________________
ગાંધી જી
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી
અર્થ પૃષ્ઠ ૩૦૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ ઊષાંક
હતી. સ્વતંત્રતા આપણને આત્મશુદ્ધિ કર્યા વિના મળી છે. આપણે જ્યાં હતા ત્યાં જ છીએ !' અને કોમી શાંતિ માટે ગાંધીજીએ ઉપવાસ પર ઉતરવાનું નક્કી કર્યું.
પછીથી ખબર પડી કે આ ષડયંત્ર પાછળ પુર્ણેના ‘હિન્દુ રાષ્ટ્ર'ના સંપાદક નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેનો હાથ હતો. મહારાષ્ટ્રમાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદની પ્રબળ પરંપરા હતી. તેમાંનો ઘણાંને ગાંધીજીનો અહિંસાનો દૃષ્ટિકોણ ગમતો નહીં. એ પહેલા પણ ૧૯૩૪માં તેમણે ગાંધીજી પર બૉમ્બ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. દિલ્હીમાંની ગાંધીજીની કામગીરી અને ૫૫ કરોડ પાકિસ્તાનને આપવાનો નિર્ણય તેમને ગમ્યો નહોતો. વ્યવસ્થિત કાવતરું થયું હતું. લોકોને ‘બ્રેઈનમાંશ' કરવામાં આવ્યા હતા. જેનો અહેવાલ ‘પૂર્ણાહૂતિ'ના છેલ્લા પ્રકરણોમાં છે.
ત્યાં વળી અખંડ હિંદની ૩૭૫ કરોડ રૂપિયાની મૂડીમાંથી પાકિસ્તાનને ભાગ આપવાનો સવાલ ઊભો થયો. બંને દેશોના પ્રતિનિધિઓની વાટાઘાટો પછી એ એ આંકડો ૫૫ કરોડનો નક્કી થયો. હિંદ સરકાર એ રકમ કાશ્મીરનો પ્રશ્ન ઊકલે પછી ચૂકવવા માગતી હતી. ૧૧ જાન્યુઆરીએ દિલ્હીના રાષ્ટ્રવાદી મોલાનાઓએ ભારતના મુસ્લિમોની કફોડી સ્થિતિનું ગાંધીજી પાસે વર્ણન કર્યું. ૧૩મી જાન્યુઆરીએ ગાંધી ઉપવાસ પર ઊતર્યા. ગાંધીનો સ્વભાવ જાણતા સરદારે કે નેહરુએ દલીલ ન કરી. સરદારે ગાંધીને કહ્યું, “આપ શું ઈચ્છો છો તે કહો, હું તે પ્રમાણે કરીશ.' જવાબમાં ગાંધીજીએ પાકિસ્તાનને ૫૫ કરોડ ચૂકવી દેવાનું કહ્યું, તેમનીપથારી આસપાસ જ એક નાની સભા ભરાઈ જેમાં આ પ્રશ્ન વિષે ચર્ચાવિચારણા થઈ. ગાંધીજીને મુસલમાનોના પક્ષે માનનારાઓ ગુસ્સે થયા. તેમાંના એક જૂથમાં ગાંધીજીના ખૂન માટે કાવતરું યોજાવા માંડ્યું રાત્રે સૂત્રો પોકારાયાં, ‘ગાંધીને મરવા દો.’ ગાંધીજીને મળવા આવેલા નેહરુ પોતાની કારમાંથી બહાર ઘસી આવ્યા. 'હિંમત હોય તો સામે આવી. ગાંધીજીને મારતાં પહેલાં મને મારવો પડશે.' લોકો આઘાંપાછાં થઈ ગયાં. ગાંધીજીના ઉપવાસથી દેશ ખળભળી ઊઠ્યો હતો. દેશવિદેશમાંથી મુસ્લિમ આગેવાનોના સંદેશા આવ્યા ડૉ. ઝાકિર હુસૈને લખ્યું, ‘આપને આપવા માટે સ્વતંત્ર હિંદ પાસે
આ બાજુ કાશ્મીર પ્રશ્નને ઉકેલવાના પ્રયાસો ચાલતા હતા, પણ યુનો વચ્ચે આવી ચૂક્યું હતું. પરિણામો નિરાશાજનક હતાં. ગાંધીજ પ્રતિકૂળતાઓથી ટેવાયેલા હતા એટલે હતાશ થયા વિના કામ કરતા રહ્યા હતા. પોતાના જીવનના છેલ્લા સપ્તાહમાં ગાંધીજીએ મહત્ત્વપૂર્ણ વિધાનો કર્યાં છે. તેમણે નવસ્વતંત્રતાના ઉન્માદની ટીકા કરતાં કહ્યું હતું કે, “જે કૉંગ્રેસ ત્યાગ, સેવા અને સાદગીના આદર્શરૂપ હતી તે હવે શાન અને સત્તાની પાછળ શા માટે પડી છે ? ભારતને વિશ્વમાં તેની નૈતિક શ્રેષ્ઠતાના જોરે ટકવાનું છે.’ ૨૬ જાન્યુઆરીના દિવસે તેમણે કહ્યું, 'શું આ જ એ સ્વતંત્રતા છે, જેનું સ્વપ્ન મેં અને કૉંગ્રેસે જોયું હતું ?' ૨૭મીએ સવારે ગાંધીજી મેહરોલીના મેળામાં ગયા. મેહરોલી દિલ્હીથી ૭ માઈલ દૂર દક્ષિણામાં એક ગ્રામીણ વિસ્તાર છે. આ મેળામાં હિંદુ-મુસ્લિમો બંને આવે છે. મેળામાં સંપ અને ભાઈચારાનું સુંદર દૃશ્ય જોઈ ગાંધીજી સંતોષ પામ્યા. પણ કાશ્મીર
સંતાપ સિવાય બીજું કશું નથી રહ્યું એ માટે મને ખૂબ શરમ આવે છે.’પ્રશ્ને યુનોના વલણથી તેમને જે નિરાશા થઈ હતી તે જતી નહોતી.
* ૧૯૪૬ના કૉલકાતાના હત્યાકાંડ થવાથી ગાંધીજી મુસલમાનોને કહેતા રહ્યા હતા કે તમે તમારા સહધર્મીઓના અત્યાચારને વખોડી કાઢો, પણ તેમ બન્યું ન હતું. પરિણામે હવે હિંદના મુસમલાનોને વાવ્યું તેવું લણવાનો પ્રસંગ આવ્યો હતો.
૨૮ જાન્યુઆરીએ અમેરિકન લેખક વિન્સેન્ટ ફ્રીન સાથે ગાંધીજીની મુલાકાત હતી. ગાંધીજીએ કહ્યું, ‘હું સાધનશુદ્ધિમાં, કર્મ અને શ્રદ્ધામાં માનું છું. આજે હું જે કહું છું તે કોઈ સાંભળતું નથી.'
૨૯મી જાન્યુઆરીના દિવસે બન્નુના થોડા શરણાર્થીઓ ગાંધીજીને મળવા બિરલા ભવન આવ્યા. કહે, ‘હવે તમે નિવૃત્ત કેમ નથી થતા ?' ગાંધીજીએ કહ્યું, ‘હું કોઈના કહેવાથી નિવૃત્તિ ન લઈ શકું. મારું દુ:ખ તમારા દુઃખથી જરા પણ ઓછું નથી.' આખો દિવસ મુલાકાતો આપી. સાંજે તેઓ ખૂબ થાકી ગયા હતા. ‘મારું માથું સખત દુઃખે છે પણ આટલું કામ પતાવી લઉં' કહીને તેઓ કામ કરતા રહ્યા. રાત્રે સાડાનવે માલિશ કરાવતા બોલ્યા, 'મારે કોલાહલ વચ્ચે શાંતિની, અંધકાર વચ્ચે પ્રકાશની, નિરાશા વચ્ચે આશાની શોધ કરવાની છે. જે કોંગ્રેસીઓએ આઝાદી માટે આકરી જહેમત ઉઠાવેલી, બલિદાનો આપેલાં, તે હવે સ્વાતંત્ર્ય મળતાં જ પદ અને સત્તાની સાઠમારીમાં ફસાઈ ગયા. આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે ? આ બધામાં હું ક્યાં ઊભો છું ?’ તેમણે કવિ નઝીરની સાચું સુખ બહારથી નહીં, પોતાના આત્મામાંથી મળે છે, વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
ઉપવાસ છોડવાની ગાંધીજી ના જ પાડ્યા કરતા. લોકો પૂછતા, શું કરીએ તો આપને સંતોષ થશે ?' ગાંધીજીએ જણાવ્યું કે નિરાશ્રિતોને પોતાના ઘર મળે તે.' દિલ્હીમાં નિરાશ્રિતોનું પુનઃસ્થાપન શરૂ થયું. પીઢ પત્રકાર આર્થર મૂરે પણ સહાનુભૂતિમાં ઉપવાસ શરૂ કર્યાં. કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રપ્રસાદના પ્રમુખપદ નીચે બધી કોમોના પ્રતિનિધિઓએ શાંતિસમિતિ રચી અને કોમી ભાઈચારાની ખાતરી આપતો ઠરાવ કરી બંધુત્વની પ્રતિજ્ઞા પર સહી કરી. ગાંધીજી સંતોષ પામ્યા અને ૧૮મી તારીખે ઉપવાસ છોડ્યા. ૨૦ જાન્યુઆરીની પ્રાર્થનાસભામાં બાંમ્બવિસ્ફોટ થયો. ગાંધીજી બેઠા હતા ત્યાંથી ૭૫ ફૂટ ફરતી દિવાલ વિસ્ફોટથી તૂટી પડી. આ કામ હતું ૨૬ વર્ષના મદનલાલ પાહવા નામના પંજાબીનિરાશ્રિતનું.
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી