SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જ્ઞાનપૂર્ણ, ગરિમાયુક્ત, અનુપમ અનુભવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ નિર્મિત વિખ્યાત સર્જક અને ચિંતક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની ત્રિદિવસીય ગૌતમ-કથા (૧) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મહાવીર જન્મકલ્યાણક દિન દેશ-વિદેશમાં પ્રસારિત કરવામાં આવી. જ્ઞાનપિપાસુ અને અધ્યાત્મનિમિત્તે ભગવાન મહાવીરના શિષ્યરત્ન, જ્ઞાન-લબ્ધિના ભંડાર ગુરુ જિજ્ઞાસુઓ માટે આ કથાનું શ્રવણ જીવનનો એક યાદગાર લ્હાવો ગૌતમ સ્વામીના જીવન અને ચિંતનને પ્રગટ કરતી પદ્મશ્રી ડૉ.બની રહ્યો. વળી આની સાથોસાથ શ્રી મહાવીર શાહના ગીતોએ પણ સૌને ભક્તિભાવમાં તરબોળ કર્યા. કુમારપાળ દેસાઈની પ્રભાવક વાણીમાં ૧૫, ૧૬ અને ૧૭મી એપ્રિલે પાટકર હૉલમાં ગૌતમકથાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગયે વર્ષે માર્ચ ૨૦૧૦માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મહાવીર જન્મકલ્યાણક દિવસે (મહાવીર જયંતીએ) જૈન દર્શનના પ્રસિદ્ધ સાહિત્યકાર અને વિચારક ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રસ્તુત કરેલી મહાવીરકથાએ ભાવકો, વિચારકો અને અધ્યાત્મ જિજ્ઞાસુઓમાં નવા વિચાર અને નવી ચેતનાનો સંચાર કર્યો હતો. એ જ શૃંખલામાં આ વખતે ત્રણ દિવસ માટે ગૌતમકથાનું આયોજન થયું અને શ્રોતાઓને એનો એ ક અવિસ્મરણીય અનુભવ થયો. પ્રથમ ગણધર, મહાતપસ્વી અને અનંત લબ્ધિઓના નિધાન ગુરુ ગૌતમસ્વામીના જીવનની વિશેષતા, ચિંતનની ગહનતા, ગુણોની સમૃદ્ધિ, અપ્રતિમ ગુરુભક્તિ અને અજોડ દર્શનને મનોરમ અને હૃદયસ્પર્શી શૈલીમાં વિખ્યાત લેખક અને ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રસ્તુત કર્યું. આ સમગ્ર કાર્યક્રમમાં ત્રણેય દિવસ સુધી હૉલમાં શ્રોતાજનોની ખીચોખીચ હાજરી રહી અને હૉલની બેઠકોની મર્યાદાને કારણે કેટલાકને ઉપસ્થિત રહેવાનો લાભ આપી શકાયો નહીં. આ ત્રણે દિવસ યુવા વર્ગની વિશેષ ઉપસ્થિતિ એ નોંધનીય ઘટના બની રહી. જો આ ત્રણેય દિવસની કથાની માય ચેનલ’ ટી.વી.એ રજૂઆત કરી અને એ પછી ‘અરિહંત ચેનલ’ દ્વારા એને કે મે ૨૦૧૧ આ વખતની ગૌતમ-કથાની સૌથી મહત્ત્વની વિશેષતા એ રહી કે એમાં શાસ્ત્રમાં આલેખાયેલા ગુરુ ગૌતમસ્વામીના જીવનના ઘણાં અપ્રગટ પાસાંઓને ઉજાગર કરવામાં આવ્યાં. જુદા જુદા પ્રસંગોના રસમય વર્ણનથી એક અલૌકિક વાતાવરણ સર્જવામાં આવ્યું. વળી સ્ટેજની આકર્ષક સજાવટ સોનામાં સુગંધ ઉમેરતી બની. સભાગૃહની બંને બાજુ બે સ્ક્રીન રાખવામાં આવ્યા હોવાથી પાછળની હરોળમાં બેઠેલા દર્શકો પણ એનો પૂરો આસ્વાદ લઈ શક્યા. 11 ગૌતમકથા 11 શ્રી મુંબઈ જેન યુવક સંઘના મંત્રી ડૉ. ધનવંત શાહે ઉપસ્થિત સહુ ભાવિકજનોનું આનંદપૂર્વક ડૉ. કુમારપાળ દેસાઈની પ્રભાવક અને હૃદય સ્પર્શી વાણીમાં ત્રણે સ્વાગત કરતા જણાવ્યું કે ગયે વર્ષે ગૌતમકથા D..D. દિવસની ગૌતમ કથાને જીવંત મ્હાણો ત્રણ ડી.વી.ડી.માં. પ્રત્યેક ડી.વી.ડી. કથા-ચિંતન-ગીત-સંગીત અઢી કલાક ત્રણે ડી.વી.ડી. એક સાથે એક આકર્ષક પેકિંગમાં એક સેટ રૂા. ૩૦૦/ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યો અને પેટ્રનો છાત્રાલયો અને પુસ્તકાલયો, દેરાસર અને ઉપાશ્રયોને ૨૭૦/- એક સાથે દશ ડી.વી.ડી. સેટ લેનારને એક ડી.વી.ડી. સેટ પ્રભાવના સ્વરૂપે. તેમજ રૂા. બૅંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના CD A/C No. 003920200020260 માં રકમ ભરી અમને એ સ્લીપ સાથે આપનું નામ, સરનામું જણાવો એટલે આપને ઘેર બેઠા આ ડી.વી.ડી. પ્રાપ્ત થશે. મિત્રો અને પરિવારોને આ જ્ઞાનની ભેટ અર્પણ કરી જ્ઞાનકર્મનું પુણ્ય પ્રાપ્ત કરો. પરિવાર અને મિત્રો સાથે બેસીને ડી.વી.ડી. દ્વારા ગૌતમકથાનું દર્શન-શ્રવણ કરી સમૂહ સ્વાધ્યાય અને સામાયિકનું પુણ્ય કર્મ પ્રાપ્ત કરો. વસ્તુ કરતા વિચારદાન શ્રેષ્ઠ છે-અમૂલ્ય છે-શાશ્વત છે. આ મહાવીરકથાના સફળ આયોજન બાદ આ વર્ષે ગૌતમકથાના આયોજનને લોકોએ અત્યંત ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો છે. હૉલની બેઠકોની મર્યાદાને કારણે ઘણી વ્યક્તિઓને પ્રવેશ-નિમંત્રણ પત્રિકા આપી શકાઈ નથી, તેનો ખેદ પ્રગટ કરતા તેમણે કહ્યું કે આ જ્ઞાનપીઠ પરથી ગૌતમસ્વામીના જીવનની પ્રસ્તુતિ થશે. કોઈપણ ભક્તિ જ્ઞાન વિના હોઈ શકે નહીં. દીપાવલિ પર્વના દિવસે આપણે ચોપડામાં ‘ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો' એમ લખીએ છીએ. પ્રત્યેક જૈનના હૈયે ગોતમસ્વામી વસેલા છે; પરંતુ અહીં આપણે એક
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy