SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક મુનિવર કેમ હસ્યા ? આ કથા આચાર્ય પ્રેમપ્રભસાગર‘વાત્સલ્યદીપ’કૃત ‘પ્રેરક જૈન કથાઓ' પુસ્તકમાંથી લીધી છે. કથાલેખન યથાવત્ રાખ્યું છે. કા. શ્રી વાત્સલ્યદીપ ફાઉન્ડેશન, અમદાવાદ-૧૩, ઈ. સ. ૨૦૦૧] નાગદત્ત શેઠ નગરમાં જાણીતા શ્રેષ્ઠી તા. સુખથી જીવે. પોતાના માટે સુંદર મહેલનું નિર્માણ કરાવી રહ્યા હતા. રંગારાને એ સૂચના આપી રહ્યા હતા કે, એવો રંગ થવો જોઈએ વર્ષો સુધી ઝાંખો ન પડે. કે રંગારો કહે, ‘ચિંતા ન કરો શેઠ, એમ જ થશે.' એ વખતે ત્યાંથી એક તપસ્વી મુનિરાજ પસાર થયા. એમણે આ જોયું ને સાંભળ્યું. એ હસી પડ્યા. નાગદત્ત શેઠને મનમાં વિચાર તો થયો જ કે એ સંસારત્યાગી મુનિવર હસ્યા કેમ હશે ? કિંતુ એમણે ઝાઝું મહત્ત્વ ન આપ્યું. બપોરની વેળા હતી. નાગદત્ત શેઠ જમવા બેઠેલા. પારકામાં એમનો પુત્ર ઝૂલે. એણે લઘુશંકા કરી ને શેઠની થાળીમાં થોડા છાંટા ઊઠ્યા. શેઠે પરવા ન કરી. જમવાનું ચાલુ રાખ્યું. એ જ મુનિરાજ ત્યારે ત્યાં વહોરવા આવેલા. એમણે આ જોયું. એ હસી પડ્યા. શેઠ વળી ચમક્યા. શેઠ પહોંચ્ય ઉપાશ્રયે, સાંજ ઢળી ગયેલી. મુનિવરને વિધિવત્ વંદીને શેઠે જે મનમાં હતું તે પૂછ્યું, ‘આજ આપ ત્રણ વાર હસ્યા. તેનું કારણ શું હશે?” ૫૯ ‘મને કહેવા કૃપા કરશો ?’ ‘જી, પણ છાતી મજબૂત રાખજો.' ભ. શેઠ સાવધ થઈ ગ્યા. મુનિ: ‘શેઠ સવારે તમે રંગારાને સૂચના આપતા હતા કે રંગ કદી જવો ન જોઈએ.' ‘ખરું.’ મુનિઃ ‘શેઠ, ભાગ્યની કરામત અકળ હોય છે. તમારું આયુષ્ય હવે માત્ર સાત જ દિવસનું બાકી છે.’ ‘હેં !' મુનિઃ બપો૨ના બાળકની લઘુશંકાના છાંટા પણ તમને ભોજનમાં અણગમો પ્રેરતા નહોતા.' મુનિ : ‘સાંજના બોકડાને તમે પરાણે દુકાનમાંથી બહાર કઢાવતા હતા. એ તમારા પિતાનો જીવ હતો. દુકાન જોઈ, તમને જોયા ને એ જીવને જાતિસ્મરણ (પૂર્વભવનું) જ્ઞાન થયું. તમારે ત્યાં આશ્રય અર્થે આવી ચડ્યો. તીવ્ર આસક્તિના કારણે એ મૃત્યુ પામીને તિર્યંચ નાગદત્ત શેઠ દુકાને બેઠેલા. ઘરાકી ચાલુ હતી તેવે સમયે એક બોકડો દુકાનમાં ચડી ગયો. શેઠે તેને બહાર કઢાવ્યો. નોકરે માર્યો.બન્યો. જાતિસ્મરણથી જાણીને તમારે ત્યાં આવ્યો પણ...’ કસાઈ તેને પરાણે ઉપાડી ગયો. બોકડાની આંખમાંથી પાણી વહે ! પેલા મુનિવરને એ જ વખતે વળી ત્યાંથી પસાર થવાનું થયું, એમણે આ જોયું. એ હસી પડ્યા! નાગદત્ત શેઠ ચમક્યા. આ મુનિરાજ હસ્યા કેમ? કોઈ કારણ હશે જ. ‘ખરું.’ મુનિઃ બાળક એ જ જીવ છે કે જે તમારી પત્નીનો જાર હતો ને તમે મરાવી નાખેલો. એ તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ્યો છે.’ * !” હેં ?' શેઠ ઊભા થઈ ગયા. હું પહેલાં એને કસાઈને ત્યાંથી છોડાવી લાવું.' શેઠ દોડ્યા. કસાઈને ત્યાં પહોંચ્યા. ત્યારે એ બોકડાને વધેરીને હાથ લૂછતો હતો. નાગદત્ત શેઠ હૈયાફાટ રડી રહ્યા. રે! કેવો છે આ સંસાર! એ પુનઃ ઉપાશ્રયે આવ્યા. ત્યાગી સાધુજનના ચરણ ઝાલ્યા. ‘હે ગુરુદેવ, હવે મારું શું થશે ? મારો ઉદ્વાર કરો. મારું કલ્યાણ કરો.' મુનિ : ‘શેઠ, જે જીવ કર્મ બાંધે, એ જ જીવ પુરુષાર્થ કરીને મુક્ત પણ થાય. તમે મોહ-માયાનો ત્યાગ કરીને ધર્મના, ત્યાગના, મુનિ મહારાજ ગંભીર થઈ ગયા. કહે, ‘શેઠ, સંસારની અસારતા સદ્ગુરુના શરણે જાવ. તમારું શ્રેય થશે જ .એક દિનનું શુદ્ધ ચારિત્ર જોઈ હસી જવાયું હતું.' પણ જીવને સદ્ગતિ આપે. તમારે તો સાત દિન બાકી છે.’ સંસારની અસારતા પારખી ગયેલ નાગદત્ત શેઠે દીક્ષા લીધી. વૈરાગ્યના પંથે એમને સદ્ગતિ આપી. આવે ત્યારે જીવ એકલો જ પરભવમાં જાય છે. એટલા માટે જ્ઞાની દુ:ખ આવી પડે ત્યારે મનુષ્ય તે એકલો જ ભોગવે છે. મૃત્યુ માણસો કોઈ પણ વસ્તુને પોતાના શરણરૂપ માનતા નથી. * ઉત્સાહી માસ ધન કે બીજા કશા સ્વાર્થની આશામાં લોઢાના કાંટા (ખીલા) સહન કરી શકે છે, પરંતુ કોઈ પણ જાતની આશા રાખ્યા વગર વચનરૂપી કાંટા જે સહન કરે છે તે પૂજ્ય છે. • બીજાઓનો તિરસ્કાર ન કરવો તથા પોતાનું ચઢિયાતાપણું ન બતાવવું, પોતાનાં શ્રુતજ્ઞાન, લાભ, જાતિ, તપ અને બુદ્ધિનું અભિમાન ન કરવું.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy