાનીનો બોધ શ્રદ્ધાપૂર્વક બહુમાનથી સ્વીકા૨ી સાધક નીચે મુજબનો નિર્ધાર કે નિશ્ચય ઉલ્લાસપૂર્વક વ્યક્ત કરે છે. ‘હે પ્રભુ! આપના અપૂર્વ બોધથી હવે મને જાકા થઈ છે કે ‘સ્વ' દ્રવ્ય, ગુણ, પર્યાય અને ‘પર' દ્રવ્ય, ગુડ્ડા, પર્યાય દરઅસલપો ‘૫૨’ શું છે. ઉપરાંત ‘સ્વ' દ્રવ્ય (ચેતન) અને 'પર' દ્રવ્ય (જડ) વચ્ચે શું તાત્ત્વિક ભેદ છે એ પણ જાણ્યું. અથવા મારું શું છે અને શું નથી તેના ભેદનું રહસ્ય કે મર્મ મને આપના બોધથી માલુમ પડ્યું છે. મને હવે ખાતરી થઈ છે. ‘૫૨’ દ્રવ્યની મમતા છૂટી જવાથી અથવા હું દેહાદિ સ્વરૂપ છું' એવી ભ્રાંતિ છૂટવાથી મને નિજ ગુણપર્યાયનું જ ધ્યાન વર્તી શકે તેમ છે. હવે મને નિર્ણય અને નિશ્ચય વર્તે છે કે ‘સ્વ' દ્રવ્ય-ગુણપર્યાય જ મારું દરઅસલ શાશ્વત સ્વરૂપ છે. હે પ્રભુ ! મને આપના આજ્ઞાધિનપણામાં નિજગુણોનું ધ્યાન વર્તે એવી મારી પ્રાર્થના આપની કૃપાથી સફળ થાઓ! સાથે સાથે હે પ્રભુ! મને ‘પર’ પુદ્ગલાદિ ભૌતિક સંપદામાં ક્યારેય પણ રમણતા ન થાય એવી કૃપા વરસાવશો. ચીર વીર નિજ વીર્યને ભવિ આવો રે, રાખી અચલ ગુણ ઠામ પરમ પદ પાવો રે; પર સંગે ચલ નવિ કહ્યું વિ ધ્યાવો રે, નહિ પરથી નિજ કામ પરમ પદ પાવો રે ..૧૦ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ત્રિરત્નથી મુક્તિમાર્ગે પગરા માંડી શકાય એવી જ્ઞાનીઓનો અભિપ્રાય છે. આ હેતુથી સાધકનું પ્રાથમિક ધ્યેય ત્રિરત્નનું હોવું ઘટે અને જે જિનવચન ઉપર અતૂટ શ્રદ્ધાથી કે આત્માનુભવી સદ્ગુરુના બોધથી થઈ શકે. આત્મિક હે પ્રભુ! હું આપની સન્મુખ પ્રતિજ્ઞા લઉં છું કે ધૈર્યતાથી ચલાયમાન ન થાય (અચળ) એવી રીતે વીર્ય ગુણ ફો૨વી આત્મિક વિકાસ કે મુક્તિમાર્ગના ગુન્નસ્થાનોનું આરોહા સમ્યદર્શન ગુજાસ્થાનકોનું પુરુષાર્થથી આરોહણ કરું. હું ચલાયમાન કે નાશવંત ‘પર’ ભાવ કે 'પર' પદાર્થોમાં કદી પણ આસક્ત કે મૂર્ણિત ન થાઉં. હે પ્રભુ! આપની કૃપાથી બાલવીર્ય મને છૂટી જાય અને મારાથી પંડિતવીર્ય ફોરવાય જેથી મારો આત્મિક વિકાસ અખલિતપણે થયા કરે. પછીથી શરૂઆત થાય એવો અભિપ્રાય આત્માનુભવીઓનો છે. પોતાનું ‘સ્વ’પદ શું છે અને ‘પર' પદ શું છે તે જાણ્યા સિવાય જીવને શું સાધ્ય છે તેની ખબર કેવી રીતે પડી શકે? માટે જ સાધ્યદષ્ટિ નિરંતર લક્ષમાં રાખી વ્યવહારમાં સમ્યક સાધના શિવપદ આપી શકે, અન્યથા અશક્યવત્ છે. પુદ્ગલ ખલ સંગે કર્યું વિ ધ્યાવો રે, આત્મવીર્ય ચલ રૂપ પરમ પદ પાવો રે;
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy