SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ ઘર પાસે ઢોરનો જ્યાં વાડો હતો ત્યાં બળદને બેસાડ્યા. મિત્રે ભોજન કરતાં જોયું પણ ખરું કે ખેડૂતમિત્ર બળદ વાડામાં પાછા મૂકી ગયો છે. પછી ખેડૂત ત્યાંથી નીકળી ગયો. હવે બન્યું એવું કે પેલા વાડામાં બેસાડેલા બળદ, ખેડૂતે બળદને પાણી પાયેલું ન હોઈ અને ચારો નીરેલો ન હોઈ, વાડામાંથી ઊભા થઈને છીંડામાંથી બહાર નીકળી ગયા. બળદોનું બહાર નીકળવું અને એજ સમયે સામેથી ચોરનું આવવું. એટલે એ ચોર બળદને લઈ ગયો ને કશેક છુપાવી દીધા. પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક આફત હતી, એમાં વળી આ ઘોડાની આફત. ખેડૂત કહે, “આપણે રાજમંત્રી પાસે જઈએ. એ જે ન્યાય કરે તે સાચો.' ઘોડેસવાર ખેડૂતની વાત સાથે સંમત થયો. આમ હવે રાજદરબારે જતા આ બે મિત્રો સાથે ત્રીજો ઘોડેસવાર પણ જોડાયો. આ દુનિયામાં જે ભાગ્યહીન પુણ્યહીન છે તે સવળું કરવા જાય તોયે અવળું પડે. ખેડૂત અત્યારે બરાબર આવી જ સ્થિતિમાં મુકાયો હતો. હજી એની આફતનો અંત ક્યાં હતો ? હવે બળદનો માલિક-મિત્ર જ્યારે જમીને બહાર આવ્યો ત્યારે એણે વાડામાં બળદોને જોયા નહીં એટલે તરત જ તે ખેડૂત-મિત્રને મળીને કહે, ‘વાડામાં બળદ છે નહીં. મને મારા બળદ આપી દે.'નટ લોકો પણ પરગામેથી આવીને અહીં સૂતેલા હતા. આ ત્રણે રાજનગરમાં પહોંચ્યા. ત્યારે અંધારું ઊતરી આવ્યું હતું. નગરનું દ્વાર વસાઈ ગયું હતું. એટલે નગરદ્વાર પાસે આવેલી એક ધર્મશાળામાં ત્રણે જણા રાતવાસો રોકાયા. આ ધર્મશાળામાં ઘણા ખેડૂત કહે, ‘હું તો બળદ લઈને આવ્યો જ હતો. અને વાડામાં એમને મૂક્યા હતા.' ખેડૂત માને છે કે મેં બળદ પરત આપી દીધા અને એનો મિત્ર માને છે કે જ્યાં સુધી હાથોહાથ મને બળદ સોંપાયા નથી ત્યાં સુધી પરત આપ્યા ન ગણાય. આમ બંને વચ્ચે કલહ વધી પડયો. બંને રાજમંત્રી પાસે આનો ન્યાય કરાવવા રાજદરબારે જવા નીકળ્યા. રસ્તામાં પેલો મિત્ર ખેડૂત સાથે ઝઘડતો રહ્યો, ‘હું મારા બળદ શાના જતા કરું? જો તેં મને સાચવીને પાછા આપ્યા હોત તો હું કશો દાવો ન કરત.” આમ બળદ ગુમ થવાથી ખેડૂતને માથે મોટી આફત આવી પડી. તે ભારે ચિંતામાં મૂકાઈ ગયો. પણ એને બિચારાને ખબર નથી કે હજી આગળ બીજી આફતો પણ એને માથે ત્રાટકવાની છે. બંને જણા ચાલતા જતા હતા ત્યાં એક તાજી ઘટના બની. એક ધોડાએ એના અસવારને નીચે પાડી દીધો. ધોડો દોડવા લાગ્યો. એટલે ઘોડાની પાછળ ધસી આવતો એનો ઘોડેસવાર મોટે સાદે કહેવા લાગ્યો, ‘ઘોડાને કોઈ પકડો. એને મારીને પણ કાબૂમાં લો. હું તમારો ઉપકાર માનીશ.’ ઘોડો આ બંને મિત્રોની દિશામાં દોડતો આવતો હતો. એટલે પેલો ખેડૂત ઘોડેસવારની કાકલૂદીથી દ્રવી જઈને ઘોડા સામે ધસી ગયો અને એને કાબૂમાં લેવા એક લાકડું ઉપાડીને ઘોડાના માથે ફટકાર્યું. બન્યું એવું કે લાકડું ઘોડાના મર્મસ્થળે વાગવાથી ઘોડો તત્કાળ મૃત્યુ પામ્યો. પેલો ધોડેસવાર ખેડૂતને ઠપકો આપતાં કહેવા લાગ્યો, ‘અરે મુર્ખ, આ તેં શું કર્યું ?' ખેડૂત કહે તમે કહ્યું હતું તેમ જ મેં તો કર્યું. હવે એમાં મારો શો દોષ?’ ૨૯ ઘોડેસવાર કહે, 'અરે મેં તો તને ઘોડાને મારી તરફ વાળવાનું કહ્યું હતું. એ માટે જરૂર પડ્યે એને મારવો પડે. પણ કાંઈ એને મારી નાખવાનું નહોતું કહ્યું. હવે બધી વાત રહેવા દે ને મને મારો ઘોડો આપી છે. પેલા અભાગી ખેડૂતને રાત્રે ઊંઘ તો શાની જ આવે! તે મનમાં વિચારવા લાગ્યો, ‘કાલે સવારે રાજદરબારમાં ન્યાય-અન્યાયનો નિર્ણય થશે. પણ મારા જેવા ગરીબની વાત કોણ માનશે ? સામાવાળા આ બે જણાનો બોલ જ ખરો ગણાશે. બળદના માલિક પાસે ધનનું જોર છે, અને આ ઘોડેસવાર રાજ્યનો સેવક છે. એટલે નક્કી, એમનું જ ધાર્યું થશે. અને મારું કાંઈ ઊપજશે નહીં. મને બંધન કે વધ જેવી મોટી સજા ફટકારશે તો હું કોને કહેવા જઈશ ? માટે હવે તો આત્મહત્યા કરીને આ ઝંઝટમાંથી છૂટું.' આ રીતે મોમન આત્મહત્યાનો નિશ્ચય કરીને એ ખેડૂત ધર્મશાળાના પ્રાંગધ્રામાં આવેલા એક ઝાડ પર ચઢ્યો. ઝાડની ડાળીએ માથા પરનું ફાળિયું બાંધ્યું. આમ ગળાફાંસો ખાવાની ખેડૂતે પૂરી તૈયારી કરી લીધી. પછી ખેડૂત જેવો ગળાફાંસો ખાવા જાય છે ત્યાં તો ફાળિયાનું વસ્ત્ર જર્જરિત હોવાથી તે વચ્ચેથી તૂટી પડ્યું. હવે આ ઝાડ નીચે પરગામથી આવેલા નટ લોકો સૂતેલા હતા. એમની સાથે એ નટવાઓનો મુખિયો પણ સૂતો હતો. વસ્ત્ર ફાટી જવાથી પેલો ખેડૂત ધબ્બ દઈને બરાબર પેલા સૂતેલા નટોના મુખિયા ઉપર પટકાયો. અને ખેડૂતના ભારથી એ મુખિયો તત્કાળ મૃત્યુ પામ્યો. બધા નટવાઓમાં તો હાહાકાર મચી ગયો. વિધિની અકળ લીલા જુઓ. જેને મરવું હતું તે જીવી ગયો ને પેલો મુખિયો અણચિંતવ્યા મોતને ભેટ્યો. ‘કર્મની ગતિ ન્યારી’ તે આનું નામ. બધા નટોએ ભેગા થઈને ખેડૂતને પકડી લીધો. એને માથે એક વધુ આફ્તનો ઉમેરો. સવાર થયું. બધા રાજદરબારે પહોંચ્ય. સૌએ રાજ્યમંત્રી સમક્ષ પોતપોતાની ફરિયાદ કહી સંભળાવી મંત્રીએ પેલા ખેડૂતને બોલાવ્યો. એની સામે થયેલી ફરિયાદો વિશે આનો જવાબ માગ્યો. ખેડૂતે કહ્યું, 'અહીં જે કહેવામાં આવ્યું છે અને જે ઘટનાઓ બની છે તે સત્ય છે. પણ એમાં મારો કોઈ દોષ નથી. આ ત્રણેય કહેવત છે ને કે 'દાઝ્યા પર ડામ” તે આનું નામ. બળદની તો ઘટનાઓમાં કોઈને જરીકેય નુકસાન પહોંચે એવો મારો કોઈ જ
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy