SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૩ ભજન-ધનઃ ૨ વિસરાતી વાણી – અનહદની ઓળખાણી uડૉ. નિરંજન રાજ્યગુરુ સૌરાષ્ટ્રના તદ્દન નિરક્ષર અને છતાં ભરપૂર અધ્યાત્મજ્ઞાન ધરાવતા દ્વારા કે રૂપકાત્મક રીતે લોકકલ્યાણની ભાવના સેવીને જીવનમીમાંસાના લોકસંતોની વાણીમાં ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે છે કે સાદામાં અમૃતપાન કરાવ્યાં છે. ભક્તિ કરવી હોય તો શું કરવું? કેવી રીતે સાદા તદ્દન સરળ શબ્દો વડે દાર્શનિકતાના ઉત્તુંગ શિખરો સર કરતી ભક્તિ કરવી? પરમાત્મામાં દૃઢ પ્રીતિ ક્યારે જાગે ? સત્સંગનું મહત્ત્વ ગૂઢ અનુભવજન્ય સર્જનશીલતા એમાં સિદ્ધ થઈ છે. તળપદી શું છે? રહેણીકરણીમાં અભેદ ક્યારે આવે ? મુક્તિ મેળવવા કેવા લોકબોલીની મીઠાશ અને માર્મિકતા, વ્યંજતા અને વેધકતા સંતકવિની પ્રકારની સાધના જરૂરી છે? વગેરે પ્રશ્નોનું નિરાકરણ આવી આતમ-અનુભૂતિનો અવાજ બનીને આપણાં હૈયાને ભાવવિભોર ભજનવાણી દ્વારા સંતોએ દર્શાવ્યું છે. બનાવી દે છે. દાસી જીવણનું એક ખૂબ જ પ્રસિદ્ધ લોકપ્રિય ભજન છે “એવા હેત ભજનવાણી દ્વારા ઉપદેશ કે ચેતવણી આપીને ધર્મ અને નીતિને રાખો તમે રામ સે.” જેમાં ભક્તહૃદ્યમાં પ્રભુ પ્રત્યેની વ્યાકુળતા, પંથે માનવસમુદાયને ચડાવવાના હેતુથી ભજનિક સંતોએ જે ભજનો તડપ, વિહ્વળતા કેવી હોય એ જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા સમજાવવામાં આપ્યા છે એમાં સીધો બોધ કે ઉપદેશ નથી, આદેશ નથી, દૃષ્ટાંતો આવ્યું છે. આખું ભજન જોઈએ. એવાં હેત તમે રાખો રામ સે... એવાં હેત રાખો તમે રામ સે. રાખે જેમ ચંદ્ર ને ચકોર, રાખે જેમ બપૈયા ને મોર, - એવાં હેત રાખો તમે રામ સે... હેત રે વખાણિયે ડું જડિયું કેરા, બચલાં મેલીને મેરામણથી જાય, ઈંડા મેલીને મેરામણથી જાય, આઠ આઠ મહિને આવીને ઓળખે, એનું નામ હેત રે કેવાય... - એવાં હેત રાખો તમે રામ સે... હેત રે વખાણિયે વીછણ કેરાં, બચલાંને સોંપી દ્ય શરીર, બચલાને સોંપી દે શરીર, આપ રે મરે ને પરને ઓદરે, તોય ઈ રાખે ધારણધીર... એવાં હેત રાખો તમે રામ સે... હેત રે વખણિયે પનિહારી કેરાં, સરખી સોહલિયુંમાં જાય, પાણીડાં ભરવાને જાય, હસે રે બોલે ને તાળી લિયે, પણ સુરતા છે બેડલિયાની માંય... એવાં હેત રાખો તમે રામ સે... હેત રે વખાણિયે ભમરલા કેરાં, ઊડીને આકાશે ઈ જાય, સીસમ સાગને ઈ ખાય, પાંદડિયે પુરાણો આખી રાત રીયે, એનાથી કમળ નહીં કોરાય... - એવાં હેત રાખો તમે રામ સે... દાસી રે જીવણ સંતો ભીમ કેરાં શરણાં, ગુણલા નિત નિત ગવાય, ગુણલા નિત નિત ગવાય, અનુભવિયા રે એને ઓળખે; અવરથી પ્રીતું નહીં થાય... એવાં હેત રાખો તમે રામ સે... ચકોર પક્ષીને ચંદ્ર સાથે ગાઢ પ્રીતિ છે, મોર અને બપૈયાને મેઘ બચ્ચાને આવતાં વેંત ઓળખી જાય. પોતાના સ્વજન સંતાન પ્રત્યેનો સાથે પ્રીતિ છે, એટલે વિયોગ સહન થતો નથી. એવો સ્નેહ, એવો પ્રેમ અદમ્ય તલસાટ એવો તીવ્ર હોય કે તુરત જ બન્યું એની પાસે દોડી પરમાત્મા સાથે બંધાયો હોય અને અખંડપણે જળવાય તો ઈશ્વરની આવે, બચ્ચાંને શોધી કાઢે. કૃપા થાય એનો બોધ આપતાં દાસી જીવણ જે દૃષ્ટાંતો આપે છે તે બીજું દૃષ્ટાંત આપે છે દાસી જીવણ વીંછીની માદાનું. વીંછીની જાત તપાસવા જેવાં છે. માટેની લોકપ્રચલિત માન્યતા એવી છે કે જ્યારે વીંછણ એક સાથે કહેવાય છે કે કુંજ નામના પક્ષીઓ આપણા સાગરકાંઠે, પશ્ચિમના આઠ-દશ બચ્ચાંને જન્મ આપે છે કે તરત જ બચ્ચાં એની માતાનું દૂરદૂરના દેશોમાંથી ઉડીને ચોમાસાની ઋતુમાં આપણે ત્યાં ઈંડા મૂકે શરીર ફોલી ખાય. માતા અપાર વાત્સલ્યને કારણે ધીરજ રાખી, જાન છે. ઈંડાં મૂકીને પાછાં ઊડી જાય. આઠ મહિના પછી ફરી પાછાં આવે કરતાંય જણ્યાને વ્હાલાં ગણી મૃત્યુને આધીન થઈ જાય. અંતરમાં ત્યાં સુધીમાં સૂર્યના તાપથી ઇંડા સેવાઈ ગયાં હોય એમાંથી બચ્ચાં વહેતી લાગણીનું અનુસંધાન આટલું તીવ્ર હોય તો જ આત્મબલિદાન બહાર આવ્યાં હોય ને મોટા થઈ ગયા હોય. પણ દરેક પક્ષી પોતાનાં આપી શકાય ને!
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy