SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ હોવા છતાં સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કરી દીક્ષા ધારણ કરી અને મોક્ષમાર્ગની ખોજમાં ચાલી નીકળ્યા. પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક ગૂઢાર્થ : દીન અર્થાત ગરીબ અને લાચાર, દુ:ખી અર્થાત સુખનો અભાવ હોય તેવા લોકોને કોઈનું રક્ષણ હોતું નથી. સમાજમાં માનમરતબો કે આવકાર હોતો નથી, તેવા લોકોને તો ફક્ત એક પ્રભુનો આધાર-સહારો હોય છે હે પ્રભુ! તું જ અમારો બેડો પાર કરનાર બેલી છે ને તું જ તારણહાર છે. તારા આધારે અમે ભવસમુદ્ર પાર કરી શકીએ તેવી અરજ છે.’ આવી વિનંતી કરતા ભક્તિ કહે છે કે, ‘આવા અપરંપાર મહિમાવંત તારા ગુણ ગાવા હું તો અસમર્થ છું. તારો મહિમા જેટલો કરીએ તેટલો ઓછો જ છે. તારી તોલે આવે તેવો કોઈ આ જગતમાં છે જ નિહ. તારો જોટો જડવો મુશ્કેલ છે.' પ્રભુનો જન્મ રાજવી કુળમાં થયો હતો. અઢળક સુખના સ્વામી થઈને ભરપૂર ઐશ્વર્યમાં મહાલી શકે તેમ હતાં. ભોગપભોગની વિપુલ સામગ્રી હોવા છતાં પ્રભુએ વૈભવ અને રાજપાટ છોડી ચારિત્ર્ય ગ્રહણ કર્યું. કારણકે નિક સુખોની ભીતરમાં મહાન શોકરૂપી અગ્નિ પ્રચંડ જ્વાલારૂપે રહેલો છે. અત્યંત વૈભવ અને આસક્તિભર્યા જીવન પછી અસંખ્યાતા વર્ષો સુધી તેની કારમી શિક્ષા ભોગવવી પડે છે તે તીર્થંકરના જીવને સમજાઈ જાય છે. સંયોગોથી સુખનો આભાસ-ભ્રમમિથ્યાકલ્પના થાય છે. બાકી સાચું સુખ તો આત્માના ઊંડાણમાંથી ઉત્પન્ન થાય છે. ભૌતિક સુખ સજાભંગુર અને આત્માનું અધઃપતન ક૨ના૨ છે. જ્યારે આત્મિક સુખ અવિનાશી અને આત્માનો ઉત્કર્ષ કરનાર છે. સંસાર કુંડ-કપટથી ખદબદે છે. તેથી તેની મોહમાયા છોડીને આત્મકલ્યાણના પવિત્રપંથે પ્રયાણ કરવું જ હિતકારી છે. આમ પ્રભુએ ભૌતિક અને આત્મિક અવસ્થા વચ્ચેનો ભેદ જણાવી સારો માર્ગ ચિંધ્યો. અર્થ: બીજી કડીમાં કવિએ ચંડકોશિયા સર્પનું દૃષ્ટાંત આપી સમજાવ્યું છે કે પૂર્વભવના ક્રોધાદિ કાર્યો બીજા ભવમાં પણ સાથે જ આવે છે અને ઉત્તરોત્તર વધતા જાય છે. જ્યારે દૃષ્ટિવિધ સર્વે પ્રભુને ડંખ દીધો ત્યારે તેમાંથી દૂધની ધારા વહેવા લાગી. તે જોઈ સર્પ વિસ્મય પામી ગયો. પ્રભુએ તેને પ્રતિબોધ આપી તેના પર ઉપકાર કરી તેનો ઉધ્ધાર કર્યો. એપ્રિલ, ૨૦૧૩ દીધા. પ્રભુ તો અડોલ અવસ્થામાં જ ઊભા રહ્યા. તીવ્ર ઝંખના કારણે પ્રભુના પગમાંથી વાત્સલ્ય અને કરૂણા સમી દૂધની ધારા વહેવા લાગી. તે જોઈ સર્પ હતપ્રભ થઈ પ્રભુના સૌમ્ય સ્વરૂપને જોવા લાગ્યો. ત્યારે કે ચંડકૌશિક બૌધ પામ, બૌધ પામ.' એવા શબ્દો સાંભળી સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. ક્રોધના કારણે પોતાની અવદશા જોઈ તેને પશ્ચાતાપ થયો અને પ્રભુના શરણે થઈ આજીવન અનશન આદર્યું. કોઈના પર પણ પોતાની દૃષ્ટિ ન પડે તે માટે અંતર્મુખી બની, મુખ દરમાં રાખી, શાંત ભાવે સ્થિર થયો. પ્રભુની ક્ષમાના અમૃત સામે ક્રોધના ઝેરની હાર થઈ. પ્રભુના અનુપમ સમતાયોગથી પ્રભાવિત થઈ સર્પ શરણે આવ્યો. સર્પે સમતાભાવ રાખી ધોર વેદના સહન કરી અને સમાધિભાવે મૃત્યુ પામી દેવલોકમાં દેવપર્ણ ઉત્પન્ન થયો. પ્રભુને સર્પે ડંખ દીધો ત્યારે દૂધની ધારા છૂટી તે વિશે વિદ્વાનોની કલ્પના છે કે પ્રભુનો વાત્સલ્યભાવ-માતાનો સંતાન પ્રત્યેનો હોય તેવો-હોવાથી શરીરમાંથી દૂધ નીકળતું હતું. તીર્થંકર ભગવંતોના અતિશયના કારણે તેમનું લોહી સફેદ રંગનું હોય છે. પ્રભુ એવા વીતરાગી હોય છે કે તેમના રક્તમાં પણ રાગનો રતુમડો રંગ હોતો નથી. ગૂઢાર્થઃ ચંડકોશિયો સર્પ રૂપે ઉત્પન્ન થયું. પૂર્વભવમાં તે તાપસ હતો. પૂર્વ ભવની આસક્તિ અને ક્રોધના સંસ્કાર લઈને જ આવેલો ક્રોધ એક ભયંકર કષાય છે. જેને અનલની ઉપમા આપવામાં આવી છે. તે જેના અંતરમાં પ્રગટે તેના આત્મિક ગુણો બળીને ભસ્મ થઈ જાય છે. ક્રોધની આંધીમાં વિવેકદીપક બુઝાઈ જાય છે. સર્વે પૂર્વભવમાં સાધુ રૂપે ઉગ્ર તપસ્યા કરેલી જેના ફળસ્વરૂપે, તેને લબ્ધિ મળેલી પણ ક્રોધના કારણે વિપરીત પરિણમી હતી. કવિ ઉદયરત્ને કહ્યું છે કે 'ક્રોધે ક્રોડ પુરવતણું, સંજમ ફુલ જાય.' સર્પના ક્રોધથી તે પ્રદેશ વેરાન થઈ ગયેલો, પણ પ્રભુને ભય કેવો ? તે તો તેના કષાયાત્માને સુધારવા ઉદ્ધારવા તેના દર પાસે જ કાઉસગ્ગ કરવા ઊભા રહ્યા. પ્રભુને જોતાં જ સર્વે પોતાનો બધો ક્રોધ ભેગો કરી પ્રભુના ચરણે ઉપરાઉપરી હંસ અર્થઃ ત્રીજી કડીમાં કવિએ ગોવાળે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા તે પ્રસંગ વર્ણવ્યો છે. જ્યારે ગોવાળે ક્રોધના આવેશમાં પોતાના બળદો ન જડ્યા ત્યારે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા. પ્રભુને અસહ્ય વેદના થવા છતાં પ્રભુ ગોવાળને દોષિત ન ગાતાં પોતાના કર્મના પ્રભાવે જ આ બન્યું છે તેમ માની ગોવાળને ક્ષમા આપી. ક્ષમા એ ક્રોધનું મારણ છે એમ દર્શાવી પ્રભુએ અનેક જીવોને ક્ષમા આપી સંસારમાંથી તેઓનો ઉદ્ધાર કર્યો. ગુઢાર્થ : પ્રભુનો આત્મા પૂર્વનાં ૧૮મા ભવે ત્રિપુષ્ઠ વાસુદેવના રૂપે હતો ત્યારે એક અવસરે શય્યાપાલકને પોતે નિદ્રાધીન થાય ત્યારે સંગીત બંધ કરવા જણાવેલું; પણ તેને માલિકની આજ્ઞાની વિસ્મૃતિ થઈ ગઈ ત્યારે જાગૃત થતાં જ તેમને તીવ્ર રોષ પ્રગટ થયો. તેના કાનમાં ગ૨મ કરેલું કથિ૨ રેડવાનો હુકમ કર્યો જે પ્રસંગે શય્યાપાલક મરણને શરણ થયો. આ પ્રસંગ ત્રિપૃષ્ઠ વાસુદેવની તીવ્ર વિષયલોલુપતા અને તીવ્ર કષાય જેવા આત્મદોષ દર્શાવે છે. આવું ક્રૂર કૃત્ય કરતાં તેના દિલમાં અરેરાટી કે કંપારી પણ ન હતી. પોતાની સત્તાનો મદગર્વ હતો. આ બધા પાપનું કારણ ઇન્દ્રિય સુખ જ હતું. વિથ સાય અળવ અર્થાત ઇન્દ્રિયોના અસંયમથી કાયભા-હિંસકભાવ યોગના વિપરીત વ્યાપારો ચાલે છે અને નવા કર્મબંધનની શૃંખલા ચાલુ જ રહે છે. આવા ઉગ્ર પાપના પરિણામે ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા ત્યારે પ્રભુને અસહ્ય પીડા થઈ. પ્રભુના ઉપસર્ગો પૈકી આ સૌથી ભયંકર ઉપસર્ગ હતો. છતાં પ્રભુ મૌન સાધનામાં લીન રહ્યા. આટલું થયા છતાં પ્રભુએ ગોવાળનો વાંક ન કાઢતા પોતાના નિકાચિત કર્મો ખપાવવાના જ છે એમ જાણી સ્ટેજ પણ પ્રતિકાર ન કર્યો. પ્રભુનો ક્ષમાભાવ ઉત્તમ હતો. ક્ષમા વીરસ્ય ભૂષળમ્ - ક્ષમા વીરનું ભૂષણ છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy