SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જેને મહાન બનવું છે તેને અભિમાન છોડવું પડે. પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૧૧ સુધી મનમાં ઊંડે ઊંડે છે ત્યાં સુધી તમારું કાર્ય ઝળહળી ઉઠશે નહીં. મહાન માણસો હંમેશાં એમ જ બોલે છે કે જે કંઈ થયું તે તમે નહીં તમારું કાર્ય બોલે તેમ કરો. તમારા કાર્યમાં તેજ હશે તો ભગવાનની કૃપાથી થયું. તેની પ્રશંસા જરૂર થશે. વખાણની અપેક્ષા રાખીને બાંધેલું પુણ્ય ગુમાવી ન દો. સ્નાત્રપૂજાના પહેલાં શ્લોકમાં ભગવાનને વંદન કરવામાં આવે છે. ભગવાનને પ્રતિદિન વંદન કરવાની વાત છે. જિનેશ્વર ભગવાન કેવા છે? અનંત ગુણથી ભેરાલ છે. વૈરાગ્યના સમુદ્ર જેવા છે. શાંતિનો ભંડાર છે. ભગવાન શું છે તેમ પૂછવાને બદલે પૂછો કે ભગવાન શું નથી? ગૌરવ કરજો જિનેશ્વર ભગવાન પર! તમે દેરાસરમાં જઈને શું આપો છો? શું મૂકો છો ? ભગવાન તમને ઘણું બધું આપે છે. ભગવાનની પાસે જવાથી કર્મનો નાશ થાય છે, દુર્ગતિ અટકે છે, ભવાન્તર સુધરે છે, પુણ્ય વધે છે, સુખ વધે છે. તમે ભગવાનને શું આપવાના હતા? ભગવાન જે કરુણાનો વરસાદ વરસાવે છે તેની સામે તમારી ગીજ વસ્તુઓની શું કિંમત છે ? જૈન ધર્મમાં માત્ર આર્ય દેશના નહીં અનાર્ય દેશના લોકોએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. આર્દ્રકુમારનો દાખલો જાણો છો ને ? આર્દ્રકુમાર મગધના મંત્રી અભયકુમાર જોડે મૈત્રી કરે છે. મૈત્રી સજ્જનો સાથે કરવી જોઈએ. આર્દ્રકુમારે સાંભળ્યું છે કે અભયકુમાર ખૂબ બુદ્ધિશાળી છે. એ યુદ્ધ થવા દેતા નથી. હિંસા કર્યા વિના બાહોશીથી પોતાનું કામ પાર પાડે છે. બુદ્ધિની લડાઈ થાય તો અભયકુમારને જીતે તેવો કોઈ નર પૃથ્વી પર હાજર નથી. ભગવાનની પ્રતિમા ગમે ત્યારે નિહાળો. તમને વિતરાગ અવસ્થા સિવાય કંઈ જોવા મળે? ભગવાન દીક્ષા લેવા નીકળ્યા છે ત્યારે ધાવમાતાઓ વિનવે છે કે પ્રભુ ક્યારેક અમને યાદ કરજો તો ય અમારું કલ્યાણ થઈ જશે. ભગવાન એ પળે પણ રાગ છોડીને આર્દ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. ઉત્કૃષ્ટપણે બેઠા છે. હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે પ્રભુ કેવા છે? કોઈ જાતિસ્મરણ જ્ઞાન થાય તો પૂર્વેના ૩૦૦ ભવ દેખાય. આવીને એમના ચરણમાં ફૂલો મૂકે તો તેમને રાગ થતો નથી અથવા કોઈ આવીને તેમના ચરણમાં પથ્થર ફેંકે તો તેમને દ્વેષ થતો નથી! જ્યારે રાગ તૂટે, ત્યારે સંસારના બંધ તૂટે. (૧૧) ચાણસ્માના એક છોકરાને જાતિસ્મરણ જ્ઞાન થયેલું આગલા ભવ માટે તેણે જે કહ્યું તે બધું જ સાચું ઠર્યું. મેં એને પૂછ્યું કે, ‘આગલા ભવવાળા કોઈ સંબંધ રાખે છે?' ૩૨ ભગવાન મહાવીરને વંદન કરવા સૌ જતા હતા. સાધુ-સાધ્વી, રાજા-રાણી, દેવ-દેવી, સૌ જતા હતા. એ સમયે સરોવરમાંથી એક દેડકો બહાર આવી ગયો. કોઈકના મોઢે સાંભળ્યું કે ભગવાન પધાર્યા છે. એને પણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. એ રસ્તા પર આવીને દોડવા માંડ્યો. રાજાના ઘોડાના પગ નીચે આવી ગર્યો. મરીને દેવ થો, નંદ મણિયારની આ કથા છે. તિર્યંચનો જીવ, ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી દોડે છે. ભગવાનના દર્શન કર્યા નથી પણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી દોડી રહ્યો છે. થોડાના પગ નીચે ચગદાઈ જાય છે. ભાવના સારી હતી એટલે મરીને દેવ થાય છે. આ ભગવાનનો ચમત્કાર છે. આવા મહાન ભગવાન તમને મળ્યા છે. સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રભુના ચરણમાં જશો તો તરી જશો. (૧૨) પૂજ્ય વીર વિજયજી મહારાજની સ્નાત્રપૂજાનો મહિમા વર્ણવીએ તેટલો ઓછો છે. સ્નાત્રપૂજાના પહેલા દૂધામાં સકળ ધર્મકાર્ય વિવેકથી કરવાનું કહ્યું છે. વિવેક એ મનુષ્ય જીવનનો પાયો છે. પાષાનો સદ્ગુણ છે. ધર્મ માત્ર વિચાર માટે નથી આચાર માટે છે. ધર્માચરણની શરૂઆત વિનય, વિર્ઘક, નમ્રતાથી થાય છે. તમે જે કર્યું છે તે બીજા જુએ અને પ્રશંસા કરે એવી ઈચ્છા જ્યાં આર્દ્રકુમાર મૈત્રી કરે છે. અભયકુમાર તેને ભગવાનની પ્રતિમા ભેટ કરે છે. આટલી જ નાની વાત. પરંતુ તેનું પરિણામ કેવું ભવ્ય! આર્દ્રકુમારને ભગવાનની પ્રતિમાના દર્શન પહેલા દીક્ષા અને પછી મોક્ષ સુધી પહોંચાડે છે ! ભગવાનનો આ ચમત્કાર છે. તો કહે: ‘મારે ધીરધારનો ધંધો હતો. એટલે એ લોકો જ્યારે પણ મળે છે ત્યારે પૂછે છે કે કોઈની પાસે આપણું લેણું બાકી તો નથી ને ?' દુનિયા આવી સ્વાર્થી છે. અહીં કહેવાયેલા ધર્મ વચન યાદ ન રહે તે તો કેમ ચાલે ? પોતાની બુદ્ધિ પર ખોટા વિચારના પડ ચડવા ન દો. એટલું યાદ રાખો કે જે ધર્મ મળ્યો છે તેવો ધર્મ અન્યત્ર ક્યાંય નહીં મળે. તમે કાંઈ જ કરી નાખતા નથી છતાંય અનરાધાર કૃપા આ ધર્મમાંથી મળે છે. કર્મ બંધાય એવું કશું ન કરો. પ્રભુ વીરના કાનમાં ખીલા ઠોકાયા. બંને ખીલાની ધાર પરસ્પર અડી ગઈ. પ્રભુએ સહન કરી લીધું. પ્રભુની સમતા કલ્પનાતીત છે. જ્યારે કાનમાંથી ખીલા કાઢવામાં આવ્યા ત્યારે પ્રભુના મુખમાંથી ચીસ નીકળી ગઈ. પ્રભુ જ્યાં ઊભા હતા ત્યાં બાજુમાં પહાડ હતો. એ પહાડમાં તિરાડ પડી ગઈ! બામણવાડાની વાત છે. ભગવાન જેવા ભગવાનને કર્મ પીડા આપે તો આપણી તો શી વાત ? જે વ્યક્તિ જૂના કર્મ ખપાવે અને નવા કર્મ ન બાંધે તે મોક્ષમાં ન જાય..
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy