________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
પ્રેમ દર્શાવ્યાં છે.
૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જૈનદર્શનના મહાન વિદ્વાન, પ્રકાંડ પંડિત સુખલાલજીએ લખ્યું, ‘હું પ્રથમ તો એ સૂચવું છું કે શ્રીયુત ગાંધીના એ ત્રણે પુસ્તકોનો પ્રામાણિક અનુવાદ કે સાર હિંદી, ગુજરાતી આદિ ભાષામાં જલદી પ્રકાશિત થવો જોઈએ, અને ધર્મતત્ત્વજ્ઞાનના જૈન પરંપરામાં ચલાવાતા વર્ગોમાં એનું સ્થાન અવશ્ય રહેવું જોઈએ. એમ થશે તો જ નવી પેઢીનું મન સંકુચિત બનવાને બદલે વિકસિત થશે અને ઉપેક્ષા પામતી ધાર્મિક પાઠશાળાઓના અભ્યાસીઓમાં કાંઈક તેજ આવશે. આજે ૪૧ વર્ષે પણ આપણે આમાંનું કશું કરી શક્યા નથી તેનો અફસોસ અનુભવાય છે. એમના અંગ્રેજી પ્રવચનોનો અનુવાદ હજી બાકી જ છે.
'જૈન ફિૉસોફી' ગ્રંથના તેવીસ પ્રવચનોમાં પરાધીન ભારતમાં વસતા; પરંતુ સ્વતંત્રતા ઝંખતા આત્માનો અવાજ છે. જંગલી અને અમાનવીય સામાજિક રૂઢિ ધરાવતા સમાજ તરીકે વિદેશમાં ભારતની છબી ઉપસાવવામાં આવી હતી તેની સામે ભારતના
આપણે આજે અહીં જે ગ્રંથનું વિશ્લેષણ કરીને તારતમ્ય મેળવવાનો પ્રયત્ન કરશું તે છે ઉપમિતિ ભવપ્રપંચ કથા.
ગ્રંથના કર્તા-કથાલેખક છે પૂજય શ્રી સિદ્ધર્ષિગણિ. શ્રી સિદ્ધર્ષિ અતૂટ ઉપશમમાળા, સ્ફટિક જેવા નિર્મળ, પરિહત જોનારા, મહાભાગ્યશાળી હતા. આ ગ્રંથ તેઓશ્રીના વ્યક્તિત્વને છતું કરે છે.
ઉપમિતિ ભવપ્રપંચ કથા
D સુમનબેન પ્રવીણચંદ્ર શાહ
શ્રીમતી સુમનબેન પ્રાચંદ્ર સN-BA., LL.B., Ph.D. in Phiosophy છે. તેમની થીસીસનો વિષય છે – કર્મથીઅરી ઓફ જેનીઝમ બેડ ઓન જૈનગમ તેમણેબોમ્બે યુનિવર્સિટીમાંથી ૨ વર્ષનો જૈનીઝમનો ડિપ્લોમા કોર્સ કરેલ છે. તેમણે લાડનુ યુનિવર્સિટીની જેનિઝમમાં એમ.એ.ની ડિગ્રી લીધેલ છે.
તેઓએ ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ અર્થે, તે સમયની નીતિરીતિ પ્રમાણે પ્રારંભ નમસ્કાર અને મંગળાચરણથી કરેલ. આપણે તેમનો આદર કરી તે જ નમસ્કારને ઝીલીએ. ત્યારપછી તેઓ ચોવીસ તીર્થંકર, શ્રી વીર પરમાત્મા, ભગવાનની વાણી, સરસ્વતીદેવી ગુરુમહારાજ, સર્વને નમસ્કાર કરે છે. ત્યારપછી પ્રસ્તાવનામાંથી જાડાવા મળે છે કે ગ્રંથની પહેલી કોપી દુર્ગંસ્વામીની શિષ્યા ગણાસાધ્વીએ લખી. ત્યાર પછી ભિલ્લમાલ નગરમાં કવિશ્રીએ આ કથા કહી.
ગ્રંથની શૈલી આગમપ્રમાણ છે. આગમોમાં આ સાહિત્ય પ્રાકૃતમાં છે જ્યારે તેનું ટીકા સાહિત્ય સંસ્કૃતમાં છે. જૈનધર્મનું
૪૧
વેદગ્રંથો અને વિદ્વાનોની ભવ્યતા સૂચવતો આ ગ્રંથ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પૂર્વેની સંસ્કૃતિને દમનકારી શાસન અને વટાળપ્રવૃત્તિથી નષ્ટ કરવા ચાહતી હતી, ત્યારે એની સામે ઓગણત્રીસ વર્ષના ગુજરાતી યુવાનની વાસ્તવિક, પ્રમાણભૂત માહિતી સાથેની સત્યગર્જના છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ, માર્મિક અને વિદેશી શ્રોતાજનોને સમજાય તેવી સોટ રજૂઆત છે. આજે અમેરિકાની કદમબોસી ક૨વામાં આવે છે અને એના મૂલ્યોનો મહિમા કરાય છે, ત્યારે આ પુસ્તકમાં અમેરિકાને આ યુવાને આપેલો સંદેશ મળે છે. આજે જ્યારે ધર્મો-ધર્મો વચ્ચે ઈન્ટરફેઈલની મૂવમેન્ટ ચાલે છે. ત્યારે એ સમયે વીરચંદ ગાંધીએ વૈશ્વિક ધર્મ(Universal religion) ની વ્યાપક ભાવનાનો ખ્યાલ આપ્યો. આ સર્વ દૃષ્ટિએ ‘ધ જૈન ફિલૉસોફી’ એક ભારતીય યુવાનની દાર્શનિક વિચારધારાથી માંડીને વૈશ્વિક ચેતના સુધીના એના વ્યાપનો પરિચય આપે છે.
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫.
કથા સાહિત્ય પ્રારંભકાળથી તે સત્તર, અઢારમી સદી સુધી અવિરત વિકાસ પામતું રહ્યું. શ્રમણવર્ગે પ્રાકૃત તો સામાન્યજને સંસ્કૃતભાષા સ્વીકારી.
ગ્રંથના રચનાકાળ વિશે આધારભૂત માહિતી નથી મળતી છતાં એમ લાગે છે કે જૈનસાહિત્યના બીજા આગમકાળ એટલે કે પૂજ્ય તીર્થંકર શ્રી મહાવીરના જન્મ પછીના ૪૫૦ થી ૫૦૦ વર્ષના સમયગાળા દરમ્યાન આ ગ્રંથની રચના થઈ. ગ્રંથમાં માહિતી છે કે આ કે સંવત ૯૬૨ નો સંવત્સર લગભગ પૂરો થતાં જેઠ સુદ પાંચમને ગુરૂવારના પુષ્પનત્રે આ ગ્રંથની સમાપ્તિ થઈ. એક મત પ્રમાણે તે ઈ. સ. ૯૦૫માં રચાશે.
ઉમિતિ ભવપ્રપંચ કથા શુદ્ધ ધર્મ કથાના સ્વરૂપમાં પુણ્યબંધ અને કર્મનિર્જરા કરાવનાર છે તેથી તે સ્વર્ગ મોક્ષના કારાભૂત હોઈ ઉપાદેય છે. તે ધર્મ, અર્થ, કામ વગેરે સાધનભૂત ઉપાયોનું પ્રતિપાદન કરતા પ્રાણીઓને વિદ્વાન બનાવવાના હેતુરૂપ અને મોહાસક્ત પ્રાણીઓને ધર્માભિમુખ બનાવનાર બને છે ત્યારે તે સંકીર્ણ ક્યા બને છે. અનુભવગમ્ય પ્રસંગો, સ્વર્ગ, નર્ક, તિર્યંચની