SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ૯ ‘તરંગોલા'માં એક શૃંગારકથા રૂપે એ મળે છે. સુવ્રતા સાધ્વી જૈન-જૈનેતર લૌકિક પરંપરાની કથાઓને સંગ્રહીત કરતા કથાએક શ્રાવિકાને પોતાની જીવનકથા કહે છે એ પ્રકારની એની સંગ્રહો એ પ્રકારની એની સંગ્રહો – કથાકોશો રચાયા છે તેમ સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથો થનરીતિ છે. સંસારી અવસ્થાની આ વિજ્ઞપુત્રીએ જાતિસ્મરણથી ઉપરના જૂની ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોએ પણ કાકોશ જાણ્યું કે પૂર્વભવમાં તે હંસયુગલ હતી ને એક શિકારીએ હંસને બનવાનું કામ કર્યું છે. મારી નાખતાં પોતે બળી મરી હતી. પૂર્વ ભવના એના પતિને આ ભવમાં ખોળીને એની સાથે લગ્ન કરે છે. અંતમાં બન્ને સંસાર ત્યજી દીક્ષા ગ્રહણ કરે છે. ધર્મદાસગણિના પ્રાકૃત ગ્રંથ ‘ઉપદેશમાલા' ઉપર સોમસુંદરસૂરિએ સં. ૧૪૮૫માં રચેલા બાલાવબોધમાં નાની-મોટી થઈને ૮૩ કથાઓ મળે છે. ‘ઉપદેશમાલા’ની ગાથામાં જેનો માત્ર ટૂંકો ઉલ્લેખ જ હોય ત્યાં બાલાવબોધકારે તે ને ગાયાના બાલાવબોધની “સમરાઈÄ હા'માં સમરાદિત્ય અને ગિરિસેનના નવ માનવભવોની કથા કહેવાઈ છે; જેમાં અનેક અવાંતરકથાઓ પણ આવે છે. એમાંથી ચોથા ભવની અવાંતરકથા ‘યશોધરચરિત’ ઉપર તો ૨૪ થી વધુ કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં રચાઈ છે. એમાં હિંસાનો નિષેધ અને વ્યભિચારનું દુષ્પરિણામ દર્શાવાયા છે. 'ધૂર્તધ્યાનમાં' ધૂર્તવિદ્યામાં પારંગત એવા પાંચ ધૂર્તોની કથા છે જેમાં એક સ્ત્રી-ધૂર્ત પણ છે. એ સ્ત્રી ચતુરાઈથી બાકીના ધૂર્તોને ોજન કરાવે છે. બધા એની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરે છે. સિદ્ધર્ષિશશિની ‘ઉપમિતિભવપ્રપંચાકથા' જૈન પરંપરામાં અત્યંત સુપ્રસિદ્ધ બનેલી કથા છે. તે સંસ્કૃત ગદ્યકથા છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ – એ ચાર ભવોની વિસ્તારકથા અહીં - રૂપકકથાની શૈલીએ કહેવાઈ છે. ડૉ. યાકોબીએ આ કથાની અંગ્રેજી પ્રસ્તાવનામાં કહ્યું છે કે, `It is the first allegorical work in Indian Literature.' આ કથાના અનેક સંક્ષેપો થયા છે. જૂની ગુજરાતીમાં આવી એક રૂપકકથા જયશેખરસૂરિની ‘ત્રિભુવન દીપક પ્રબંધ” નામે મળે છે. આ કવિએ જ સંસ્કૃતમાં રચેલ 'પ્રોધ ચિંતામણિ' ગ્રંથનું એ ગુજરાતી રૂપાંતર છે. મનુષ્યભવની દુર્લભતા, શીલ-ચારિત્ર તપ સંયમ વૈરાગ્યનો મહિમા, કામક્રોધાદિ કષાયોના માઠાં ફળ, પરીષહ, હળુકર્મી અને ભારે કર્મી જીવો વચ્ચેનો ભેદ, નિષ્કામતા, ગુરુ પ્રત્યેનો વિવેક-વિનય, સુપાત્ર દાનનો મહિમા, અભયદાન, જીવદયા, યા, દેવપૂજા, વૈયાવૃત્યાદિ તપ, નવપદની આરાધના-જેવાં પ્રયોજનવાળી ધર્મ અને વૈરાગ્યપ્રે૨ક જીવનબોધક નાનીમોટી યાઓથી જૈન કથાસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. ઉદ્યોતનસૂરિની 'કુવલયમાલા' એ પ્રાકૃતમાં રચાયેલ ગદ્યપદ્ય મિશ્રિત કથા છે. ભવભ્રમણના કારણરૂપ ક્રોધ, માન, માયા, લોભ, મોહ આદિ કષાયોને સાંકળતી આ પણ એક રૂપકકથા છે. પૂર્વભવનો માનભટ્ટનો જીવ આ ભવે કુવલયચંદ્ર અને પૂર્વભવનો માયાદત્તનો જીવ આ ભવે રાજકુંવરી કુવલયમાલા તરીકે જન્મે છે. બન્ને લગ્ન કરી, સમય જતાં પુત્ર પૃથ્વીકારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરે છે. જૂની ગુજરાતીમાં ઋષિદત્તા, નર્મદાસુંદરી, સુરસુંદરી, મનોરમા, મલયસુંદરી વગેરે નારીપાત્રોવાળી જૈન ધર્મોપદેશને બંધબેસતી કથાકૃતિઓ રચાઈ છે. જયવંતસૂરિએ ‘શૃંગારમંજરી’ નામક કૃતિમાં શીલવતીની કથા આલેખી છે. માણિક્યસુંદરે ‘પૃથ્વીચંદ્રચરિત્ર' નામે ગદ્યકથા આપી છે જેમાં પઠાણ નરેશ પૃથ્વીચંદ્ર અને અયોધ્યાની રાજકુંવરીના થતાં લગ્ન વચ્ચે અનેક વિઘ્નો નડે છે અને એનું ચમત્કારયુક્ત રીતે નિવારણ પણ થાય છે. પુણ્યનો પ્રભાવ દર્શાવતી અને જૂની ગુજરાતી ભાષાની ‘કાદંબરી” કથા સમી આ કથા નોંધપાત્ર બની છે. બાલાવબોધો-અંતર્ગત કથાઓ : જેમ સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક (અગાઉ પ્રકાશિત થયેલ 'પ્રબુદ્ધ જીવન' ૧૬, ફેબ્રુ. ૨૦૦૯ના અંકમાં.) આવા સાહિત્યનું વધુ ને વધુ શ્રવણ-વાચન થાય, એ પ્રત્યેના રસરુચિ કેળવાય, અને એમાંથી ફલિત થતા મર્મ-બોધને આપશે હ્રદયમાં ગ્રહણ કરીએ. એના ફલસ્વરૂપ આપણું જીવન શ્રેયઃ પથગામી બની રહે. (પૂના-‘વીરાલયમ્' ખાતે યોજાએલા ૧૯ માં જૈન સાહિત્ય સમારોહમાં તા. ૧૪-૨-૦૮ના રોજ જૈન કથા સાહિત્ય'ની બેઠકોના પ્રમુખસ્થાનેથી રજૂ થયેલો નિબંધ. *** નીચે વિસ્તારીને કથા કહી છે. એમાં મુનિમહાત્માઓની ચરિત્રકથાઓનું પ્રમાણ સવિશેષ છે. તે ઉપરાંત રાજાઓ, મહાસતીઓ, શ્રેષ્ઠીઓ, દેવી, ભીલ, માતંગ, રથકાર, ધૂર્ત, બ્રાહ્મણ, તેમજ પશુપંખીની કથા, રૂપકકથા, અન્યોક્તિ કથા, સમસ્યા અને એના ઉકેલ સમી કથા મળે છે. નિકટનાં સગાં જ સગાંનો અનર્થ કરે એ પ્રયોજનવાળી કથાઓનું તો આખું ગુચ્છ છે; જેમાં માતા પુત્રને, પિતા પુત્રને, પુત્ર પિતાને, ભાઈ ભાઈને, પત્ની પતિને, મિત્ર મિત્રને, સર્ગો સગાને અનર્થ કરે છે. આ જ રીતે ‘પુષ્પમાલા પ્રકરણ', ‘બડાવશ્યક સૂત્ર', ‘ભવભાવના’, ‘શીલોપદેશમાલા' જેવા ગ્રંથોના બાલાવબોધીમાં આવી કથાઓ મળે છે. જૈન કથાસાહિત્યનું પ્રયોજન : આ કથા સાહિત્યનું મુખ્ય પ્રોજન ધર્મોપદેશનું રહ્યું છે. આ કથાસાહિત્ય ભાવકના કથારસને પછા પોષે છે, સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હૃદયસ્થ કરવામાં સહાયક બને છે. પૂર્વભવોનાં કર્મોનો વિપાક અને એના સારાં માઠાં ફળ દર્શાવવાના પ્રયોજનવાળી ભવભવાંતરની કથાઓની વિપુલતા જૈન કથાસાહિત્યમાં વિશેષ ધ્યાનાર્હ બની રહે છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy