SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક શ્રી વ્યવહાર સૂત્ર ડૉ. પ્રવીણભાઈ સી. શાહ 8 આ સૂત્રમાં સાધુ-સાધ્વીઓના વ્યવહારનું વર્ણન વિસ્તારથી તેં કર્યું છે, તેથી આ સૂત્ર વ્યવહાર સૂત્ર નામે ઓળખાય છે. શ્રી તે ભદ્રબાહુસ્વામી મહારાજે નવમા પૂર્વના આચાર વસ્તુના વીસમા પ્રાભૂતમાંથી ઉષ્કૃત કરીને આ શ્રી વ્યવહાર સૂત્રની રચના કરી હતી. બૃહટ્ટિપનિકાદિમાં કહ્યું છે કે આ શ્રી વ્યવહાર સૂત્રના મૂળ 2 રા ગ્રંથનું પ્રમાશ ૩૭૩ શ્લોકો છે. આ સૂત્રની સ્કોપ નિર્યુક્તિ (મૂળ સૂત્રના કરનાર શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી નિર્યુક્તિ)ની રગાથાઓ ભાષ્યની ગાથાઓમાં ભળી ગઈ છે. આ ભાષ્યનું પ્રમાણ ૨૬૪૦૦ શ્લોકો અને ચૂર્ણિનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લોકો જણાવ્યા તે છે તથા શ્રી મલયગિરિ મહારાજે ભાષ્યાદિને અનુસરીને બનાવેલી છૂટીકાનું પ્રમાણ ૩૩૬૨૫ (૩૪૬૨૫) શ્લોકો કહ્યા છે. આ હૈસૂત્રનો વિ. સં ૧૫૭૩ની પહેલાં રચાયેલો ગુજરાતી ટબોબીના અહીં વિસ્તારથી સમજાવી છે. (સ્તબકાર્થ) હુંડી વગેરે પણ છે. અહીં દશમા ઉદ્દેશામાં કાંચનપુરમાં પાણીની રેલ આવી હતી એમ કહ્યું છે. આ શ્રી વ્યવહાર સૂત્રના દશ ઉદ્દેશા છે તે દરેક ઉદ્દેશાનો પરિચય ટૂંકમાં આ પ્રમાણે છેઃ 8 ૧. પહેલા ઉંદેશામાં વિસ્મૃતિ (ભૂલી જવું), પ્રમાદાદિ કારણોમાંના કોઈપણ કારણથી ચારિત્રાદિકમાં લાગેલા દોષોની, મેં સરળ સ્વભાવે આલોચનાદિ કરવાનો વિધિ, અને તે દરેકને અંગે તે જરૂરી પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન, તથા પ્રસંગાનુપ્રસંગે બીજી પણ તેખાસ જરૂરી ઘણી બીનાઓ વિસ્તારથી સમજાવી છે. 2 રા રો ૨. બીજા ઉદ્દેશામાં ગ્રામાનુગ્રામ (એક ગામથી બીજે ગામ વિધિપૂર્વક વિહાર કરતા ઘણાં મુનિવરોમાંના કેટલાએક મુનિવરો પ્રમાદાદિ કારોમાંનાં કોઈપણ કારણથી મૂળ ગુણાદિમાં અતિક્રમાદિ દોષોમાંના કોઈપણ દોષથી દૂષિત થયા હોય, તો તેમણે અને બીજા (અદૂષિત) મુનિવરોએ માંહોમાંહે કઈ રીતે વર્તવું? એટલે ગોચરી આદિનો વ્યવહાર કઈ રીતે સાચવવો ધૃજોઈએ ? વગેરે વ્યવહારોનું સ્પષ્ટીકરણ કરવાના ઈરાદાથી સૂત્રકારે તે આ બીજા ઉદ્દેશાની રચના કરી છે. 8 ૩. ત્રીજા ઉદ્દેશામાં સાધુ સમુદાયમાં નાયક તરીકે અનુક્રમે ×આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક અને સ્થવિરોને જણાવ્યા છે તેમાં (૧) આચાર્ય મહારાજ ગચ્છના સાધુઓને (સૂત્રોના) અર્થની વાચના આપે છે, અને સ્મરણાદિ પ્રકારે ગચ્છને મોક્ષમાર્ગની આરાધના કરાવે છે. (૨) ઉપાધ્યાય મુનિવરાદિને ર સૂત્રની વાચના આપે, ને યુવરાજની માફક આચાર્યને ગચ્છાદિના કાર્યોમાં મદદ કરે છે. (૩) પ્રવર્તક જે સાધુ વૈયાવચ્ચ અયનાદિ ટકાર્યોમાંના જે કાર્યને કરવા લાયક હોય, તેને તે કાર્યમાં પ્રવૃત્તિ P કરાવે છે. (જોડે છે) (૪) ગણાવચ્છેદક - આચાર્યાદિની આશા Pપ્રમાણે ગચ્છને લાયક ક્ષેત્રની તપાસ કરે છે, ને જરૂરી ઉપકરણાદિ ને ක්‍ෂ∞ක්‍ෂ∞∞ ૭ W ૧૦૫ 2 ર ૩૬ 2 પદાર્થો પૂરા પાડે છે. (૫) સ્થવિર – સંયમાદિની આરાધનામાં તે રસીદાતા મુનિઓને સ્થિર કરે છે. તેમના જ્ઞાન સ્થવિરાદિ ત્રાટ ભેદોની અને તેમાં પણ જધન્યાદિ ભેદે જુદી જુદી વિચારણા પહેલાં તે જણાવી છે. ચારિત્ર-જ્ઞાનગાંભીર્યાદિ ગુણોમાંના કયા કયા ગુણોને ધારણ 18 કરનાર મુનિવરાદિમાંથી કોણ કયા પદને લાયક છે? અને આચાર્યાદિ P પદવી કોને અપાય ? તથા કોને ન અપાય ? વગેરે હકીકતોને સમજાવવા 2 માટે સૂત્રકારે આ ત્રીજા શાની રચના કરી છે. 8 ર ૪. ચોથા ઉદ્દેશામાં પૂર્વે જણાવેલા આચાર્યાદિ પાંચમા કોઈપણ ૨ પદસ્થ મહારાજ કેટલા સાધુઓની સાથે વિહાર કરીને કેટલા મુનિઓની? સાથે ચોમાસું કરે ? વગેરે પ્રશ્નોના ઉત્તરોને સ્પષ્ટ સમજાવતો આ ચોથી તે ઉદ્દેશો છે. એટલે આચાર્યાદિને વિહા૨ ક૨વાની ને ચોમાસું કરવાની P ૫. પાંચમા ઉદ્દેશોમાં પ્રવર્તિની સાખીએ કેટલી સાધ્વીઓનીતે સાથે વિહાર કરવો જોઈએ ? ને કેટલી સાધ્વીઓની સાથે ચોમાસું “ કરવું જોઈએ ? વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે. 18 8 ર ૬. છઠ્ઠા ઉદેશામાં સાધુ-સાધ્વીઓએ કઈ રીતે ક્યાં ભિક્ષા લેવા જવું જોઈએ? એ જ પ્રમાણે નિર્દોષ સ્થંડિલની બીના અને વસતિની બીના જણાવીને કહ્યું છે કે નિર્દોષ પ્રદેશમાં મુનિવરાદિએ ક સ્થંડિલ (લ્લે) જવું જોઈએ. નિર્દોષ વસતિમાં રહેવું જોઈએ કે જેથી તે સંયમાદિની રક્ષા થાય અને સ્વાધ્યાયાદિનો વિધિ પણ સાચવી શકાય. અહીં જુદી જુદી ભૂલોના જુદા જુદા પ્રાયશ્ચિત્ત વગેરેનું વર્ણન કર્યું છે. ૭. સાતમા ઉદ્દેશામાં એક સાધ્વી સમુદાયમાંથી બીજા સાધ્વી સમુદાયમાં ગયેલી સાધ્વીને સાચવવાનો વિધિ તથા સાધ્વીઓના બીજા પણ સ્વાધ્યાયાદિના નિયમ અને વ્યવહારાદિનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. 8 8 ૮. આઠમા ઉદ્દેશામાં કોઈ ગ્રામાદિમાં ઊતરવાનાં ઉપાયાદિત સ્થાનો ન હોય તો સાધુ-સાધ્વીઓએ પોતાને વા૫૨વા માટે ગૃહસ્થના ઘરનો કેટલો ભાગ કઈ રીતે યાચવો ? તથા વિહાર કરતાં કઈ વિધિએ તે ભળાવવો ? આ બીનાઓને સ્પષ્ટ સમજાવીને તે ગૃહસ્થની પાસેથી પાટ પાટલા વગેરેને યાગીને લાવવાનો વિધિ છે અને ખપે એવાં પાત્રાદિ ઉપકરણોનું પ્રમાણ તથા આહારાદિને હૈ વાપરવાનો વિધિ વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે. 2 ૯. નવમા ઉદ્દેશામાં સંયમી જીવનની અપૂર્વ સાધનારૂપ બાર 2 ભિક્ષુપ્રતિમાઓને આરાધતાં સાચવવાના આચાર વગેરેનું સ્વરૂપ સમજાવીને સાધુ-સાધ્વીઓને વાપરવા લાયક શખાતર (મકાનના કે માલિક)ના મકાનની બીના તથા પ્રસંગાનુપ્રસંગે બીજી પણ મુનિ ૨ વ્યવહારની બીનાઓ સ્પષ્ટ સમજાવી છે. મ 2 ૧૦. દશમા ઉદ્દેશામાં અનુક્રમે અભિગ્રહોની અને પરીષહાદિની ? ૭ ૭ o කාලි 2 8 8
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy