SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જી અ પૃષ્ઠ ૩૨૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ ગાંધીજીના છેલ્લા ઉપવાસ ઘ પ્યારેલાલ [ મહાત્મા ગાંધીના અંતિમ વર્ષોમાં પ્યારેલાલ નય્યર તેમના અંગત સચિવ હતા. તેમના બહેન ડૉ. સુશીલા નમ્બર મહાત્મા ગાંધીના અંગત તબીબ હતાં. કોમી દાવાનળ ઠારવા ગાંધીજી સરહદી વિસ્તારોમાં ફરતા હતા ત્યારે ડૉ. સુશીલા નય્યર તેમની સાથે હતાં. તેઓ જીવનભર મહાત્મા ગાંધી સાથે જોડાયેલા રહ્યા. ગાંધીજીના અંતિમ વર્ષોનું વિગતવાર વર્ણન ‘ધ લાસ્ટ ફેઝ’ના ચાર ગ્રંથોમાં કર્યું છે, જે આ વિષયના સૌથી વધારે આધારભૂત ગ્રંથો ગણાય છે. ઉપરાંત તેમનેં દાંડીકુચ, સ્વાતંત્ર્યસંગ્રામ, સત્યાગ્રહ જેવા વિધર્યો પર શ્રદ્ધેય ગ્રંથો આપ્યાં છે. tall ક્રજી સાવenye loops allc dj lelease ty! Gallc nay kese key!e loi>G[lā] Ilie je pops all say ae nye [ppps [3]l hષાંક પ્રસ્તુત લેખ અને આ અંકમાં સમાવિષ્ટ પ્યારેલાલના અન્ય લેખ “ધ લાસ્ટ ફેઝ - વૉલ્યુમ 4' (પૂર્ણાહુતિ ભાગ-૪માંથી લેવામાં આવ્યાં છે.] હિંદ અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીમાં ઉત્તરોત્તર વધારો કરનારાં અનેક કારણોમાં બીજા એકનો ઉમેરો થયો. એ કારણ હતું અવિભક્ત હિંદની રોકડ મૂડીના પાકિસ્તાનના ભાગનો સવાલ. ભાગલા સમિતિના નિર્ણય અનુસાર, ૩૭૫ કરોડ રૂપિયાની કુલ રોકડ મૂડીમાંથી સત્તાની ફેરબદલીના દિવસે પાકિસ્તાનને ૨૦ કરોડ આપવામાં આવ્યા હતા. આ ફાળવણી કામચલાઉ હતી અને પાકિસ્તાનને ચૂકવવાની રકમનો છેવટનો આંકડો નક્કી કરવામાં આવે ત્યારે એ રકમ ગણતરીમાં લેવાની હતી. બે સંસ્થાઓના પ્રતિનિધિઓની અનેક પરિષદો મળ્યા બાદ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એ આંકડો ૫૫ કરોડનો નક્કી કરવામાં આવ્યો. કાશ્મીર પરનો હુમલો પુરજોશમાં ચાલી રહ્યો હતો. વાટાઘાટો દરમ્યાન, હિંદ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કાશ્મીરના સવાલનો ઉકેલ પણ ન આવે ત્યાં સુધી નાણાં ચૂકવવામાં નહીં આવે. પાકિસ્તાનના પ્રતિનિધિઓએ વાટાઘાટો દરમ્યાન આ મુદ્દા અંગે ઉસ્તાદીથી ચૂપકીદી સેવી અને હિંદના પ્રતિનિધિઓને તેમની સંમતિ તરીકે એ ચૂપકીદીને માનવા દીધી. પરંતુ નાણાંકીય હિસ્સા અંગેની સમજૂતી લેખનબદ્ધ થઈ કે તરત જ તેઓ એને બીજા મુદ્દાઓથી અલગ પાડવા લાગ્યા. એ જ વખતે કાશ્મીર સંબંધમાં તેમનું વલણ વધારે અક્કડ બન્યું. અને પરિણામે હિંદ સરકારે એ રકમની ચુકવણી મોકૂફ રાખી. પંડિત નેહરુએ જાહેર નિવેદનમાં હિંદના રાજ્યસંઘની સ્થિતિની ચોખવટ કરીઃ ‘આવા સંજોગોમાં રાજ્ય બીજા પક્ષનું લેણું સ્થગિત કરે છે. એ અર્થમાં અમે કશું પણ સ્થગિત કર્યું નથી. અમે તો એટલું જ કહ્યું છે કે, આ કરાર અમે સ્વીકારીએ છીએ, પરંતુ બધા જ મુદ્દાઓનું નિરાકરણ થવું જોઈએ. અને અમે એનો પૂરેપૂરો અમલ કરીશું.' ૧૯૪૮ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ગાંધીજીએ લૉર્ડ માઉન્ટબૅટન સાથે એ સવાલ અંગે ચર્ચા કરી. માઉન્ટબૅટને કહ્યું, ‘પાકિસ્તાન માગે છે તે રોકડ રકમની ચુકવણી હિંદની સ૨કા૨ અટકાવી રાખશે તો, તેને પક્ષે એ ‘બેઆબરૂભર્યું પ્રથમ કૃત્ય' થશે. ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ ૧૧મી જાન્યુઆરીએ દિલ્હીના કેટલાક મોલાનાઓ ગાંધીને મળવા આવ્યા. તેઓ રાષ્ટ્રવાદી મુસલમાનો હતા અને હિંદની બહાર જવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. ગાંધીજી આગળ તેમણે ફરિયાદ કરી કે, અમારી ધીરજ હવે લગભગ ખૂટવા આવી છે. સાંજે પ્રાર્થનાસભામાં તેમણે મૌલાનાઓ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનોં પાગલ બન્યા છે અને તેમણે ઘણાખરા હિંદુઓને તથા શીખોને ત્યાંથી હાંકી કાઢ્યા છે. હિંદના રાજ્યસંઘના હિંદુઓ પણ એમ જ કરશે તો તેઓ પોતાનો વિનાશ નોતરશે. ૧૨મી જાન્યુઆરીએ બપોર પછી ગાંધીજી હંમેશની જેમ, બિરલા ભવનની વિશાળ લૉનમાં તડકામાં બેઠા હતા. એ સોમવાર, એટલે કે, તેમનો મૌનવા૨ હતો તેથી પોતાનું પ્રાર્થના-પ્રવચન તેઓ લખી રહ્યા હતા. અનુવાદ કરીને સાંજે પ્રાર્થનાસભા આગળ તે વાંચી સંભળાવવા માટે મારી બહેન એક પછી એક પાન વાંચતી હતી. તે અવાક્ બની ગઈ અને મારી પાસે દોડતી આવીને તેણે કહ્યું કે, દિલ્હીમાં પાગલપણું બંધ ન થાય તો, ગાંધીજીએ આમરણ ઉપવાસ પર ઊતરવાનો નિર્ણય કર્યો છે. કલકત્તાના પોતાના ઉપવાસ બાદ ગાંધીજી દિલ્હી આવ્યા ત્યારથી, ત્યાં જે બની રહ્યું હતું એ પરિસ્થિતિમાં મારો ધર્મ શો છે એ સવાલ હંમેશાં તેઓ પોતાની જાતને પૂછવા કરતા હતા. મુસલમાનો પોતાના દુ:ખ અને વીતકોની કથા લઈને તેમની પાસે આવતા હતા તેમને તેઓ કશો જવાબ આપી શકતા નહોતા. સત્તાવાળાઓ પાસેથી તેઓ વધારે કરાવી શકતા નહોતા. કદાચ, તેમના સંજોગોમાં સત્તાવાળાઓ વધારે ક૨વાની સ્થિતિમાં નહોતા. નૈનિક પડકારની સામે લાચારી તેઓ સહી શકતા નહોતા. પોતાના ઉદ્વેગના ડાકામાંથી ઉપવાસનો નિર્ણય ઉદ્ભવ્યો. એમાં દલીલો માટે અવકાશ જ નહોતો. સરદાર પટેલ અને પંડિત નેહરુ માત્ર બે કલાક પહેલાં જ તેમની સાથે હતા. તેમના દિલમાં શું ચાલી રહ્યું હતું તેનો ઇશારો સરખો પણ તેમણે તેમને આપ્યો નહોતો. સુખની ચાવી સત્યની આરાધનામાં છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક જીવતનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી dj tellīte HPje 99pG ||dj beltæte H]!e [p [3]l d) ltle rJ!e pill
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy