SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન સમ્રાટ સંપ્રતિની યશોગાથા ગઈકાલનો ઇતિહાસ, આજનો પડકાર અને આવતીકાલની પ્રેરણા Qપદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, એની ભૂગોળ બદલાઈ જાય છે અને એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આજે વિશ્વના પ્રગતિશીલ દેશો અને પ્રજાઓ પણ પોતાના ઇતિહાસની પરંપરામાંથી પ્રેરણા પામીને વર્તમાન સમસ્યાઓનો ઉકેલ શોધે છે. History is Everywhere એ અનુસાર આજે તો વર્તમાન જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે ઇતિહાસ અનુચૂત હોય છે એમ સિદ્ધ થયું છે. ઇતિહાસ તરફ પ્રમાણમાં ઉપેક્ષા સેવતો જૈન સમાજ જે ભવ્ય યશોગાથાઓ વિસરી ગયો છે, તેમાંથી એક ભવ્ય યશોગાથા છે મોર્ય વંશના છેલ્લી અખંડ જ્યોત સમા સમ્રાટ સંપ્રતિની. એમનું સમગ્ર જીવનકાર્ય એ વિરાટ પ્રતિભાશાળી રાજવી અને ધર્મના પરમ ઉપાસકનું આદર્શ દૃષ્ટાંત છે. સમ્રાટ અશોકે ભારતની બહાર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને એને સમગ્ર વિશ્વનો ધર્મ બનાો, એ જ રીતે એ જ સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજાએ જૈન ધર્મનો દેશ અને વિદેશમાં પ્રસાર કરીને એને વિશ્વધર્મ બનાવવાનો પ્રયાસ કર્યો. અશોકના કાર્યો એના કીર્તિસ્તંભો, શિલાલેખો, આજ્ઞાપત્રો અને તામ્રપત્રોમાં જળવાયેલાં છે. જ્યારે એમના જેવા જ પ્રતિભાવાન રાજવી સંપ્રતિ મહારાજાની એટલી સ્મૃતિઓ સચવાઈ નથી, પરંતુ એમના ભવ્ય જીવનની ગાથાનું વર્ણન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ‘પરિશિષ્ટ પર્વ’ નામના ગ્રંથમાં મળે છે. ‘સંપ્રતિ કથા’ અને ‘પ્રભાવક ચરિત્ર' જેવાં ચરિત્રગ્રંથોમાં પણ મહારાજ પ્રતિને સંપઈ' તરીકે ઓળખાવ્યા છે. પ્રખ્યાત ઇતિહાસવિદ વિન્સેન્ટ સ્મિથ કહે છે કે મહારાજ સંપ્રતિએ છેક ઇરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિના કેન્દ્રો સ્થાપિત કર્યાં હતાં. ૧૧ કારોબાર સંભાળતા હતા. વિદેશની ધરતી પરથી આવીને ભારત પર આક્રમણ કરનારા સિકંદર, બાબર, તૈમુર લંગ કે નાદિરશાહની વાર્તા આપણા ઇતિહાસમાં આવે છે, પણ ઇતિહાસ ક્યારેય સમ્રાટ સંપ્રતિએ મેળવેલા ભવ્ય વિજયની યશોગાથા કહેતો નથી. સમ્રાટ અશોકના કલિંગના યુદ્ધની ઘટનાઓ ઇતિહાસના પૃષ્ઠો પર આલેખાઈ છે, પરંતુ અફઘાનિસ્તાન, ઈરાન, અરબસ્તાન, બંબિલોન, સિરિયા, ગ્રીસ, મિસર (ઇજિપ્ત) જેવા દેશો પર વિજય મેળવનાર મહારાજા સંપ્રતિની વિજયયાત્રા વિશે ક્યાં કોઈ કશું જાણે છે? વળી એમની વિજયયાત્રા એ સત્તા, સુંદરી, સમૃદ્ધિ કે સામ્રાજ્યપ્રાપ્તિના હેતુથી થયેલી વિજયયાત્રા નહોતી; બલ્કે ભારતીય સંસ્કૃતિ, અહિંસા અને જૈનધર્મની જીવનશૈલીનો પ્રસાર કરવા માટેની વિજયયાત્રા હતી. ઈ. સ. પૂર્વે ૩૩૨માં સમ્રાટ સંપ્રતિએ નેપાળ જેવા પહાડી પ્રદેશ પર વિજય મેળવીને પોતાની વિજયયાત્રાનો પ્રારંભ કર્યો. એ સમયે નેપાળનો રાજ્યખજાનો કુબેર ભંડારી જેવો ધન, રત્ન અને સુવર્ણથી ભરપૂર હતો. સમ્રાટ સંપ્રતિએ નેપાળની રાજગાદી પર શાસન કરનારા સૂર્યોપાસક રાજા થૂકોને પરાજય આપ્યો. પરાધીન થૂકોને એમણે માનપૂર્વક જીવન ગાળી શકે તે માટે યોગ્ય વર્ષાસન બાંધી આપ્યું અને કુટુંબસિહત રાજધાનીમાં રહેવાની પરવાનગી આપી. સમ્રાટ સંપ્રતિનું ધ્યેય ધર્મપ્રસારનું હોવાથી એમણે સુરક્ષિત સ્થળે નવી રાજધાની બંધાવી. અન્ય દેશ પર વિજય મેળવ્યો હોવા છતાં નેપાળમાં એમણે દાનશાળાઓ, ગૌશાળાઓ, મંદિરો અને ઉપાશ્ચર્યો બનાવ્યા. કોઈ વિજેતા રાજવી ભારત વર્ષના મહાન પરાજિત પ્રજાના કલ્યાણનો આટલી વ્યાપક વિચાર કરે, તેવું ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે છે. સમ્રાટ સંપ્રતિ શ્રેષ્ઠિર્ય સુશ્રાવક શ્રી શ્રેણિકભાઈના પ્રમુખસ્થાને સમ્રાટ સંપ્રતિ કલ્ચરલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં તા.૩-૨-૨૦૧૨ના સાંજે છ વાગે એક ભવ્ય નેપાળના પહાડી સૈન્યના સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોકે ને હેર કાર્યક્રમનું આયોજન થયેલ છે. જેમાં સ્લાઈડ દ્વારા ચાર સાથથી સમ્રાટ સંપ્રતિએ તિબેટ એમના પૌત્ર સંપ્રતિ બંનેએ સંપ્રતિએ નિર્માણ કરાવેલા જૈન મંદિરો દર્શાવાશે અને વિદ્વાન ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ વક્તાઓ સમ્રાટ સંપ્રતિ વિશે પોતાના વક્તવ્યો પ્રસ્તુત કરશે. ડૉ. કલાબેન શાહ લિખિત ગ્રંથ ‘સમ્રાટ સંપ્રતિ મહારાજની વિસરાયેલી યશોગાથા'નું ગુજરાતી, અંગ્રેજી, હિંદી ભાષામાં પ્રકાશનનું લોકાર્પણ આ જ સમારંભમાં થશે. આ ગ્રંથના અનુવાદકો છે : બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ઇન્દ્ર પાલિત. સંગન અને વિગતાશોક જેવાં અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મોર્ય ઈ. સ. પૂર્વે ૨૩૦માં રાજસિંહાસન ૫૨ અંગ્રેજ : પુષ્પાબહેન પરીખ * હિંદી : પ્રો. સુરેશ પંડિત બિરાજમાન થયા, પરંતુ એ પૂર્વ વિશેષ વિગત માટે સંપર્ક : સી.જે. શાહ, મો. ૯૭૨૩૨૩૭૦૨૩ એક દાયકાથી તેઓ રાજ્યનાં અને ખોતાનના પહાડી પ્રદેશો પર ચડાઈ કરી અને એના પર વિજય હાંસલ કર્યો. એ પછી સમ્રાટ સંપ્રતિએ ચીન તરફ નજર દોડાવી. ચીનના શહેનશાહ સી-હ્યુ-થાંગને આનો ખ્યાલ આવી જતાં એમણે તિબેટની સરહદથી ચીનની સરહદ સુધીના પ્રદેશમાં એક મજબૂત દિવાલ બાંધવાનું કામ હાથ પર
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy