SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૧૨ ભવઃ શ્વેતાંબી નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મા, ત્રિદંડીપણાનો સ્વીકાર.. પ્રભુ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક ૧૩ ભવ: એવા માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ૧૪ ભવઃ રાજગૃહી નગરીમાં ૫૪ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ. ત્રિદંડીપણાનો સ્વીકાર. ૧૫ ભવ: પાંચમાં બરાક દેવલોકમાં મધ્ય આયુષ્યવાળા દેવ. ૧૬ ભવ: વિશ્વભૂતિ મુનિ તરીકે ઉગ્ર તપસ્યા કરી, શરીર દુર્બળ થઈ ગયું અને માર્ગમાં પસાર થતાં ગાયનો ધક્કો લાગતા જમીન પ૨ પડી ગયા. તે જોઈને વિશાખાનંદી પિતરાઈ હસ્યા. પોતાની શક્તિનો પરિચય કરાવતા ગાયનું શિંગડું પકડીને આકાશમાં ઉછાળી ગાયનું મૃત્યુ થયું. આ ભવમાં ૧ હજાર વર્ષના તપ કર્યા હતા. અંતે નિયાણું કર્યું તેની માહિતી કવિના શબ્દોમાં નીચે પ્રમાણે છે. ૨૭ ભવ : આ ભવમાં ભગવાન મહાવીરનો આત્મા સ્વર્ગમાંથી ચ્યવીને પૂર્વકર્મના ઉદયથી મહાનકુંડનગરના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુખે આવ્યા. મરિચીના ભવમાં રાચીમાગીને ગર્વ કર્યો હતો એટલે આ નીચ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. ત્યારપછી હરિણગમથી દેવે દેવાનંદાની કુક્ષિમાંથી ગર્ભનું હરણ કરીને ત્રિશલામાતાની કુલીમાંથી શૈત્યગર્ભમાં સ્થાપન કર્યું. ગાયે હણ્ણા મુનિ પડિયા વશા વિશાખાનંદી પિતરાઈ હસ્યા. ગોશૃંગ મુનિ ગર્વે કરી ગયા ઉછાળી ધરતી ધરી. ૧૭ ભવ: વિભૂતિ મુનિ આયુષ્ય પૂર્ણ થતાં કાળધર્મ પામ્યા. પરંતુ કર્મને સાથે લેતા ગયા. ત્યાંથી ચ્યવીને ઉગ્ર તપસ્યાને કારણે મહાશુક્ર દેવલોકમાં ૧૭ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્રીજી ઢાળમાં ભગવાનના પમા ભવથી ૧૭ ભવ સુધીની માહિતી છે. તેમાં વિશ્વભૂતિના ભવની માહિતી લઘુકથાનો રસાસ્વાદ કરાવે છે. ૧૮ ભવ: આ ભરતક્ષેત્રમાં પોતનપુરમાં પ્રજાપતિ નામે રાજાને ભદ્રા નામે રાણી હતી. તેમના પુત્ર બિપૃષ્ઠ વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા. વાસુદેવે શય્યા પાલકને કહ્યું કે હું નિદ્રાધીન થાઉં એટલે સંગીતકારો સંગીત બંધ કરે, પણ શય્યાપાલકને સંગીતમાં રસ પડ્યો એટલે સંગીત બંધ ન કરાવ્યું. થોડા સમય પછી વાસુદેવ જાગ્યા અને સંગીત ચાલતું જોઈને ગુસ્સે થઈ શય્યાપાલકના કાનમાં ગરમ સીમું નાંખ્યું. આ કર્મથી તેમને કાનમાં ખીલા ઠોકવાનો ઉપસર્ગ થયો. ૧૯ ભવ: સોળમાં વિશ્વભૂતિના ભવમાં કરેલા નિયાણા પ્રમાણે વાસુદેવ તરીકે જન્મ મળ્યો. પરંતુ દુષ્ટ બળના ગર્વથી ઘોર પાપો આચરીને પ્રભુનો જીવ સાતમી નરકમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળો નારક થયો. ૨૦ ભવઃ આ ભવમાં સિંહ તરીકે ઉત્પન્ન થયા. ૨૧ ભવઃ ત્યાંથી ચ્યવીને ૨૧મા ભવમાં પ્રભુ ચોથી નરકમાં ગયા. ૨૨ ભવ: પ્રિય મિત્ર રાજાની વિમલા નામની રાણીની કુક્ષીએ વિમલ નામે રાજપુત્ર થયો અને દીક્ષા લીધી ૨ ૩ ભવ : અનંત પુણ્યના પ્રતાપે ભગવાનનો આત્મા ૨૩મા ભવમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામની પટ્ટરાણીને કુર્ખ ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિય મિત્ર નામે રાજપુત્ર થયો. અંતે દીક્ષા લીધી. એક કરોડ વર્ષ સુધી ચારિત્ર પાળ્યું એપ્રિલ, ૨૦૧૩ પોલિાચાર્ય ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી અને ઉગ્ર તપસ્યા કરી તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. અગિયાર લાખ એંસી હજાર છસ્સે વળી ઉપર પિસ્તાળીસ અધિક પા દિન રૂડી વીસસ્થાનક માસખમણે જાવજીવ સાધતા તીર્થંકર નામ કર્મ તિહાં નિકાચતા. ૨૬ ભવ: ૨૬મા ભવે પ્રાણી નામના દેવ તરીકે ઉત્પન્ન થયા. ચોથી ઢાળમાં ૨૪મા ભવથી ૨૬મા ભવ સુધીની માહિતી છે. તેમાં નંદન ઋષિનો ભવ સર્વોત્તમ છે. ૨૪ ભવ: ત્યાંથી થવીને ૨૪ ભવમાં મહાશૂક દેવલોકમાં ૧૭ સાગરોપમવાળો દેવ થર્યા. ૨૫ ભવઃ ૨૭મા ભવના સ્તવનમાં સૌથી મહત્ત્વનો ૨૫મો ભવ છે. ભરતક્ષેત્રમાં છત્રિકા નગરમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે પટ્ટરાણીની કુર્ખ ૨૫ લાખ પૂર્વના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. આ ભવમાં ત્રિશલા માતાના પુત્રીના ગર્ભને દેવાનંદાની કુશીમાં સ્થાપના કરવામાં આવી. આ રીતે ૮૨ દિવસ દેવાનંદાની કુલીમાં રહ્યા પછી ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ ભગવાનનો જન્મ થયો. પાંચમી ઢાળમાં ભગવાનનો જન્મ, ગૃહસ્થવાસ, દીક્ષા અને કેવળજ્ઞાનની માહિતી આપવામાં આવી છે. કવિએ મિતાક્ષરી પરિચય આપીને ભગવાનના જવનનો લાગિક પરિચય કરાવ્યો છે. નવમામાંતરે જનમિયા રે દેવદેવી ઓચ્છવ દીધ પરી યશોદા જોબને રે નામે મહાવીર પ્રસિદ્ધ છે. સંસાર હીંયા ભોગવી રે, ત્રીસ વર્ષે દીક્ષા લીધ બાર વર્ષે દુઆ કેવળી રે, શિવવસ્તુનું તિલક શિર દીધ રે ત્રીસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ બ્રોતેર વર્ષનું આઉભું રે, દિવાળીએ શિવપદ તી રે અગુરુ લધુ અવગાહને રે કીધો સાદિ અનંત નિવાસ મોહરાય મલ્લ મૂળશું રે તનમન સુખનો હોય નાશ રે. અંતે કવિ જણાવે છે કે પ્રભુનો આશ્રય લેવાથી સેવા-ભક્તિથી આત્મા પ્રભુ સમાન બને છે. ગરિમા કળશમાં સ્તવન રચના સમય, ભગવાનના સ્તવનની રચના દ્વારા ગુણગાન ગાવાની સાથે સંયમનો મહિમા ગાયો છે. અંતે શુભ વિજય પંડિત ચરણ સેવક વીરવિજય જય જય કરો. દેવીઓનો પ્રયોગ, ચિત્રાત્મક શૈલી, ૨૭ ભવની વિવિધ પ્રકારની વિગતો, ગેય પદાવલીઓના સમન્વયથી મહાવીર સ્વામીનો મિતાક્ષરી છતાં માહિતીપૂર્ણ પરિચય પ્રાપ્ત થાય છે. સત્તાવીશ ભવનું સ્તવન એટલે શાન અને ભક્તિનો સમન્વય કરીને પ્રભુના ચરિત્રની વિશિષ્ટ કોટિની ઝાંખી કરાવે છે અને પ્રે૨ક બનીને પ્રભુના જીવનનો વિસ્તારથી પરિચય કરાવે છે. કમલ એપાર્ટમેન્ટ, ૧૦૨, અરવિંદ બિલ્ડિંગ, બિલીમોરા (ગુજરાત). મોબાઈલ : 09833729269,
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy