________________
એપ્રિલ, ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન: ૧૮
૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી
અષ્ટાદશ પ્રકરણ
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી રચિત ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં સોળ અધ્યાય પૂરા થયા પછી જે છ સ્વતંત્ર પ્રકરણ છે તેમાં પ્રથમ ‘મંત્રયોગ’ છે અને પછી દ્વિતિય ‘ગૌતમસ્તુતિ' છે.
શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યે અદ્ભુત ભક્તિભાવ ધરાવતા અને સંપૂર્ણ ભક્તિભાવ ધરાવતા અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજી પ્રત્યેક જૈનના હૃદયમાં વસેલા છે. સમર્પિત શિષ્યત્વ કોને કહેવાય એ જાણવાની જિજ્ઞાસા રાખનારે શ્રી ગૌતમસ્વામીજીના જીવનથી પરિચિત થઈ જવું જોઈએ. અણધાર્યા સંજોગોમાં શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમે જાણ્યું કે ભગવાન મહાવીર નામની એક વ્યક્તિ પાવાપુરીમાં છે અને સૌ તેમને સર્વજ્ઞ તરીકે જાણે છે તે ક્ષણે શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમનું અભિમાન છંછેડાયું અને એમાંથી તેમને ભગવાન મહાવીરનો ભેટો થયો. અભિમાનના ડંખને કારણે શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીર મળ્યા એ જગપ્રસિદ્ધ ઘટના છે પણ એ ક્ષણે આપણને સૌને જ્ઞાન ભંડાર, ગુણના ભંડાર, અનંતલબ્ધિના ભંડાર એવા શ્રી ગૌતમસ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ તે કેવી મહાન ઘટના છે!
આગમસૂત્રમાં વર્ણવ્યા મુજબ વિનય અને વિવેકથી ભરેલા શ્રી ગૌતમસ્વામી ૫૦ હજાર શિષ્યોના સદ્ગુરુ હોવા થતાં પોતે તો આજીવન પ્રભુના વિના શિષ્ય જ રહ્યા હતા. કેવળ સત્ય જાણવાની જિજ્ઞાસાથી પ્રભુને તેઓ સતત પ્રશ્ન કરતાં અને જે પ્રત્યુત્તર મળતો તેમાંથી સકળ સંઘને અલૌકિક તત્ત્વ પામ્યાની તૃપ્તિ થતી. સળ લોકની જિજ્ઞાસા સંતુષ્ટ કરવા માટેના એક માત્ર પ્રતિનિધિ શ્રી ગૌતમસ્વામી હતા. શ્રી ગૌતમ સ્વામીની પ્રશ્નધારામાંથી વિદ્યમાન તત્ત્વજ્ઞાનનું મહતિ ક્ષેત્ર ખેડાયેલું છે. વિદ્યમાન આગમભંડાર આ પ્રશ્ન અને પ્રત્યુત્તરમાંથી સાંપડેલા જ્ઞાનરાશિથી શોભે છે. શ્રી ગૌતમસ્વામી જેમ વિનમ્ર શિષ્ય છે તેમ અભિમાનમુક્ત જીવન જીવનાર વ્યક્તિત્વ ધરાવે છે. જ્યારે એમણે જાણ્યું કે આનંદશ્રાવક સાચા છે અને પોતે જે કહે છે તેમાં ભૂલ છે તે જ ક્ષણે કોઈપણ ખચકાટ વિના તેઓ આનંદશ્રાવકને મિચ્છામિ દુક્કડં દેવા જાય છે. આ નિરાભિમાનીપણું તેમને માટે સાવ સહજ હતું. શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીરના પ્રથમ પધર અને અગિયાર ગણધરોમાં સૌથી વર્કરા અને જીવંત લબ્ધિનિધાન હોવા છતાં તેમની ભક્તિ પોતાના ગુરુ ભગવાન મહાવીર પ્રત્યે અખંડ વહેતી સરિતાની જેમ ધૂંધવતી હતી. શ્રી ગૌતમસ્વામી એક પળ માટે પણ જુદા થવાનું પસંદ કરતા ન હતા. જીવનની પ્રત્યેક ક્ષણ પ્રભુના શરણમાં વિતાવીને પ્રભુનું અપૂર્વ ગુણવૈભવ પામવા અને સમજવા તેઓ સતત ા કરતા. દીક્ષાના પ્રથમ દિવસથી નિયમિત અને અખંડપણે પ્રભુ માટે ગોચરી લેવા તેઓ જ જતા. કોઈ બીજું જાય તો તેઓ નાના બાળકની જેમ
૨૩
પોતાનો આ હક કોઈ લઈ લે છે તેમ માનીને રડી પડતા. દીક્ષાના પ્રથમ દિવસે એમણે પ્રભુ પાસે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી કે જ્યાં સુધી મને કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી પોતે છઠ (બે ઉપવાસ)ના પારણે એકાસણું કરીને છકની તપશ્ચર્યા કરશે. એમણે સળંગ ત્રીસ વર્ષ સુધી છઠની તપશ્ચર્યા કરી હતી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રી ગૌતમસ્વામીનું તડપન તીવ્ર હતું. તેઓ જેમને દીક્ષા આપીને આવતાં તેમાંથી મોટા ભાગના મુનિજનો કેવળજ્ઞાન પામી જતાં. એ ક્ષણે શ્રી ગૌતમસ્વામી તરફડી ઉઠતા. એમને થતું કે પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું કેમ નથી? એ માટે તેઓ સતત ભગવાનને પૂછતા પણ ખરા. એકવાર પ્રભુની આજ્ઞાથી પોતાની લબ્ધિના બળે તેઓ શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા પણ કરી આવ્યા. અને પાછા વળતા હતા ત્યારે પંદરસો તાપસોને શિષ્ય પણ બનાવતા આવ્યા. એ તાપસ શિષ્યો પ્રભુના શરણમાં પહોંચ્યા ત્યારે કેવળજ્ઞાન પામી ગયા હતા! એ ક્ષણે શ્રી ગૌતમ સ્વામીની પીડા અસીમ બની ગઈ : મને કેવળજ્ઞાન ક્યારે થશે ? કિન્તુ શ્રી ગૌતમસ્વામી હંમેશા એમ માનતા હતા કે ભગવાનની કૃપા મને જરૂર તારશે. શ્રી ગૌતમસ્વામી અજોડ પ્રવચનકાર હતા. ભગવાનનું તત્ત્વ તેઓ સૂત્રરૂપે ગૂંથીને શિષ્યોને તથા સંધને શીખવતા. એમણે જે એ વખતે સોને શીખવ્યું તે જ છે આજની આપણી મહામૂલી આગમસંપત્તિ!
શ્રી ગૌતમસ્વામીના ગુડ્ડાકીર્તન સમયે સમયે જ્ઞાનીજનો કરતા જ રહ્યા છે અને સર્વ સમયે તેઓને હંમેશાં એમ થયું છે કે પોતે કરેલી ગુણાસ્તુતિ હજુ સાવ નાની છે! શ્રી ગૌતમસ્વામીના ગુણ ગાઈએ તેટલા ઓછા છે!
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રી ગૌતમસ્વામીએ પ્રભુ વીરની કરેલી સ્તુતિ રચે છે.
શ્રી ગૌતમસ્વામીના હૃદયમાં પ્રભુનું સ્થાન શું છે તે આ સ્તુતિ વાંચતા આપણને સમજાય છે અને તે સ્તુતિનું ગાન આપણને ભક્તિભાવથી ભીંજવે છે. ગૌતમસ્તુતિનો પ્રારંભ આમ થાય છે.
केवलज्ञानगम्भीर :, सर्वातिशयभूषित: । शासनाधिपतिर्विश्वोद्धारकः सुरसेवितः । । १ महिम्नः स्तवनात् स्तुत्य, आधार: सर्वदेहिनाम् । रम्योपदेशदायी त्वं, सर्वशक्तिधरो भवान् ।। २ ॥ जगद्गुरुर्महाजन्मा त्वच्छिक्षा कार्यसिद्धिदा । त्वत्तुल्यो नास्ति मे स्वामी, जगदीशमहामणि ।।३।। अनन्तास्त्वद्गुणाः सन्ति, त्वदन्यो नैव तारकः । धर्मोद्धारविधाता त्वं साकारो लोकनायक: ।।४।। (શ્રી જૈન મહાવીર ગીતા, ગાથા, ૧, ૨, ૩, ૪) ‘તમો કેવળજ્ઞાનથી ગંભીર, સર્વાતિશય શોભિત, શાસનાધિપતિ, વિશ્વોદ્ધારક, દેવો વર્લ્ડ સેવિત છો.’
"