SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શુભ નિશ્રા. અને મને લખે છે કે, 'તપનું ઉજમણું કરવાની મારી આજ શક્તિ.' હું તો અંદરથી હચમચી ગયો. મન બાગ બાગ થઈ ગયું. અન્ય પ્રભાવનાની સામે આ કેટલી મૂલ્યવાન પ્રભાવના! ઉપવાસો તો ગાંધી સાથે ઘણાં બધાં જોડાયેલા છે. ગાંધીના આ ઉપવાસે જગતને એક ઈતિહાસ આપ્યો છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો તપ, અપરિગ્રહ, અહિંસા અને સત્ય ગાંધી જીવનમાં રસાયણની જેમ એકરસ થઈ ગયા હતા. જ્યારે ગાંધીજી ધર્મ સંઘર્ષની અવસ્થામાં હતા ત્યારે શ્રીમદ્ રાજચંદ્રના શબ્દોએ એ સંઘર્ષમાં એમને ઉકેલ અને શાંત્વના આપી હતી. ગાંધીજી પરમ વૈષ્ણવ હતા, અને સવાયા જૈન શ્રાવક પણ હતા. પ્રબુદ્ધ વન ઑક્ટોબર ૨૦૧૦ પણ આપણે ઓછો ન કરી શકીએ એટલી સંપૂર્ણતા આ મહામાનવમાં છે. આ પ્રસ્તાવના વાંચીને વાચકને અવશ્ય કોઈ નવો અનુભવ થશે જ. આ ગાંધી જન્મમહિનામાં મુરબ્બી વાચકોને ગાંધી પ્રસ્તાવના વાંચીને વાર્ગાળવા ખાસ નમ્ર વિનંતી કરું છું. આ ઑક્ટોબર મહિનો એટલે આ જગત ઉપર ગાંધી અવતર્યાનો મહિનો. અહિંસા અને વિશ્વશાંતિનો સંદેશો લઈને ઉગેલો એક સૂર્ય. જાણે પુનઃ મહાવીર અને બુદ્ધની વાણી વિસ્તરી. ‘પ. .'ના વાંચો ગાંધીજીની આત્મકથાથી પરિચિત હશે જ. વરસો પહેલાં અથવા હમણાં એ વાંચી હશે. કેટલાંક પુસ્તકો દર પાંચ વર્ષે ફરી ફરી વાંચવા જોઈએ. પ્રત્યેક વાંચને નવા નવા અર્થો અને રહસ્યો સાંપડે. આપને પુનઃ વિનંતિ કરું છું કે, ‘વાંચી હતી,’ ‘ક્યારેક ફૂરસદે વાંચી લેશું' એવા વાક્યો બુદ્ધિમાંથી જન્માવી આ પ્રસ્તાવના અળગી કરશો તો સોના સૌંદર્ય અને તેજની પ્રતીતિથી આપ વંચિત રહી જશો. ‘ત્યારે’ વાંચી હતી એ મુગ્ધતા અને જિજ્ઞાસા હતી, ‘અત્યારે' વાંચશો એમાં નિજ અનુભવ અને ચિંતનના મંથનનું અમૃત હશે, અને નવું સત્ય દર્શન પ્રાપ્ત થશે. પછી આપના આત્મા સાથે વાર્તાલાપ કરશો તો તો ઘણું ઘણું મળશે અને હૃદય હળવું થશે. ‘ઉજમણું' પણ થઈ જશે. આ પ્રસ્તાવના આપના ખોળામાં અચાનક આવી છે એમાં ઇશ્વરનો કાંઈ સંકેત સમજજો. nધનવંત શાહ drdtshah@hotmail.com પ્રસ્તાવના ‘ઉજમણા'માં મને મળેલી આ પ્રત ૨૦૧૦માં પ્રકાશિત થઈ. છે. આ પ્રતમાં માહિતી છે કે ‘અત્યાર સુધી આ પુસ્તકની ચાર લાખ છન્નુહજાર ગુજરાતીમાં પ્રતો પ્રગટ થઈ છે.' આ આત્મકથાનો જગતની વીસ ભાષામાં અનુવાદ થયો છે અને કુલ ૧૯ લાખ નકલો પ્રગટ થઈ છે અને કરોડો માનવોને એ પ્રેરક અને પ્રભાવક બની છે. ગાંધીજીની આત્મકથા વિશે જ એક મોટો ગ્રંથ લખાય એટલું આ પુસ્તકનું વિશ્વ વિશાળ છે. ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પા એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાંખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી મુંબઈ સર્વોદય મંડળના ટ્રસ્ટી અને ગાંધી બુક સેન્ટરના અધિષ્ઠાતા તુલસીદાસ સોમૈયા કહે છે કે “ગયા વર્ષે (એપ્રિલ-શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્ભાગ્ય કે ૨૦૦૯થી માર્ચ ૨૦૧૦ સુધી) બાપુની આત્મકથાની વિવિધ ભાષાઓની આવૃત્તિઓની ૨.૫૪ લાખ નકલો વેચાઈ, બાર ભારતીય અને છ વિદેશી ભાષાઓમાં અનુવાદિત આત્મકથાની ૧.૪૦ લાખ નકલો આ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી છ મહિનામાં વેચાઈ. માર્ચ-૨૦૧૧ સુધીમાં સાડા ત્રણ લાખ નકલો વેચાવાની શક્યતા છે.’’ પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે. તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાંખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો આ ગાંધી જન્મમાસ નિમિત્તે ‘પ્ર.જી.’ના વાચકોને આ આત્મકથામાં પૂ. ગાંધીજીએ લખેલી પ્રસ્તાવના અર્પણ કરું છું. આ પ્રસ્તાવના ઘણી વખત વાંચીને એની દીર્ઘતાને ઓછી કરવા‘નવજીવન'ને સારુ જ લખી શકાય. મારે ‘નવજીવન' સારુ કંઈક પ્રયત્ન કર્યો, પણ એ શક્ય ન જ બન્યું એટલે એ યથાતથ આપને અર્પણ કરું છું. ગાંધીના વિરાટ વ્યક્તિત્વનો કોઈ પણ અંશ, ક્યાંથી તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો. ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) - ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) ♦ કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy