________________
ઓક્ટોબર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
(૯)
‘પ્રબુદ્ધ જીવન'નો અંક મળતાંની સાથે જ હું ખુબ જ રસપૂર્વક વાંચું છું. મને વાંચનનો શોખ છે તેમજ જૈન ધર્મ વિશે જાળવાનું ખૂબ ગમે છે. આપની ૠષભકથાની લેખમાળા ઉપરથી અક્ષય તૃતીયાના પારણા પ્રસંગે મંડળના બહેનોની સાંજીમાં ભગવાન ઋષભદેવના જન્માથી
આગામી પર્યુષણ પર્વ નિમિત્તે પ્રકાશિત ઑગષ્ટ-સપ્ટેમ્બરનો સંયુક્ત અંક ‘ગણધરવાદ'ની ૧૦ નકલો મારા સરનામે પહોંચાડશો તેવી વિનંતિ.
આ પાપી પેટ માણસ પાસે શું નથી કરાવતું ? તે 'ભાગલાં પાડો લઈને ઈક્ષુરસના પારણા સુધીનો પ્રસંગ નૃત્ય નાટિકા-રૂપક ગીત,ને રાજ કરો' કહે છે, `Divide and Rule'. મને લાગે છે કે આપણાં
ડાયલોગ વિગેરે ઉમેરીને ખૂબ સુંદર રજૂ કર્યો. જોનારા બધાએ ખૂબ વખાણ્યો. પૂ. ધુરંધરવિજયજી મ.સા.ની આદિજીન પંચકલ્યાણક પૂજા–ૠષભની શોભા વિગેરેનો આધાર લીધેલ. છતાં મૂળ આઇડિયા તો મને ‘પ્રબુદ્ધ જીવન’માંથી મળેલ. આ સિવાય ૪૫ આગમો, ચૈત્ર૧૩ના મહાવીર સ્વામીના સ્તવનો, અષ્ટમંગળ, નવપદ અંક વગેરે ખૂબ ગમ્યા છે.
જૈન ધર્મના, ‘અસંખ્ય ગચ્છો'માં આ ઉંદર જ ઉંદરનું કામ કરી રહ્યું છે! જૈનેતરો તો શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને દહેરાવાસીઆ ચારને જ ઓળખે છે, તેના પેટા-વિભાગમાં, અન્યોને ખાસ ગતાગમ નથી હોતી!
ભગવાન મહાવીર પછી મહાત્મા ગાંધીએ જે ‘અહિંસા’ની વાત કરી તે પણ અતિ સૂક્ષ્મ હતી. કોઈ વિષે નબળો કે ખરાબ વિચાર કરવો, એ પણ હિંસા થઈ. આમ હિંસાનો પ્રસવ સૌ પ્રથમ માનવીના મનમાંથી ઘતો રહે છે.
મહાવીર સ્તવન 'સિદ્ધારથના રૅ નંદન વિનવું'માં ૫. વિનયવિજયજી મ.નો પરિચય મેં માલતીબેનને આપેલ.'પ્રબુદ્ધ જીવન'ના અંકોમાંથી ખૂબ જ ઊંચું સાહિત્ય, લેખો વગેરે વાંચવા મળે છે જે બદલ આપ સર્વેની ખૂબ આભારી છું.
તમે લખ્યું છે તેમ, 'સાપેક્ષવાદ અને અનેકાંતવાદ જો જૈન ધર્મનો આત્મા હોય, તો કમ-સે-કમ, જેનોમાં તો એકતા સ્થપાવી જ જોઈએ. D મનહરબેન કિરીટભાઈ, ભાવનગર આજે સ્થળ અને કાળ જ્યારે જીતાઈ રહ્યાં છે ત્યારે, જે-તે-ધર્મમાંથી (૧૦) જરીપુરાણા ખ્યાલોને બાદ કરી, નવા વિચારોને, અપનાવવાથી જ આપણાં જૈન ધર્મનો ફેલાવો કરી શકાશે, તેનાં સારા અને સાચાં તત્ત્વોને, નવી પેઢી સમક્ષ રજૂ કરી શકાશે.
આત્મસિદ્ધિ શાસ્ત્રનું સૂચન પણ એ જ કહે છેઃ ‘આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નિત હોય
‘પ્રબુદ્ધ જીવન' જુલાઈ ૨૦૧૩નો અંક વાંચીને પ્રભાવિત મેધાવી બન્યો છું. શ્રીમદ્ રાજચંદ્ર પ્રસાદના 'વચનામૃત', 'સત્યઘટના' અને ‘જૈન એકતા- ૨’, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ભક્તિ” વિશે ઉત્તમ જ્ઞાન મળ્યું છે. ‘ઉપનિષદો : અમર ભોમના આંબા-૨', નરેશ વેદ સાહેબનો લેખ ઉત્તમ હતો, ‘સુખ તમારી પ્રતિક્ષા કરે છે’, ‘જયભિખ્ખુ જીવનધારા : ૫૧ ડૉ. કુમારપાળ દેસાઈનો લેખ ઉત્તમ હતો.
પડાશે !
આનંદઘનજીની વાતમાં ભારોભાર સત્ય સમાયેલું છેઃ
'ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે.
સંસ્કૃત ભાષા શિક્ષક શીખવતા, 'મ્-દ્ધત્તિ-to go, એટલે ‘જેવું તે'. ક્યારે, ક્યાં અને શા માટે જવું છે, તેની ‘જનાર’ને પૂરેપૂરી ખબર હોવી જોઈએ કે જેથી ‘જવું' સાર્થક થાય !
જૈનોએ, જૈનેતર પાસે જઈને, પોતાની વાત સમજાવવી હોય તો ‘એકતા’, ‘નેકતા', અનિવાર્ય ગણાય. આપો જૈન ધર્મ અતિ પ્રાચીન હોઈ, તેને અર્વાચીન પ્રજા પાસે સ્વીકૃતિ અપાવવી હોય તો તેમાં જરૂરી પરિવર્તન આવકાર્ય ગણાય.
૨૧
આજે વિશ્વ નાનું થઈ ગયું છે, યાતાયાતની સગવડ, સંદેશા, વ્યવહાર પુસ્તકો દ્વારા જ્ઞાનનો ફેલાવો વધી રહ્યો છે, ત્યારે આપણાં જૈન ધર્મ તેની સંકુચિતતાનો ત્યાગ કરી એકતા સ્થાપી, તેને વિશ્વફલક ઉપર વિસ્તારવાની જરૂર જણાય છે. જૈનેતરો પણ જૈન ધર્મના પાયાના I મહેશકુમાર પંચાલ, પ્રાંતિજ, સાબરકાંઠા સિદ્ધાંતોમાં રસ લેતા થાય, તેને આવકારે અને અપનાવે તે જોવું જરૂરી (૧૧) બની રહે છે. ‘પ્રબુદ્ધ જીવન’નો જૂન ’૧૩, અંક મળ્યો. ‘જૈન એકતા’ વિષેનો તંત્રી-લેખ વાંચ્યા બાદ જે વિચારો આવ્યા તે પ્રસ્તુત છેઃ
કામ, ક્રોધ અને લોભ પછી આવતાં, ‘મોહ’ને નષ્ટ કરવાનું ભગવાન મહાવીરે કહ્યું છે, તે યોગ્ય જ છે. નહીં તો મદ અને મત્સરમાં સરી
તે માટેની પૂર્વ શરત છે. લોભ, મોહ અને મદમાંથી મુક્ત થવું તે. ‘માલિકી’નો ભાવ ત્યજવો જરૂરી ગણાય. જો આપણે ખુદ આપણાં શરીરનાં માલિક ના હોઇએ તો એકાદ મંદિર, મસ્જિદ કે ગીરિજાધરના માલિક શી રીતે થઈ શકવાના? એ વિષે વિચારવું રહ્યું. ભગવાન મહાવીરને ‘અહિંસા' દ્વારા અનેકના બનાવવાનો સમય આવી પહોંચ્યો. છે. ‘અનેકાંતવાદ’ ખુદ તેનો પુરાવો છે. બંદો એટલે ભક્ત, બંદગી એટલે ભક્તિ. આજના બંદા, ગંદા બની જાય, તે પહેલાં તેને ગંદકીમાંથી મુક્ત કરવાની જરૂર છે.
E હરજીવનદાસ થાનકી, સીતારામ નગર, પોરબંદર (૧૨) ડૉ. નરેશભાઈ વેદના ઉપનિષદ વિષેના ગહન ચિંતનાત્મક વિચારો